રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાઃ PM મોદીના પ્લેન લેન્ડિંગને લઈ તંત્ર એક્શનમાં, 22 જાન્યુઆરીએ 6 એરપોર્ટ રહેશે સ્ટેન્ડબાય

અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાઃના દિવસે પ્રશાસને અહીં હાઈટેક સુરક્ષા વ્યવસ્થા કરી છે. એરપોર્ટ પ્રશાસને જણાવ્યું છે કે દેશના ઘણા ભાગોમાંથી વીઆઈપી તેમની ચાર્ટર ફ્લાઈટમાં અયોધ્યા આવવા માંગે છે, આ માટે પ્રશાસને ખાસ વ્યવસ્થા કરી છે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાઃ PM મોદીના પ્લેન લેન્ડિંગને લઈ તંત્ર એક્શનમાં, 22 જાન્યુઆરીએ 6 એરપોર્ટ રહેશે સ્ટેન્ડબાય
Follow Us:
| Updated on: Jan 13, 2024 | 1:44 PM

અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ એટલે કે 22મી જાન્યુઆરીએ પ્રશાસને જોરદાર તૈયારીઓ કરી છે. આકાશથી લઈને રસ્તા સુધી હાઈટેક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દિવસે અયોધ્યામાં પરમિટ વિના કોઈપણ વાહનના પ્રવેશ પર પ્રતિબંધ છે, જ્યારે આકાશ માર્ગે ટ્રાફિકને લઈને પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે.

ટુંક સમયમાં વધારે ફ્લાઈટ શરૂ થશે

મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાના ડાયરેક્ટર વિનોદ કુમારે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, અયોધ્યાના લોકો માટે ટૂંક સમયમાં નવી ફ્લાઈટની સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે. તેમણે કહ્યું કે આકાશની સાથે સ્પાઈસ જેટ પણ અહીંથી તેની નવી ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે.

અયોધ્યાધામમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે આ સુવિધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં પ્રાણ પ્રતિષ્ઠા માટે ઉતરશે. મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા CISFને સોંપવામાં આવી છે. અહીં 250થી વધુ સૈનિકો અને સુરક્ષા અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ડિરેક્ટર વિનોદ કુમારે એમ પણ કહ્યું છે કે શક્ય છે કે સ્પાઈસ જેટ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાથી અયોધ્યામાં અલગ-અલગ જગ્યાઓ પર ફ્લાઈટ શરૂ કરે. અયોધ્યાધામમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે આ સુવિધા વિશેષ રહેશે.

શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર
ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે 10 વિશેષ સુવિધાઓ
કારતક મહિનામાં તુલસીની પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ? જાણી લો
ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત

શું છે 22 જાન્યુઆરીની તૈયારીઓ?

ડાયરેક્ટર વિનોદ કુમારે જણાવ્યું કે દેશના જુદા જુદા ભાગોમાંથી તેમની પાસે અરજીઓ આવી રહી છે. જે VIP પોતાની ચાર્ટર ફ્લાઈટમાં અયોધ્યા આવવા માગે છે, તેમણે દરેક માટે 22મી તારીખ પહેલા સમય નક્કી કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે 20થી 22 તારીખ સુધી વીવીઆઈપી માટે ખાસ સમય રહેશે.

પાર્કિંગની સુવિધા છે ઓછી

ડિરેક્ટર વિનોદ કુમારે કહ્યું કે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગની સુવિધા ઓછી છે. જેને ધ્યાનમાં રાખીને આવનારા તમામ વીવીઆઈપી માટે અલગ-અલગ સ્થળોએ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આસપાસના જિલ્લાઓમાં લગભગ 6 આવા એરપોર્ટ છે, જેને સ્ટેન્ડબાય મોડ પર એરક્રાફ્ટ પાર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં કુશીનગર, પ્રયાગરાજ, લખનૌ, કાનપુર, સિદ્ધાર્થ નગરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: મોરેશિયસ સરકારે હિન્દુ ધર્મના લોકો માટે કરી મોટી જાહેરાત, જાણો

બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">