જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ…ભારતના ન્યાય તંત્રની સૌથી કડક કાર્યવાહી, શું પદ ગુમાવશે કે બચી જશે જજ?
આપણે અવારનવાર સાંભળીએ ચીએ કે કોઈ હોદ્દા પર બેસેલા વ્યક્તિને હટાવી દેવામાં આવ્યો, અથવા તેને બરતરફ કરી દેવામાં આવ્યા. પરંતુ શું તમે વિચાર્યુ છે કે ભારતમાં સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટના જજને હટાવવા માટે શું કાર્યવાહી કરવાની હોય છે. તેના માટે દેશમાં ક્યાં નિયમ-કાયદા છે. આખરે તેમને કોણ બરતરફ કરી શકે અથવા તો હટાવી શકે. આવો જાણીએ સમગ્ર પ્રક્રિયા

ભારતમાં, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને તેમના પદ પરથી દૂર કરવા સરળ નથી. આ માટે, બંધારણમાં દર્શાવેલ નિયમો અને કાયદાનું પાલન કરવું પડે છે. એક ખાસ પ્રક્રિયાને મહાભિયોગ કહેવામાં આવે છે. એટલે કે, સરળ ભાષામાં કહીએ તો સુપ્રીમ કોર્ટ કે રાજ્ય હાઈકોર્ટના ન્યાયાધીશને તેમના પદ પરથી દૂર કરવાની બંધારણીય પ્રક્રિયા છે. નિષ્ણાતો કહે છે કે એકવાર ન્યાયાધીશની નિમણૂક થઈ ગયા પછી, રાષ્ટ્રપતિના આદેશ વિના ન્યાયાધીશોને પદ પરથી દૂર કરી શકાતા નથી, જેના માટે સંસદની સંમતિ જરૂરી છે. આજકાલ, અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્મા સામે મહાભિયોગ અંગે ઘણી ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ચાલો સમજીએ કે મહાભિયોગ માટેની પ્રક્રિયા શું હોય છે.. શું હોય છે મહાભિયોગની સમગ્ર પ્રક્રિયાના સ્ટેપ્સ? કોઈ કેસમાં જો જજો પર કોઈ આરોપો લાગ્યા હોય તો તેમને હટાવવા માટે સૌથી પહેલા સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં...
