AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિત શાહ ભાજપ માટે રાજકીય પ્રસ્તાવ રજૂ કરશે, પીએમ મોદી કાર્યકર્તાઓને આપશે મંત્ર, આજે કારોબારીની બેઠકમાં આ મુદ્દાઓ પર રહેશે ફોકસ

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પાર્ટી માટે 'રાજકીય પ્રસ્તાવ' રજૂ કરશે. આ પ્રસ્તાવને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓનું સમર્થન મળશે.

અમિત શાહ ભાજપ માટે રાજકીય પ્રસ્તાવ રજૂ કરશે, પીએમ મોદી કાર્યકર્તાઓને આપશે મંત્ર, આજે કારોબારીની બેઠકમાં આ મુદ્દાઓ પર રહેશે ફોકસ
અમિત શાહ આજે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં 'રાજકીય પ્રસ્તાવ' રજૂ કરશેImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 1:17 PM
Share

Hyderabad: જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના પ્રથમ દિવસે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનેક કાર્યક્રમોની જાહેરાત કરી હતી, ત્યારે આજે બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (Narendra Modi) ભાષણ અને પાર્ટીના ‘રાજકીય પ્રસ્તાવ’ મુખ્ય ફોકસ રહેશે. તે સર્વાનુમતે પસાર થાય તેવી અપેક્ષા છે. ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ  (Amit Shah) પાર્ટી માટે ‘રાજકીય પ્રસ્તાવ’ રજૂ કરશે. આ પ્રસ્તાવને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓનું સમર્થન મળશે.

સૂત્રોએ એએનઆઈને જણાવ્યું કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ રાજકીય ઠરાવ પર વાત કરશે. હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જય રામ ઠાકુર પણ ચૂંટણી-બાઉન્ડ રાજ્યની સ્થિતિ અને રાજકીય પરિદ્રશ્ય પર રજૂઆત કરે તેવી અપેક્ષા છે. રાજકીય ઠરાવ એ વિઝન ડોક્યુમેન્ટ છે જે આજે પસાર થશે. ભાજપે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીતનો મોટો ફાયદો ઉઠાવ્યો છે.

તમામની નજર પીએમ મોદીના ભાષણ પર રહેશે

ભાજપની સમગ્ર રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકની સૌથી મોટી વિશેષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તેમના પક્ષ કેડરને આપેલું ભાષણ હશે. તેમના ભાષણ દરમિયાન, પીએમ મોદી સંગઠનને મજબૂત બનાવવાની સાથે સાથે પાયાના સ્તર સાથે જોડાયેલા રહેવાની દિશામાં કામ કરવા વિશે સૂચનો આપી શકે છે. તે કેટલીક સરકારી યોજનાઓની પહોંચ પર પણ પ્રકાશ ફેંકે તેવી અપેક્ષા છે. માનવામાં આવે છે કે પીએમ મોદી વિપક્ષ પર નિશાન સાધી શકે છે.

સભા પુરી થયા બાદ પીએમ મોદી જનસભાને સંબોધશે

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના સમાપન બાદ વડાપ્રધાન મોદી પરેડ ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે, જ્યાં 35,000થી વધુ લોકો હાજર રહેવાની ધારણા છે. હૈદરાબાદમાં આયોજિત આ કાર્યકારી બેઠક કોરોના વાયરસના કારણે ઓછામાં ઓછા બે વર્ષના અંતરાલ પછી થઈ રહી છે. દર ત્રણ મહિને યોજાતી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક નવેમ્બર 2021માં રાષ્ટ્રીય રાજધાનીમાં હાઇબ્રિડ રીતે યોજાઈ હતી, જેમાં નેતાઓ વર્ચ્યુઅલ તેમજ ડિજિટલ રીતે હાજરી આપતા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 જુલાઈના રોજ સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘વિજય સંકલ્પ સભા’ના નામથી જનસભાને સંબોધિત કરશે. જાહેર સભાનું શીર્ષક જ સૂચવે છે કે પીએમ મોદી આગામી વર્ષે તેલંગાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના કાર્યકરોને તૈયાર કરવા માટે ચૂંટણીનું બ્યુગલ વગાડી શકે છે. પીએમ મોદી શનિવારે બીજેપીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા અને રવિવારે સાંજે જનસભાને સંબોધિત કરશે.

Follow Us
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
g clip-path="url(#clip0_868_265)">