અમિત શાહ ભાજપ માટે રાજકીય પ્રસ્તાવ રજૂ કરશે, પીએમ મોદી કાર્યકર્તાઓને આપશે મંત્ર, આજે કારોબારીની બેઠકમાં આ મુદ્દાઓ પર રહેશે ફોકસ

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પાર્ટી માટે 'રાજકીય પ્રસ્તાવ' રજૂ કરશે. આ પ્રસ્તાવને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓનું સમર્થન મળશે.

અમિત શાહ ભાજપ માટે રાજકીય પ્રસ્તાવ રજૂ કરશે, પીએમ મોદી કાર્યકર્તાઓને આપશે મંત્ર, આજે કારોબારીની બેઠકમાં આ મુદ્દાઓ પર રહેશે ફોકસ
અમિત શાહ આજે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં 'રાજકીય પ્રસ્તાવ' રજૂ કરશેImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 1:17 PM

Hyderabad: જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના પ્રથમ દિવસે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનેક કાર્યક્રમોની જાહેરાત કરી હતી, ત્યારે આજે બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (Narendra Modi) ભાષણ અને પાર્ટીના ‘રાજકીય પ્રસ્તાવ’ મુખ્ય ફોકસ રહેશે. તે સર્વાનુમતે પસાર થાય તેવી અપેક્ષા છે. ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ  (Amit Shah) પાર્ટી માટે ‘રાજકીય પ્રસ્તાવ’ રજૂ કરશે. આ પ્રસ્તાવને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓનું સમર્થન મળશે.

સૂત્રોએ એએનઆઈને જણાવ્યું કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ રાજકીય ઠરાવ પર વાત કરશે. હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જય રામ ઠાકુર પણ ચૂંટણી-બાઉન્ડ રાજ્યની સ્થિતિ અને રાજકીય પરિદ્રશ્ય પર રજૂઆત કરે તેવી અપેક્ષા છે. રાજકીય ઠરાવ એ વિઝન ડોક્યુમેન્ટ છે જે આજે પસાર થશે. ભાજપે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીતનો મોટો ફાયદો ઉઠાવ્યો છે.

તમામની નજર પીએમ મોદીના ભાષણ પર રહેશે

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ભાજપની સમગ્ર રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકની સૌથી મોટી વિશેષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તેમના પક્ષ કેડરને આપેલું ભાષણ હશે. તેમના ભાષણ દરમિયાન, પીએમ મોદી સંગઠનને મજબૂત બનાવવાની સાથે સાથે પાયાના સ્તર સાથે જોડાયેલા રહેવાની દિશામાં કામ કરવા વિશે સૂચનો આપી શકે છે. તે કેટલીક સરકારી યોજનાઓની પહોંચ પર પણ પ્રકાશ ફેંકે તેવી અપેક્ષા છે. માનવામાં આવે છે કે પીએમ મોદી વિપક્ષ પર નિશાન સાધી શકે છે.

સભા પુરી થયા બાદ પીએમ મોદી જનસભાને સંબોધશે

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના સમાપન બાદ વડાપ્રધાન મોદી પરેડ ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે, જ્યાં 35,000થી વધુ લોકો હાજર રહેવાની ધારણા છે. હૈદરાબાદમાં આયોજિત આ કાર્યકારી બેઠક કોરોના વાયરસના કારણે ઓછામાં ઓછા બે વર્ષના અંતરાલ પછી થઈ રહી છે. દર ત્રણ મહિને યોજાતી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક નવેમ્બર 2021માં રાષ્ટ્રીય રાજધાનીમાં હાઇબ્રિડ રીતે યોજાઈ હતી, જેમાં નેતાઓ વર્ચ્યુઅલ તેમજ ડિજિટલ રીતે હાજરી આપતા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 જુલાઈના રોજ સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘વિજય સંકલ્પ સભા’ના નામથી જનસભાને સંબોધિત કરશે. જાહેર સભાનું શીર્ષક જ સૂચવે છે કે પીએમ મોદી આગામી વર્ષે તેલંગાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના કાર્યકરોને તૈયાર કરવા માટે ચૂંટણીનું બ્યુગલ વગાડી શકે છે. પીએમ મોદી શનિવારે બીજેપીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા અને રવિવારે સાંજે જનસભાને સંબોધિત કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">