પાર્ટીનો ‘રાજકીય સંકલ્પ’, PM મોદીનું સંબોધન…BJP રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના બીજા દિવસે ભાજપનું ધ્યાન આ મુદ્દાઓ પર રહેશે
BJP's national executive meeting ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પાર્ટી માટે રાજકીય પ્રસ્તાવ રજૂ કરશે. આ પ્રસ્તાવને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓનું સમર્થન મળશે.
ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાષ્ટ્રીય કાર્યકારિણીની (national executive) બેઠકના પ્રથમ દિવસે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનેક કાર્યક્રમોની જાહેરાત કરી હતી, ત્યારે આજે બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (Prime Minister Narendra Modi) સંબોધન અને પાર્ટીના ‘રાજકીય પ્રસ્તાવ’.’ મુખ્ય કેન્દ્રસ્થાને રહેશે. તે સર્વાનુમતે પસાર થશે. ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, (Amit Shah) ભારતીય જનતા પાર્ટી માટે ‘રાજકીય પ્રસ્તાવ’ (Political Resolution) રજૂ કરશે. આ પ્રસ્તાવને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓનું સમર્થન મળશે.
સૂત્રોએ એએનઆઈને જણાવ્યું કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ રાજકીય ઠરાવ પર વાત કરશે. હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જય રામ ઠાકુર પણ જ્યા ચૂંટણી યોજાવાની છે તેવા હિમાચલ રાજ્યની સ્થિતિ અને રાજકીય પરિદ્રશ્ય પર રજૂઆત કરે તેવી ધારણા છે. રાજકીય ઠરાવ એ વિઝન ડોક્યુમેન્ટ છે જે આજે પસાર થશે. ભાજપે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીતનો મોટો ફાયદો ઉઠાવ્યો છે.
ભાજપે ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુર જેવા રાજ્યોમાં ભવ્ય જીત મેળવી છે. એક સમયે ભાજપના રાજકીય નકશા પર વિપક્ષ સ્થાનો ધરાવતા રાજ્યોમાં તેની સફળતાને નેવિગેટ કરવા માટે પાર્ટી પીએમ મોદી અને તેમના નેતૃત્વને બિરદાવે તેવી અપેક્ષા છે. કેટલાક રાજ્યોમાં રાજકીય હિંસા અને સરકારની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાના તેમના પ્રયાસોમાં વિરોધ પક્ષોના મોટા એજન્ડા અને તેને કેવી રીતે સંબોધિત કરવાની જરૂર છે તેના પર પણ રાજકીય ઠરાવમાં ચર્ચા થવાની અપેક્ષા છે.
તમામની નજર પીએમ મોદીના સંબોધન પર
ભાજપની સમગ્ર રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકની સૌથી મોટી વિશેષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તેમના પક્ષ કેડરને કરેલ સંબોધન હશે. તેમના સંબોધન દરમિયાન, પીએમ મોદી સંગઠનને વધુ મજબૂત બનાવવાની સાથે સાથે પાયાના સ્તર સાથે જોડાયેલા રહેવાની દિશામાં કામ કરવા વિશે સૂચનો આપી શકે છે. તો કેટલીક સરકારી યોજનાઓની પહોંચ પર પણ પ્રકાશ ફેંકે તેવી ધારણા છે. માનવામાં આવે છે કે પીએમ મોદી વિપક્ષ ઉપર પણ નિશાન સાધી શકે છે.
કાર્યકારિણી બેઠક પુરી થયા બાદ પીએમ મોદી જનસભાને સંબોધશે
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના સમાપન બાદ વડાપ્રધાન મોદી પરેડ ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે, જ્યાં 35,000થી વધુ લોકો હાજર રહેવાની ધારણા છે. હૈદરાબાદમાં આયોજિત આ કાર્યકારી બેઠક કોરોના વાયરસના કારણે ઓછામાં ઓછા બે વર્ષના સમય પછી યોજાઈ રહી છે. દર ત્રણ મહિને યોજાતી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક નવેમ્બર 2021માં રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાઈ હતી, જેમાં નેતાઓએ વર્ચ્યુઅલ તેમજ ડિજિટલ રીતે હાજરી આપી હતી.