AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા વધશે ? કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કહી આ વાત

ક્રૂડ ઓઈલ 139.13 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના વધી ગઈ છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા વધશે ? કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કહી આ વાત
Hardeep Singh Puri (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 5:22 PM
Share

રશિયા-યુક્રેન યુદ્ધની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે. સોમવારે યુરોપે રશિયા (Russia) પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરવાની ધમકી આપી હતી. આ પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (Crude oil) 17.89 % વધીને 118.11 ડોલરની સપાટીએ જઈને 139.13 ડોલર થઈ ગયો છે. 13 વર્ષ અને 8 મહિના પછી ક્રૂડનો ભાવ સર્વોચ્ચ સ્તરે છે. 24 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું. ત્યારે ક્રૂડ 96.84 ડોલર પ્રતિ બેરલ હતું. દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે 2 નવેમ્બર 2021 પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં (Petrol diesel prices) વધારો થયો નથી. આ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન હરદીપ સિંહ પુરીનું (Hardeep Singh Puri ) નિવેદન સામે આવ્યું છે.

“હરદીપ સિંહ પુરીનું કહેવું છે કે ચૂંટણીના કારણે અમે ભાવ વધાર્યા નથી. એવુ કહેવું ખોટું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેલની કિંમતો અંગે કંપનીઓએ નિર્ણય લેવો પડશે, કારણ કે તેમણે પણ બજારમાં ટકી રહેવાનું છે. આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો નક્કી કરવામાં આવે છે.

ટાંકી ભરાવાથી શુ થશે ?

હરદીપ સિંહ પુરીએ, રાહુલ ગાંધી ઉપર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યુ કે, એક અમારા યુવા નેતા છે. તેઓ કહે છે કે તમારા વાહનની ટાંકી જલ્દીથી ભરી લો, ચૂંટણી પૂરી થઈ ગઈ છે. પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તેલના ભાવ વધવાના હોવાથી ટાંકીઓ ભરવી જોઈએ. હરદીપ સિંહે કહ્યું, અત્યારે ટાંકી ભરો કે પછીથી ભરો. ક્યારેકને ક્યારેક તો ચૂંટણી આવવાની જ છે ને.

યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને સુરક્ષિત લવાઈ રહ્યા છે

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ભારતમાં તેલની કોઈ અછત નહીં થાય. હવે પછી પણ જે પણ નિર્ણયો લેવાશે તે નાગરિકોના હિતમાં લેવાશે. તેમણે કહ્યું કે ખાર્કિવ અને પિશોચિનમાંથી તમામ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે સુમીમાં 700 જેટલા વિદ્યાર્થીઓ હતા. તેઓ ત્યાંથી નીકળીને બસ મારફતે પોલ્ટોવા પણ જઈ રહ્યા છે. બાકીના તમામ બાળકોને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવામાં આવશે.

આ પણ વાંચોઃ

કોરોના મહામારી બાદ હવે ભારતની અર્થવ્યવસ્થા ફરીથી વેગ પકડી રહી છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આ પણ વાંચોઃ

Uttar Pradesh: ચૂંટણી પરિણામ પહેલા અખિલેશ યાદવે ચૂંટણી પંચને લખ્યો પત્ર, જાણો શું છે મામલો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">