અખિલેશ યાદવે આરોપ લગાવ્યો છે કે હજુ સુધી દોષિતો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અખિલેશ યાદવે આ મામલે તાત્કાલિક નિર્ણય લઈને વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
પશ્ચિમ બંગાળના સીએમ અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી રાજ્યમાં ચૂંટણીની વચ્ચે બનારસ પહોંચ્યા હતા. જ્યાં અનેક સંગઠનોએ મમતા બેનર્જીનો વિરોધ કર્યો હતો. આ સંદર્ભમાં 4 માર્ચ, 2022ના રોજ એસપીના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરીએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને ફરિયાદ કરી હતી. આ પત્રમાં એસપીએ આરોપ લગાવ્યો હતો કે મમતા બેનર્જીને Z+ શ્રેણીની સુરક્ષા મળી છે અને તેમના વારાણસી પ્રવાસનું શેડ્યૂલ પોલીસ અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રને મોકલવામાં આવ્યું છે. પરંતુ તેમની મુલાકાત દરમિયાન તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું.
તેના પત્રમાં સમાજવાદી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને પૂરતી સુરક્ષા આપવામાં આવી નથી. બનારસમાં લોકોએ લગભગ 30 મિનિટ સુધી પોલીસકર્મીઓની સામે મમતા બેનર્જીનો વિરોધ કર્યો. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે બધું જ પૂર્વ આયોજિત હતું. તેથી વિરોધ કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મમતા બેનર્જીએ સમાજવાદી પાર્ટીને સમર્થન આપ્યું હતું. તેમણે લખનૌમાં અખિલેશ યાદવની તરફેણમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને બાદમાં તેમણે વારાણસીમાં સમાજવાદી પાર્ટી માટે રેલી યોજી હતી. રાજ્યમાં સમાજવાદી પાર્ટીનું ટીએમસી સાથે ગઠબંધન હતું. ગયા વર્ષે બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ ટીએમસીને સમર્થન આપ્યું હતું. જો કે, એસપી ચીફે બંગાળમાં ટીએમની તરફેણમાં પ્રચાર કર્યો ન હતો.
આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે BSFનું નવું મિશન ‘સીમા ભવાની’ શરૂ, 36 સભ્યો 5,280 KMની મુસાફરી કરશે, જુઓ તસવીરો