Corona Vacciantion: 12થી 14 વર્ષના 50 લાખથી વધુ બાળકોએ લીધો વેક્સિનનો પ્રથમ ડોઝ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરી

ભારતમાં મંગળવારે કોવિડ-19ના 1,778 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,30,12,749 થઈ ગઈ છે.

Corona Vacciantion: 12થી 14 વર્ષના 50 લાખથી વધુ બાળકોએ લીધો વેક્સિનનો પ્રથમ ડોઝ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરી
Health Minister Mansukh Mandaviya (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 5:29 PM

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Union Health Minister Mansukh Mandaviya)એ બુધવારે કહ્યું કે ભારતે કોરોના રસીકરણ (Corona Vaccination)ના મામલે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ખુશી વ્યક્ત કરી અને માહિતી આપી કે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન હેઠળ ભારતમાં 12-14 વર્ષની વયના 50 લાખથી વધુ યુવાનોને કોરોના રસીનો (Corona Vaccine) પ્રથમ ડોઝ મળ્યો છે. દેશમાં આ મહિને 16 માર્ચથી 12-14 વર્ષની વયજૂથના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. અગાઉ, ભારતમાં રસીકરણ અભિયાનનો પ્રથમ તબક્કો 16 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયો હતો.

જણાવી દઈએ કે 15-18 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન 3 જાન્યુઆરી 2022થી શરૂ થયું હતું. 15 દિવસમાં 50 ટકા બાળકોને રસી આપવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધીમાં 181 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સરકારની ફ્રી-ઓફ-કોસ્ટ ચેનલ અને સીધી રાજ્ય પ્રાપ્તિ શ્રેણી દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 184.03 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. તે જ સમયે, મંત્રાલયે કહ્યું કે 16.97 કરોડથી વધુ રસીના ડોઝ હજુ પણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે, જે લોકોને આપવાના છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,778 નવા કેસ

ભારતમાં મંગળવારે કોવિડ-19ના 1,778 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,30,12,749 થઈ ગઈ છે. તે જ સમયે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 23,087 થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં વધુ 62 લોકોના મોત બાદ આ જીવલેણ વાયરસના ચેપને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,16,605 થઈ ગઈ છે.

સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 23 હજારની નજીક

દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 23,087 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.05 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 826નો ઘટાડો નોંધાયો છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.75 ટકા છે. ચેપનો દૈનિક દર 0.26 ટકા અને સાપ્તાહિક દર 0.36 ટકા નોંધાયો હતો. દેશમાં કોવિડ-19 માટે અત્યાર સુધીમાં કુલ 78.42 કરોડથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 6,77,218 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ‘1990ના દાયકામાં ભારતમાંથી ચોરાયેલી મૂર્તિઓ ભારત પરત લાવવામાં આવશે’, આર્ટ રિકવરી ઈન્ટરનેશનલે આપી માહિતી

આ પણ વાંચો: Ahmedabad : સાયબર ઓનલાઇન ફ્રોડથી બચજો, પેમેન્ટ કરવા કે લેવા માટે ક્યુ આર કોડ ન કરતા સ્કેન, જો સ્કેન કર્યો કોડ તો એકાઉન્ટ થશે ખાલી

Latest News Updates

ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
g clip-path="url(#clip0_868_265)">