જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ એક આતંકીને કર્યો ઠાર, તપાસ ચાલુ
કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન TRF સાથે સંકળાયેલા એક આતંકવાદીને ઠાર કર્યો છે. તેમજ હથિયારો અને દારૂગોળો સહિતની સામગ્રી મળી આવી હતી. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરના શોપિયાંના કટોહલાનમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન TRF સાથે સંકળાયેલા એક આતંકવાદીને ઠાર કર્યો છે. તેમજ હથિયારો અને દારૂગોળો સહિતની વાંધાજનક સામગ્રી મળી આવી હતી. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
Kashmir Zone Police tweets, “ShopianEncounterUpdate: One (01) terrorist affiliated with proscribed terror outfit TRF neutralised. Incriminating materials including arms & ammunition recovered. Search going on. Further details shall follow.” pic.twitter.com/T5luKDahOX
— ANI (@ANI) November 8, 2023
સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરના શોપિયાંના કાટોહલાન વિસ્તારમાં ગુરુવારે પ્રતિબંધિત સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સાથે જોડાયેલા એક આતંકવાદીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીના કબજામાંથી હથિયારો અને દારૂગોળો સહિતની વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે મેસર અહેમદ ડાર એક અઠવાડિયા પહેલા જ આતંકી સંગઠનમાં સામેલ થયો હતો.
#WATCH | J&K: An encounter broke out between terrorists and security forces in the Kathohalan area of Shopian. One terrorist affiliated with the proscribed terror outfit TRF was neutralised. Further details shall follow: Kashmir Zone Police
(Visuals deferred by unspecified time) pic.twitter.com/l3Uo80eKTH
— ANI (@ANI) November 9, 2023
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીની ઓળખ મેસર અહેમદ ડાર તરીકે કરી છે. તે તાજેતરમાં જ TRFમાં જોડાયો હતો. મેસર અહેમદ ડાર શોપિયાંના વેશરોનો રહેવાસી હતો. મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ તેને ઠાર માર્યો હતો.
કુપવાડામાં 5 આતંકવાદીઓ માર્યા ગયા
રિપોર્ટ અનુસાર, ગયા અઠવાડિયે શ્રીનગરની ઈદગાહમાં આતંકી હુમલો થયો હતો, જેમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર ઘાયલ થયો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી હતી કે ઇદગાહ પાસે આતંકવાદીઓએ ઇન્સ્પેક્ટર મસરૂર અહેમદ પર ગોળીબાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે TRFએ આ હુમલાની જવાબદારી લીધી હતી. લગભગ 15 દિવસ પહેલા સુરક્ષાદળોએ કુપવાડામાં પણ 5 આતંકીઓને ઠાર કર્યા હતા.
