અલ્હાબાદ હાઈકોર્ટની ચૂંટણી સ્થગિત કરવાની અપીલ પર અનુરાગ ઠાકુરે કહ્યું- ચૂંટણી ક્યારે થશે, તે ચૂંટણી પંચ નક્કી કરશે

કોર્ટે કહ્યું હતું કે જો શક્ય હોય તો ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીને એક-બે મહિના માટે સ્થગિત કરી દેવી જોઈએ, કારણ કે જો જીવન રહેશે તો ચૂંટણી રેલીઓ, સભાઓ થતી રહેશે.

અલ્હાબાદ હાઈકોર્ટની ચૂંટણી સ્થગિત કરવાની અપીલ પર અનુરાગ ઠાકુરે કહ્યું- ચૂંટણી ક્યારે થશે, તે ચૂંટણી પંચ નક્કી કરશે
Anurag Thakur - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 1:19 PM

અલ્હાબાદ હાઈકોર્ટની (Allahabad High Court) આગામી વિધાનસભાની ચૂંટણીને (Assembly Elections) મોકૂફ રાખવાની વિનંતી પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું કે જ્યારે ચૂંટણી પંચ આદર્શ આચારસંહિતા લાગુ કરશે ત્યારે તેણે નક્કી કરવાનું રહેશે કે ચૂંટણી ક્યારે યોજવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે એક કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને કોવિડ-19ની (Corona Virus) ત્રીજી લહેરના વધતા ડરને ધ્યાનમાં રાખીને ચૂંટણી રેલીઓ પર રોક લગાવવા અને આગામી વિધાનસભાની ચૂંટણીને મુલતવી રાખવા અંગે વિચારણા કરવા વિનંતી કરી હતી.

કોર્ટે કહ્યું હતું કે જો શક્ય હોય તો ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીને એક-બે મહિના માટે સ્થગિત કરી દેવી જોઈએ, કારણ કે જો જીવન રહેશે તો ચૂંટણી રેલીઓ, સભાઓ થતી રહેશે અને જીવવાનો અધિકાર આપણને ભારતીય બંધારણના અનુચ્છેદ 21 માં મૂળભૂત અધિકાર તરીકે પ્રાપ્ત થયો છે.

જસ્ટિસ શેખર કુમાર યાદવે એક કેસમાં અરજદારની જામીન અરજીને મંજૂરી આપતાં ગુરુવારે કહ્યું કે, કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના (Omicron) દર્દીઓની સંખ્યા વધી રહી છે અને ત્રીજી લહેર આવવાની સંભાવના છે. તેમણે કહ્યું કે આ ભયાનક રોગચાળાને ધ્યાનમાં રાખીને ચીન, નેધરલેન્ડ, જર્મની જેવા દેશોએ સંપૂર્ણ અથવા આંશિક લોકડાઉન લાદી દીધું છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

રેલીઓમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું અશક્ય – કોર્ટ તેમણે કહ્યું કે બીજી લહેરમાં અમે જોયું કે લાખો લોકોને ચેપ લાગ્યો અને લોકો મૃત્યુ પામ્યા. તેમણે કહ્યું, ગ્રામ પંચાયત અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને કારણે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા અને મૃત્યુ પામ્યા. હવે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક છે, જેના માટે તમામ પક્ષો રેલીઓ, સભાઓ વગેરે યોજીને લાખો લોકોને એકત્ર કરી રહ્યા છે, જ્યાં કોવિડ પ્રોટોકોલનું કોઈપણ રીતે પાલન કરવું શક્ય નથી. જો તેને સમયસર રોકવામાં નહીં આવે તો તેના પરિણામો બીજી લહેર કરતાં વધુ ભયાનક હશે.

તેમણે ચૂંટણી કમિશનરને વિનંતી કરી કે તેઓ આવી રેલીઓ, મેળાવડાને તાત્કાલિક બંધ કરે અને રાજકીય પક્ષોને ચેનલો અને અખબારો દ્વારા પ્રચાર કરવા આદેશ આપે. કોર્ટે કોવિડ-19 રસીકરણ અભિયાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતી વખતે, તેમને વિનંતી કરી હતી કે ભયાનક રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કડક પગલાં લેવા અને રેલીઓ, મેળાવડા અને ચૂંટણીઓને મોકૂફ રાખવાનું વિચારવું જોઈએ કારણ કે “જાન હૈ તો જહાન હૈ.”

આ પણ વાંચો : Omicron ના વધતા કેસ વચ્ચે હવે Delmicron નો ખતરો, જાણો તેની સાથે જોડાયેલી મહત્વની વાતો

આ પણ વાંચો : પહેલા અપમાન અને હવે બ્લાસ્ટ, CM અરવિંદ કેજરીવાલે રાજકીય ષડયંત્રની આશંકા વ્યક્ત કરી, મુખ્યપ્રધાન ચન્ની પર સાધ્યું નિશાન

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">