AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પહેલા અપમાન અને હવે બ્લાસ્ટ, CM અરવિંદ કેજરીવાલે રાજકીય ષડયંત્રની આશંકા વ્યક્ત કરી, મુખ્યપ્રધાન ચન્ની પર સાધ્યું નિશાન

પંજાબ સરકાર પર નિશાન સાધતા મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, જ્યાં સુધી રાજ્ય સરકાર ઈમાનદાર, પ્રતિબદ્ધ નહીં હોય ત્યાં સુધી આવી ઘટનાઓ ફરી બનશે.

પહેલા અપમાન અને હવે બ્લાસ્ટ, CM અરવિંદ કેજરીવાલે રાજકીય ષડયંત્રની આશંકા વ્યક્ત કરી, મુખ્યપ્રધાન ચન્ની પર સાધ્યું નિશાન
Delhi CM Arvind Kejriwal
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 12:23 PM
Share

દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજથી પંજાબની બે દિવસીય મુલાકાતે છે. પંજાબમાં (Punjab) અપમાન અને લુધિયાણા કોર્ટમાં બોમ્બ ધડાકા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે લુધિયાણામાં થયેલા વિસ્ફોટને શાંતિ ડહોળવાનું ષડયંત્ર ગણાવ્યું છે. સીએમ કેજરીવાલે કહ્યું કે ચૂંટણી (Assembly Election) પહેલા કેટલાક લોકો જાણી જોઈને આવું કરી રહ્યા છે. તેમને સખતમાં સખત સજા મળવી જોઈએ. હું પંજાબના લોકોને અપીલ કરું છું કે તેઓ આવી હરકતો સફળ ન થવા દે.

પંજાબ સરકાર પર નિશાન સાધતા મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, જ્યાં સુધી રાજ્ય સરકાર ઈમાનદાર, પ્રતિબદ્ધ નહીં હોય ત્યાં સુધી આવી ઘટનાઓ ફરી બનશે. જો તમે પંજાબમાં મજબૂત સરકાર આપો છો, તો તમે આવા ગુનાઓના માસ્ટરમાઇન્ડ્સને સજા કરશો. ચન્ની (Charanjit Singh Channi) સરકાર ખૂબ જ નબળી સરકાર છે. તેમણે કહ્યું, આ લોકો એકબીજામાં લડી રહ્યા છે અને તેમની પાસે પંજાબને સંભાળવાનો સમય નથી. આજે પંજાબને મજબૂત અને કાર્યક્ષમ સરકારની જરૂર છે.

મજીઠિયા સામે કેસ નોંધીને ખુશ પંજાબ સરકાર પર કટાક્ષ કરતા કેજરીવાલે કહ્યું કે, આ સરકારે કહ્યું હતું કે અમે એક મહિનામાં ડ્રગ્સને ખતમ કરીશું. પરંતુ તેમણે માત્ર અકાલી દળના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી મજીઠિયા વિરુદ્ધ ડ્રગ્સ કેસમાં કેસ કર્યો હતો. આ પછી નવજોત સિંહ સિદ્ધુ અને ચરણજીત સિંહ ચન્ની એવા ડાન્સ કરી રહ્યા છે જાણે કે કોઈ શાનદાર કામ કર્યું હોય. ચૂંટણી પહેલા આ એક રાજકીય સ્ટંટ છે.

ઘાયલો માટે વ્યક્ત કરી સંવેદના ગઈકાલે ટ્વિટ કરીને સીએમ કેજરીવાલે લખ્યું કે પહેલા અપમાન, હવે બ્લાસ્ટ. કેટલાક લોકો પંજાબની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે. પંજાબના 3 કરોડ લોકો તેમની યોજનાઓને સફળ થવા દેશે નહીં. આપણે એકબીજાના હાથ પકડવાના છે. સમાચાર સાંભળીને દુ:ખ થયું, મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના અને તમામ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું.

આ પણ વાંચો : Punjab Assembly Election 2022 : પંજાબ કોંગ્રેસના સાંસદો સોનિયા ગાંધીને મળ્યા, લુધિયાણા બોમ્બ બ્લાસ્ટ અને ચૂંટણીની વ્યૂહરચના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી

આ પણ વાંચો : Punjab: ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની મોટી જાહેરાત, પંજાબમાં ખેડૂતોની 2 લાખ સુધીની લોન માફ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">