AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake : દિલ્હી-NCRમાં ફરી જોરદાર ભૂકંપ, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 મપાઈ

દિલ્હી-NCRમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત ભૂકંપ આવ્યો છે, જેના કારણે લોકો ભયભીત છે. ભૂકંપ સાંજે 4:18 કલાકે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 હતી. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 હતી. તેનું કેન્દ્ર નેપાળ હતું અને ઊંડાઈ 10 કિલોમીટર હતી.

Earthquake : દિલ્હી-NCRમાં ફરી જોરદાર ભૂકંપ, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 મપાઈ
| Updated on: Nov 06, 2023 | 5:11 PM
Share

દિલ્હી-NCRમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત ભૂકંપ આવ્યો છે, જેના કારણે લોકો ગભરાઈ ગયા છે અને તેઓ પોતાના ઘર અને ઓફિસોમાંથી બહાર નીકળીને ખાલી મેદાનોમાં પહોંચી ગયા છે. ભૂકંપ સાંજે 4:18 કલાકે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 હતી. તેનું કેન્દ્ર નેપાળ હતું અને ઊંડાઈ 10 કિલોમીટર હતી. હાલમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

ગત સમયમાં મણિપુરના ચુરાચંદપુરમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NSC) એ જણાવ્યું હતું કે સાંજે 5:42 વાગ્યે પૃથ્વી ધ્રૂજી હતી. તે જ સમયે, અગાઉના દિવસે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સવારે 1 વાગ્યે 3.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પહેલા શુક્રવારે નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપના કારણે દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (NCR) અને ઉત્તર ભારતના કેટલાક અન્ય ભાગોમાં આંચકા અનુભવાયા હતા.

નેપાળમાં આવેલા ભૂકંપમાં 230 થી વધુ લોકોના મોત

શુક્રવારના ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી લગભગ 550 કિમી દૂર જાજરકોટ જિલ્લાના રામીદાંડા ખાતે હતું. આ ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. જાજરકોટ અને રૂકુમ પશ્ચિમ બે જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થયા હતા. જાજરકોટમાં ઓછામાં ઓછા 105 લોકો માર્યા ગયા અને એટલી જ સંખ્યામાં ઘાયલ થયા. રુકુમ પશ્ચિમમાં 52 લોકોના મોત અને 85 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો : નેપાળમાં આવ્યો 6.4નો ભૂંકપ, દિલ્હી, બિહાર, યુપી સહિતના રાજ્યોની ધ્રુજી ધરતી, જુઓ વીડિયો

નેપાળની સાથે છે ભારત – PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં ભૂકંપને કારણે થયેલા નુકસાન અંગે શક્ય તમામ મદદ આપવાની વાત કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે નેપાળમાં ભૂકંપના કારણે જાનહાનિ અને સંપત્તિના નુકસાનથી તેઓ ખૂબ જ દુઃખી છે. ભારત નેપાળના લોકો સાથે એકતામાં ઊભું છે અને તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. અમારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને અમે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">