AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેપાળમાં આવ્યો 6.4નો ભૂંકપ, દિલ્હી, બિહાર, યુપી સહિતના રાજ્યોની ધ્રુજી ધરતી, જુઓ વીડિયો

નેપાળમાં ભૂકંપને કારણે દિલ્હી-યુપી સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હોવાનું કહેવાય છે, જેની ઊંડાઈ 10 કિમી હતી. ખાસ વાત એ છે કે આ ભૂકંપના આંચકા દેશની રાજધાની દિલ્હી, યુપીની રાજધાની લખનઉ અને બિહારની રાજધાની પટના સહિત પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં અનુભવાયા હતા. જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

નેપાળમાં આવ્યો 6.4નો ભૂંકપ, દિલ્હી, બિહાર, યુપી સહિતના રાજ્યોની ધ્રુજી ધરતી, જુઓ વીડિયો
Sagar Solanki
| Edited By: | Updated on: Nov 04, 2023 | 6:01 AM
Share

નેપાળમાં ભૂકંપને કારણે દિલ્હી-યુપી સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હોવાનું કહેવાય છે, જેની ઊંડાઈ 10 કિમી હતી. ખાસ વાત એ છે કે આ ભૂકંપના આંચકા દેશની રાજધાની દિલ્હી, યુપીની રાજધાની લખનૌ અને બિહારની રાજધાની પટના સહિત પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં અનુભવાયા હતા. જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

શુક્રવારે મોડી રાત્રે દિલ્હી-યુપી સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. જેના આંચકા હરિયાણા, બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ અનુભવાયા હતા. પહેલો આંચકો રાત્રે 11:32 કલાકે આવ્યો હતો જે ઘણી સેકન્ડ સુધી ચાલ્યો હતો.

મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકાના કારણે અરાજકતા સર્જાઈ હતી. ભૂકંપનો પહેલો આંચકો રાત્રે 11.32 કલાકે અનુભવાયો હતો. સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર, તેનું ઉદગમ કેન્દ્ર નેપાળ હતું, જેની તીવ્રતા આશરે 6.4 માપવામાં આવી હતી. તેની ઉંડાઈ લગભગ 10 કિમી હોવાનું કહેવાય છે. અત્યારે આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યાં સુધી મળેલા સમાચાર મુજબ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ અને બિહારની રાજધાની પટનામાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા.

મોટા નુકસાનની આશંકા

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 હોવાને કારણે મોટા નુકસાનની આશંકા છે. હવામાન વિભાગ અને ક્લાઈમેટ ચેન્જના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતના જણાવ્યા અનુસાર, ભૂકંપની તીવ્રતા ઘણી વધારે હતી, તે મોટા પાયે જન સંપત્તિનો નાશ કરવામાં સક્ષમ છે. તેમનું કહેવું છે કે આવા ભૂકંપ પછીની સ્થિતિ ખૂબ જ ભયાનક છે. જોકે દિલ્હી અથવા ઉત્તર પશ્ચિમ આનાથી સુરક્ષિત છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">