તુર્કમેનિસ્તાનની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ કોવિંદે તેમના સમકક્ષ બર્દીમુહામેદોવ સાથે કરી મુલાકાત, ઘણા કરારો પર કર્યા હસ્તાક્ષર, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શનિવારે તુર્કમેનિસ્તાનના (Turkmenistan) રાષ્ટ્રપતિ બર્દીમુહામેદોવને મળ્યા હતા. આ બેઠકમાં દ્વિપક્ષીય અને પ્રાદેશિક સહયોગના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

તુર્કમેનિસ્તાનની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ કોવિંદે તેમના સમકક્ષ બર્દીમુહામેદોવ સાથે કરી મુલાકાત, ઘણા કરારો પર કર્યા હસ્તાક્ષર, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
President Ramnath Kovind and President of Turkmenistan
| Edited By: | Updated on: Apr 03, 2022 | 4:32 PM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) શનિવારે તુર્કમેનિસ્તાનના (Turkmenistan) રાષ્ટ્રપતિ બર્દીમુહામેદોવને (Serdar Berdimuhamedov) મળ્યા હતા. આ બેઠકમાં દ્વિપક્ષીય અને પ્રાદેશિક સહયોગના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોના નેતાઓ વચ્ચેની બેઠક અંગે વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમ) સંજય વર્માએ કહ્યું કે, બંને નેતાઓએ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 100 મિલિયન ડોલરથી ઓછો છે. આમાં પ્રગતિની વાત થઈ હતી. સંજય વર્માએ કહ્યું કે, ભારત અને તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિઓએ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વાતચીત કરી. તેઓએ નવા સ્થાપિત ભારત-મધ્ય એશિયા ફ્રેમવર્ક હેઠળના મુદ્દાઓ પર ધ્યાન આપ્યું હતું. આ બેઠકમાં વ્યવસાયિક હેતુઓ માટે કનેક્ટિવિટી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે વેપાર વધારવા માટે આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ કોરિડોર, અશગાબત કરાર અને ઈરાનના ચાબહાર પોર્ટના મહત્વ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ પ્રસ્તાવ મૂક્યો કે, બંને દેશો કોવિડ રસીના પ્રમાણપત્રોને માન્યતા આપે જેથી કરીને બંને દેશો વચ્ચે મુસાફરી સરળ બની શકે.

સંજય વર્માએ કહ્યું કે, ભારત અને તુર્કમેનિસ્તાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ સહિત સહયોગ માટે ચાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિને પણ ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. તે જ સમયે, આ બેઠક અંગે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કહ્યું કે, ભારત-પ્રશાંત સાથે ભારતનું જોડાણ ઘણી સદીઓ જૂનું છે. અમે ઈન્ડો-પેસિફિકમાં ખુલ્લી, સંતુલિત, નિયમો આધારિત અને સ્થિર આંતરરાષ્ટ્રીય વેપાર પ્રણાલી માટે ઊભા છીએ.

તેમણે કહ્યું કે, ‘ભારતીય વિદેશ નીતિનો મુખ્ય સ્તંભ નેબરહુડ ફર્સ્ટ પોલિસી છે. નેબરહુડ ફર્સ્ટની નીતિ કનેક્ટિવિટી, વેપાર અને રોકાણ વધારવાની છે. તાજેતરમાં ઈન્ડો-પેસિફિક જિયોપોલિટિક્સની પરિભાષામાં ઉમેરવામાં આવ્યું છે.’ યુક્રેન પર રશિયાના આક્રમણ અંગે કોવિંદે કહ્યું, ‘યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર ભારતની સ્થિતિ સ્થિર અને સુસંગત રહી છે. અમે બગડતી માનવતાવાદી પરિસ્થિતિ અંગે ખૂબ જ ચિંતિત છીએ અને હિંસાનો તાત્કાલિક અંત લાવવા અને સંવાદ અને મુત્સદ્દીગીરીના માર્ગ પર પાછા ફરવાની હાકલ કરીએ છીએ. અમે યુક્રેનને માનવતાવાદી સહાય પણ આપી છે. જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ કોવિડ શુક્રવારે ત્રણ દિવસની મુલાકાતે તુર્કમેનિસ્તાન પહોંચ્યા હતા. તેમને અહીં ઔપચારિક ‘ગાર્ડ ઓફ ઓનર’ પણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: દેશમાં 96 ટકા પોસ્ટ ઓફિસ સીબીએસ સાથે જોડાઈ, બેંક જેવી ઘણી સેવાઓ મળશે ઓનલાઈન

આ પણ વાંચો: Pakistan : સંસદ ભંગ થયા પછી પણ ઇમરાન ખાન રહેશ વડાપ્રધાન, સુપ્રિમ કોર્ટે મંજુર કરી વિપક્ષની અરજી

Published On - 4:31 pm, Sun, 3 April 22