AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan : સંસદ ભંગ થયા પછી પણ ઇમરાન ખાન રહેશ વડાપ્રધાન, સુપ્રિમ કોર્ટે મંજુર કરી વિપક્ષની અરજી

આજે પાકિસ્તાન સંસદમાં ઈમરાન ખાન વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવાયો હતો, આ સાથે 25 એપ્રિલ સુધી સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.ત્યારે હવે મળતી માહિતી મુજબ પાકિસ્તાનની સંસદ ભંગ કરવામાં આવી છે

Pakistan : સંસદ ભંગ થયા પછી પણ ઇમરાન ખાન રહેશ વડાપ્રધાન, સુપ્રિમ કોર્ટે મંજુર કરી વિપક્ષની અરજી
Imran Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 2:46 PM
Share

આજે પાકિસ્તાન (Pakistan) સંસદમાં ઈમરાન ખાન (Imran Khan) વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવાયો હતો, આ સાથે 25 એપ્રિલ સુધી સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.ત્યારે હવે મળતી માહિતી મુજબ પાકિસ્તાનની સંસદ ભંગ કરવામાં આવી છે, તેથી ઇમરાન ખાન કાર્યકારી વડાપ્રધાન તરીકે કાર્યરત રહેશે.પાકિસ્તાનમાં આકાર પામેલી રાજકીય ઘટના અંગે પાકિસ્તાનના સૈન્ય દ્વારા નિવેદન કરવામાં આવે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે

વિપક્ષે અયાઝ સાદિકને સ્પીકરની ખુરશી પર બેસાડ્યા

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર બહુપ્રતીક્ષિત મતદાન રવિવારે ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યું હતું. આજે એક મહત્વપૂર્ણ નેશનલ એસેમ્બલી સત્ર થવાની ધારણા હતી, પરંતુ તેના બદલે તે શરૂ થયાની થોડી મિનિટો પછી તેને રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ વિપક્ષે અયાઝ સાદિકને સ્પીકરની ખુરશી પર બેસાડી દીધા છે.

વિપક્ષની ફરિયાદ બાદ સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરી હતીઅવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વિપક્ષની ફરિયાદ બાદ સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરી છે. સાથે જ ઈમરાન ખાને ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું છે.

અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વિપક્ષની ફરિયાદ બાદ સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરી છે. સાથે જ ઈમરાન ખાને ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું છે.

સંયુક્ત વિપક્ષે 8 માર્ચે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. આ ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે ઈમરાન ખાનની સરકારની નીતિઓને કારણે દેશમાં મોંઘવારી વધી છે અને સરકારની આર્થિક નીતિઓ ખરાબ છે.

ઈમરાન ખાનને સરકારમાંથી હાંકી કાઢવા માટે વિપક્ષને નીચલા ગૃહમાં 342માંથી 172 સભ્યોના સમર્થનની જરૂર હતી. જ્યારે વિપક્ષે દાવો કર્યો છે કે તેમની પાસે 177 સભ્યોનું સમર્થન છે.

સંસદ ભંગ થયા પછી પણ ઈમરાન ખાન પીએમ રહેશે

સંસદ ભંગ થયા પછી પણ ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન રહેશે. તમને જણાવી દઈએ કે હવે થોડા સમય પછી પાકિસ્તાન સેના આ મામલે પોતાનું નિવેદન જાહેર કરવા જઈ રહી છે.

ઇમરાનને સંસદ ભંગ કરવાનો હક નથી – વિપક્ષ

ઇમરાન ખાન વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રદ કરવા પર વિપક્ષે સુપ્રિમ કોર્ટ જવાનો નિર્ણય લિધો છે, વિપક્ષે સુપ્રિમ કોર્ટથી સંવિધાન બચાવા ગુહાર લગાવી છે. વિપક્ષે તરફ સંસદ ભંગ કરવાનો અધિકાર નથી

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">