દેશને બદનામ ન કરો, આટલી આઝાદી ઈસ્લામિક દેશોમાં પણ નથી, મુસ્લિમ ધર્મગુરુનું મોટું નિવેદન
ભારતના મુસ્લિમો સામે એવો કોઈ પડકાર નથી. ઇસ્લામિક પ્રવૃત્તિની જેટલી સ્વતંત્રતા અહીંયા ઉપલબ્ધ છે તેટલી ગલ્ફ દેશોમાં પણ મળતી નથી.

ભારત જેવો કોઈ દેશ નથી. ઈસ્લામિક પ્રવૃતી કરવા માટે જેટલી ભારતમાં સ્વતંત્રતા છે તેટલી ગલ્ફ દેશોમાં પણ ઉપલબ્ધ નથી. ભારતના મુસ્લિમો કોઈ પડકારનો સામનો કરી રહ્યા નથી. કેરળના કોઝિકોડમાં સુન્ની સ્ટુડન્ટ ફેડરેશન (SSF) કોન્ફરન્સમાં અગ્રણી સુન્ની ધર્મગુરુઓએ આ વાતો કહી છે.
સમસ્થ કેરળ જામ-ઇયાતુલ ઉલામાના પોનમલા અબ્દુલખાદર મુસલિયારે કહ્યું કે જો તમે વિશ્વભરમાં નજર નાખો, તો તમને જણાશે કે ભારતમાં ઇસ્લામિક પ્રવૃત્તિની એટલી સ્વતંત્રતા છે જેટલી કોઈ દેશમાં નથી.
આ પણ વાચો: પાકિસ્તાનને લાગશે મોટો આંચકો, હવે મુસ્લિમ દેશોની સામે પાકિસ્તાન નહીં આલાપી શકે કાશ્મીર રાગ
પોનમલા અબ્દુલખાદર કાંથાપુરમ એપી અબુબકર મુસલિયર સેગમેન્ટના સેક્રેટરી છે, જેઓ તેમના વામપંથી વલણ માટે જાણીતા છે. તેમણે કહ્યું કે, ભારતમાં મુસ્લિમો કોઈ પડકારનો સામનો કરી રહ્યા નથી. જ્યારે તમે વિશ્વના દેશો પર નજર નાખો છો, ત્યાં અન્ય કોઈ દેશ નથી જ્યાં ઇસ્લામિક રીતે કામ કરવાની સુવિધા હોય જે અહીં કરે છે.
આતંકવાદને જીતવા ન દો
મુસલિયરે કહ્યું કે UAE, કતર, કુવૈત જેવા ગલ્ફ દેશોમાં પણ ભારત જેટલી સ્વતંત્રતા નથી. પૂર્વીય દેશો જેમ કે બહેરીન, અને સાઉદી અરેબિયા તેમજ મલેશિયા અને સિંગાપોરમાં, ભારતની જેમ ઇસ્લામિક પ્રથાઓમાં સામેલ થઈ શકતું નથી. તેમણે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની પણ ટીકા કરી હતી, તેમણે કહ્યું કે, દેશની સંસ્કૃતિને બદલવા માટે કોઈને મંજૂરી આપવી જોઈએ નહીં. તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદને જીતવા દેવો જોઈએ નહીં.
દેશને બદનામ કરવાની જરૂર નથી
સમસ્ત કેરળ જેમ-ઇયાતુલ ઉલમાના એપી કાંથાપુરમ અબુબકર મુસાલિયાર જૂથના વિદ્યાર્થી સંગઠન એસએસએફના રાજ્ય સંમેલનમાં રવિવારે એક ઠરાવ પસાર કર્યો, જેમાં કહ્યું કે સરકારની નીતિઓનો વિરોધ કરવા માટે દેશને બદનામ કરવાની જરૂર નથી. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે ઇસ્લામ ફાસીવાદ પ્રત્યેની નફરત અને તેના હિંસક સ્વભાવને રાષ્ટ્ર વિરુદ્ધ નફરતમાં ફેરવી શકે નહીં અને સરકારની નીતિઓનો વિરોધ કરવા માટે દેશને બદનામ કરવાની જરૂર નથી.
‘મુસ્લિમ સમુદાય વિશે ખોટા નિવેદનો ના કરે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નેતાઓ અને કાર્યકરોને સ્પષ્ટ ભાષામાં સંદેશ આપ્યો છે કે, તેઓ મુસ્લિમ સમુદાય વિશે ખોટા નિવેદનો ના કરે. દેશના મુસ્લિમોની વચ્ચે જાઓ અને તેમને મળો. વડા પ્રધાન મોદીએ ભાજપના કાર્યકરોને ખાસ કરીને શિક્ષિત મુસ્લિમ વ્યાવસાયિકો સુધી તેમનો સંદેશ પહોંચાડવા આહ્વાન કર્યું હતું. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને વ્હોરા સમુદાયના મુસ્લિમોને નામ લઈને મળવા અને તેમની વાત સાંભળવાની સૂચના આપી છે. પીએમએ તો ત્યાં સુધી કહ્યું કે, ફિલ્મો સામે બિનજરૂરી નિવેદનો ન આપો.