Delhi : મનિષ સિસોદિયાએ લીધી વેક્સિન, કહ્યુ લૉકડાઉન નહીં વેક્સિન છે સમાધાન

દિલ્લીના (Delhi) નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પોતાના પરિવાર સાથે દિલ્લીના મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે.

Delhi : મનિષ સિસોદિયાએ લીધી વેક્સિન, કહ્યુ લૉકડાઉન નહીં વેક્સિન છે સમાધાન
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 03, 2021 | 7:28 PM

દિલ્લીના (Delhi) નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પોતાના પરિવાર સાથે દિલ્લીના મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. કોરોના યોદ્ધાઓનો આભાર માનતા સિસોદિયાએ કહ્યુ કે વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોએ મુશ્કેલ સમયમાં વેક્સિન બનાવી તેના માટે દેશવાસીઓ તરફથી તેમને ખૂબ આભાર સાથે જ તેમણે દિલ્લીના લોકોને અપીલ કરતા કહ્યુ કે કોરોનાના નિયમોને પાલન કરી અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો વેક્સિન જરૂરથી લે. તેમણે વધુમાં જણાવ્યુ કે જ્યાં સુધી કોરોનાની ચેઇન ટૂટે તેટલી ઝડપથી વેક્સિનેશન નહીં થાય ત્યાં સુધી કોરોનાનો ભય રહેશે. અમારી કોરોના સામે લડવા અને વેક્સિનેશનની પ્રક્રિયા માટે પૂરી તૈયારી છે.

મનીષ સિસોદિયાએ કહ્યુ કે અમારી ભારત સરકારને અપીલ છે કે વેક્સિનની સપ્લાય વધારવામાં આવે અને 45 વર્ષથી નાની વયના લોકોને પણ ઉપલભ્ધ કરાવવામાં આવે. જો પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો હશે તો દિલ્લી સરકાર 3 થી 4 મહિનાની અંદર દિલ્લીના દરેક લોકો સુધી વેક્સિન પહોંચાડવા સક્ષમ છે. થોડા દિવસ પહેલા જ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારે દિલ્લીની લોક નાયક હોસ્પિટલમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો

મનીષ સિસોદિયા સાથે તેમની પત્નિ સીમા અને પરિવારના અન્ય સદસ્યો પણ હાજર હતા. નાયબ મુખ્યંત્રીને ભારત બાયોટેકની કોવેક્સિન લગાડવામાં આવી. વેક્સિન લેતી વખતે તેમણે કહ્યુ કે કોરોનાને રોકવા માટે લૉકડાઉન સમાધાન નથી ફક્ત વેક્સિનેશનથી જ કોરોના પર કાબુ મેળવી શકાશે

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">