Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Riots: દિલ્હી હાઈકોર્ટે રમખાણ કેસમાં સોનિયા-રાહુલ-પ્રિયંકા ગાંધી અને અનુરાગ ઠાકુરને મોકલી નોટિસ, પૂછ્યું- કેસ કેમ નોંધવામાં ન આવે

તમને જણાવી દઈએ કે 23 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં રમખાણો થયા હતા. આ રમખાણોમાં 26 ફેબ્રુઆરી સુધી લગભગ 53 લોકોના મોત થયા હતા.

Delhi Riots: દિલ્હી હાઈકોર્ટે રમખાણ કેસમાં સોનિયા-રાહુલ-પ્રિયંકા ગાંધી અને અનુરાગ ઠાકુરને મોકલી નોટિસ, પૂછ્યું- કેસ કેમ નોંધવામાં ન આવે
Delhi High Court - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 5:38 PM

દિલ્હી રમખાણો (Delhi Riots) મામલે હાઈકોર્ટે મોટી કાર્યવાહી કરી છે. દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) અનેક મોટી રાજકીય હસ્તીઓને નોટિસ પાઠવી છે. નોટિસ મોકલીને કોર્ટે તેમને રમખાણ કેસમાં પક્ષકાર તરીકે કેસ ચલાવવા અંગે પ્રશ્ન પૂછ્યો છે. દિલ્હી હાઈકોર્ટે રમખાણ કેસમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને નોટિસ મોકલી છે. આ સાથે ભાજપના ઘણા મોટા નેતાઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, બીજેપી સાંસદ પરવેઝ વર્મા અને કપિલ મિશ્રાના નામ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી હાઈકોર્ટે નોટિસ પર જવાબ દાખલ કરવા માટે 4 માર્ચ સુધીનો સમય આપ્યો છે. એક અરજીની સુનાવણી બાદ કોર્ટે આ નોટિસ આપી છે.

વાસ્તવમાં રમખાણોના મામલામાં દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે રમખાણોને ઉશ્કેરવા બદલ કેટલાક રાજકારણીઓ અને અન્યો સામે એફઆઈઆર નોંધવાની માગ કરી હતી. છેલ્લી સુનાવણીમાં દિલ્હી હાઈકોર્ટે પૂછ્યું હતું કે શું આ એ જ લોકો છે જેમની વિરુદ્ધ આરોપો લગાવવામાં આવ્યા છે. કોર્ટે પૂછ્યું હતું કે આ લોકો કેસમાં પક્ષકાર છે.

23 ફેબ્રુઆરી 2020ના રોજ રમખાણો ફાટી નીકળ્યા હતા

દિલ્હી હાઈકોર્ટે પૂછ્યું હતું કે શું તેમની વાત સાંભળ્યા વિના ધરપકડ માટેની અરજી પર આગળ કાર્યવાહી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે 23 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં રમખાણો થયા હતા. આ રમખાણોમાં 26 ફેબ્રુઆરી સુધી લગભગ 53 લોકોના મોત થયા હતા. ઉત્તર પૂર્વ દિલ્હીમાં રમખાણોમાં લગભગ 581 લોકો ઘાયલ થયા હતા. રમખાણોના કેસમાં પોલીસે 755 FIR નોંધી હતી. નોંધાયેલા કેટલાક કેસોની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 20-04-2025
Health Tips : રાત્રિની આ આદત ઘટાડી શકે છે તમારી ઉંમર, થઈ જાઓ સાવધાન
કયા સમયે મોબાઈલને સ્પર્શ ન કરવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
અહીં થી કરી લો MBA, મળી શકે છે 72 લાખ રૂપિયાનું પેકેજ !
TMKOC ના બબીતા ​​જી કોને ડેટ પર લઈ જવા માંગે છે ?
શું જાંબુના બીજ ડાયાબિટીસ કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે?

કોંગ્રેસના મોટા નેતાઓ પાસેથી માંગ્યા જવાબ

કેટલાક આરોપીઓને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. એક અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે કેટલાક મોટા રાજનેતાઓને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. કોર્ટે દરેકને પૂછ્યું છે કે આ કેસમાં પક્ષકાર તરીકે તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. 4 માર્ચ સુધીમાં દરેકે પોતાનો જવાબ કોર્ટમાં દાખલ કરવાનો રહેશે.

આ પણ વાંચો : Maharashtra: સુપ્રીમ કોર્ટે OBC અનામતની સુનાવણી તારીખ લંબાવી, જાણો શું છે મામલો

આ પણ વાંચો : યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈને મહારાષ્ટ્ર ચિંતિત, NCP વડા શરદ પવારે વિદેશ મંત્રી જયશંકર સાથે કરી ચર્ચા

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
g clip-path="url(#clip0_868_265)">