Delhi: કોરોના સામે લડવા કેબિનેટે 1,544 કરોડનું બજેટ કર્યું મંજૂર, CMએ કહ્યું ‘ત્રીજી લહેરની તૈયારી’

દિલ્હીમાં કોરોનાના કેસ હજુ પૂરા થયા નથી. છેલ્લા 24 કલાકમાં, 40 નવા કેસ આવ્યા, જેના પછી કેસની કુલ સંખ્યા વધીને 1,440,003 થઈ ગઈ.

Delhi: કોરોના સામે લડવા કેબિનેટે 1,544 કરોડનું બજેટ કર્યું મંજૂર, CMએ કહ્યું 'ત્રીજી લહેરની તૈયારી'
Manish Sisodia & Arvind Kejriwal File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 7:22 AM

Delhi: દિલ્હી કેબિનેટે શુક્રવારે ઇમરજન્સી કોવિડ-19 (Covid-19) રિસ્પોન્સ પેકેજ (ECRP) હેઠળ રૂ. 1,544 કરોડના બજેટને મંજૂરી આપી હતી. આ રકમનો ઉપયોગ રોગચાળાની ત્રીજી લહેરને સંભાવનાને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્રને મજબૂત કરવા માટે કરવામાં આવશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) આ જાણકારી આપી હતી.

કેજરીવાલે કહ્યું, “કેબિનેટ સર્વસંમતિથી હતું કે કોરોના (વાયરસ) હજી સમાપ્ત થયો નથી અને ત્રીજી લહેર આવી શકે છે. તેથી, કોવિડ -19 ના ફેલાવાના નિયંત્રણ અને નિવારણ અંગે કોઈ ખચકાટ ન હોવો જોઈએ. આ દિશામાં, દિલ્હી કેબિનેટે કોરોના સામેની લડાઈને મજબૂત કરવા માટે રાજ્ય ECRP 2021-22 માટે 1,544.24 કરોડ રૂપિયાના બજેટને સર્વસંમતિથી મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે કોવિડ-19 ની ત્રીજી લહેર આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકાર આરોગ્ય પ્રણાલીને મજબૂત કરવા અને દરેક સ્તરે તૈયારી કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

દિલ્હીમાં કોરોના કેસ દિલ્હીમાં કોરોનાના કેસ હજુ પૂરા થયા નથી. છેલ્લા 24 કલાકમાં, 40 નવા કેસ આવ્યા, જેના પછી કેસની કુલ સંખ્યા વધીને 1,440,003 થઈ ગઈ. છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી. દિલ્હીમાં અત્યાર સુધીમાં 25,091 દર્દીઓ આ વાયરસથી જીવ ગુમાવી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 57 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 1,414,609 દર્દીઓ સાજા થયા છે. દિલ્હીમાં કુલ 303 સક્રિય કેસ છે.

દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે દેશમાં કોરોના વાયરસનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,729 નવા કેસ નોંધાયા છે. હવે કેસની કુલ સંખ્યા વધીને 34,333,754 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 221 દર્દીઓના મોત થયા છે, ત્યારબાદ કુલ મૃત્યુઆંક 459,873 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 12,165 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 33,724,959 લોકો સાજા થયા છે. દેશમાં હવે 148,922 સક્રિય કોરોના દર્દીઓ છે.

આ પણ વાંચો: કચ્છના પ્રવાસન સ્થળોએ પર્યટકોની ભીડ, તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસી પહોંચ્યા

આ પણ વાંચો: પાટણ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">