AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, શોપિયાંમાં 3 આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. વિસ્તારમાં દળો તૈનાત છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. એજન્સીઓના જરૂરી ઇનપુટ બાદ, સૈન્ય દ્વારા આતંકવાદીઓને ઠાર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, શોપિયાંમાં 3 આતંકવાદીઓ ઠાર
Jammu and KashmirImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2022 | 8:40 AM
Share

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન હાથ કર્યું છે. કાશ્મીર ખીણ વિસ્તારની શાંતિ છીનવી લેનારા આ આતંકવાદીઓને, સૈન્ય જવાનો દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા મળેલા એક ઇનપુટ પછી, શોપિયાંમાં આજે એન્કાઉન્ટર શરૂ કરાયું છે. જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લાના મુંઝ માર્ગ વિસ્તારમાં, સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે, એમ ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરવાની પ્રક્રીયા ચાલી રહી છે.

કાશ્મીર ઝોન પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા 03 આતંકવાદીઓ, સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં માર્યા ગયા છે. આ ત્રણેય આતંકવાદીઓની ઓળખ સહીતની બાકીની વિગતોની તપાસ ચાલી રહી છે. આ આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ક્યાથી પહોંચ્યા હતા. તેમને અહીં કોણે કોણે મદદ કરી? આ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ એક ટ્વિટમાં, કાશ્મીર ઝોન પોલીસે કહ્યું હતું કે, “આ એન્કાઉન્ટર શોપિયાં જિલ્લાના મુંઝ માર્ગ વિસ્તારમાં શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો મોરચા પર તહેનાત છે.

રાજૌરી આર્મી કેમ્પ ફાયરિંગ મુદ્દે SITની રચના કરી

જમ્મુ અને કાશ્મીર પોલીસે સોમવારે રાત્રે રાજૌરી જિલ્લામાં આર્મી કેમ્પની બહાર ફાયરિંગની ઘટનાની તપાસ કરવા માટે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી હતી. આર્મી કેમ્પની બહાર ફાયરિંગની ઘટનામાં બે નાગરિકો માર્યા ગયા હતા. શુક્રવારે, આ ઘટનાના વિરોધમાં વ્યાપક વિરોધ થયો હતો. સમગ્ર ઘટનામાં બે નાગરિકો માર્યા ગયા હતા અને અન્ય કેટલાક ઘાયલ થયા હતા. લોકોએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. સેનાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે કેટલાક અજાણ્યા આતંકવાદીઓએ કેમ્પ પર ગોળીબાર કર્યો હતો, જ્યારે પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે, ગેટ પર તૈહેનાત એક જવાને સ્થાનિકો પર ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે નાગરિકો માર્યા ગયા હતા.

( With input PTI )

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">