જમ્મુ-કાશ્મીર: પોલીસે શોપિયાંમાંથી લશ્કરનો સક્રિય આતંકવાદી ઝડપી પાડ્યો, દારૂગોળો પણ મળી આવ્યો

જમ્મુ-કાશ્મીરની શોપિયા પોલીસે લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, શોપિયાંમાં લશ્કરનો સક્રિય આતંકવાદી આદિલ ગની ડારની રવિવારે ધરપકડ કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીર: પોલીસે શોપિયાંમાંથી લશ્કરનો સક્રિય આતંકવાદી ઝડપી પાડ્યો, દારૂગોળો પણ મળી આવ્યો
ઝડપાયેલો આતંકવાદી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2022 | 11:26 PM

જમ્મુ-કાશ્મીરની (Jammu Kashmir) શોપિયા પોલીસે લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, શોપિયાંમાં લશ્કરનો સક્રિય આતંકવાદી આદિલ ગની ડારની રવિવારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, તેની શોપિયાંના મોહંદપોરાથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે એમ પણ કહ્યું કે, આતંકવાદી પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો છે. આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે ભારતીય સેના આતંકવાદીઓને પકડવા માટે ઓપરેશન ચલાવી રહી છે.

ભારતીય સેના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી ઓપરેશન ચલાવી રહી છે અને આ ઓપરેશન અંતર્ગત સેનાએ ગુરુવારે બારામુલામાંથી લશ્કરના એક આતંકવાદીની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં આ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલાની માહિતી આપતા પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, એક આતંકી ફરાર છે, જેની શોધ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સેનાએ સર્ચ પાર્ટી પર હુમલો કરનાર એક આતંકીને પણ ઠાર કર્યો હતો. આ ઘટનામાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો હતો જેનું હોસ્પિટલમાં મોત થયું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ વધી છે

પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આતંકવાદીનું નામ નિસાર અહેમદ ભટ્ટ છે. જે સ્થાનિક સ્તરે લશ્કરની આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપતો હતો. તે જ સમયે ઉસ્માન નામનો પાકિસ્તાની નાગરિક ભાગી ગયો હતો. જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના સમયમાં આતંકવાદી ગતિવિધિઓ વધી છે. તાજેતરમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિની યજમાની કરી હતી. ભારતે UNSC પેનલને કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ વધી છે.

UN પાકિસ્તાનને FATFમાંથી બહાર કરવા પર વિચાર કરશે

મુંબઈમાં યુએનએસસીની આતંકવાદ વિરોધી સમિતિની બેઠકમાં ગૃહ મંત્રાલયના અધિકારી સફી રિઝવીએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં 2018ના મધ્યમાં 600 આતંકવાદી કેમ્પ હતા જે ઘટીને 150 થઈ ગયા. આ પછી 2021થી સપ્ટેમ્બર 2022 સુધીમાં આતંકવાદી ઠેકાણાઓની સંખ્યા ઝડપથી વધીને 225 થઈ ગઈ છે. તાજેતરમાં FATFએ પાકિસ્તાનને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવા, ટેરર ​​ફંડિંગ જેવા આરોપોમાંથી મુક્ત કર્યા હતા અને પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી મુક્ત કર્યું હતું. ભારતે યુએન પેનલને કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રએ આ મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">