સારા સમાચાર : તહેવારોની સીઝનમાં મોટી રાહત, ખાદ્યતેલના ભાવમાં 15 થી 20 રૂપિયાનો ઘટાડો થવાની શક્યતા

ખાદ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના આ પગલાથી (ખાદ્યતેલો પર આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવાથી ) ભારતમાં ખાદ્ય તેલોના સ્થાનિક ભાવમાં ઘટાડો થઇ શકે છે. તેનાથી ગ્રાહકોને 15 થી 20 રૂપિયા પ્રતિ કિલોનો ફાયદો થશે.

સારા સમાચાર : તહેવારોની સીઝનમાં મોટી રાહત, ખાદ્યતેલના ભાવમાં 15 થી 20 રૂપિયાનો ઘટાડો થવાની શક્યતા
Centre directs state to pass on rs 15 to 20 per kg post import duty cut on edible oil prices to customer ahead of festival season
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 11:57 PM

તહેવારોની સીઝનમાં કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને સસ્તા ખાદ્ય તેલ મળે તે માટે અનેક પગલાં લીધા છે. આ અંતર્ગત, આયાતી કાચા ખાદ્યતેલ પર બેઝિક કસ્ટમ ડ્યુટીના દરો અને કેટલાક શુદ્ધ તેલ માટે ડ્યુટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આયાત ડ્યૂટીમાં ઘટાડા બાદ રિટેલ ખાદ્યતેલના ભાવ પ્રતિ કિલો 15 થી 20 રૂપિયા સુધી ઘટવાની ધારણા છે.

કેન્દ્ર સરકારે ગુરુવારે 8 મુખ્ય ખાદ્યતેલ ઉત્પાદક રાજ્યોને સરકારના આ નિર્ણયનો લાભ સામાન્ય ગ્રાહકો સુધી પહોંચાડવાની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે. ખાદ્ય તેલના ભાવ ઘટાડવા માટે લેવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કરીને ખાદ્ય મંત્રાલયે આ સંદર્ભે આ રાજ્યોને પત્ર લખ્યો છે. મંત્રાલયે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશને પત્ર લખીને સૂચનાઓ જાહેર કરી છે.

પ્રતિ કિલો15 થી 20 રૂપિયાનો ફાયદો થશે બુધવારે કેન્દ્રની મોદી સરકારે ક્રૂડ પામ, સૂર્યમુખી અને સોયાબીન તેલની જાતો પર મૂળભૂત કસ્ટમ ડ્યૂટી નાબૂદ કરી. સાથોસાથ, રસોઈ તેલના છૂટક ભાવ ઘટાડવા માટે રિફાઈન્ડ ખાદ્ય તેલ પરની ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ખાદ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના આ પગલાથી (ખાદ્યતેલો પર આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવાથી) ભારતમાં ખાદ્યતેલોની સ્થાનિક કિંમતોમાં ઘટાડો લાવી શકે છે. તેનાથી ગ્રાહકોને 15 થી 20 રૂપિયા પ્રતિ કિલોનો ફાયદો થશે. મંત્રાલયે તમામ મુખ્ય ખાદ્યતેલ ઉત્પાદક રાજ્યોને “યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી” કરવા માટે લખ્યું છે જેથી ખાદ્ય તેલોના ભાવ આયાત ડ્યુટીમાં ઘટાડા સાથે સમાન સ્તરે લાવવામાં આવે.

તહેવારોની સિઝનમાં લોકોને રાહત મળશે કેન્દ્રએ કહ્યું છે કે હવે રાજ્ય સરકારો પર નિર્ભર કરે છે કે કેન્દ્ર દ્વારા કાપવામાં આવેલા ડ્યુટીનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપવામાં આવે, જેથી સામાન્ય લોકોને ખાદ્યના પ્રવર્તમાન ઉંચા ભાવોમાંથી તાત્કાલિક રાહત મળે. આગામી તહેવારોની સીઝનમાં તેલ. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ખાદ્ય ફુગાવો ઘટાડવામાં અને ખાદ્ય તેલના ભાવમાં લગભગ 15-20 રૂપિયા પ્રતિ કિલો ઘટાડવામાં પણ મદદ કરશે.

કપાત પછી ક્રૂડ પામ તેલ પર અસરકારક કસ્ટમ ડ્યુટી 8.25 ટકા છે, જ્યારે ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પર 5.5 ટકા છે. અગાઉ આ ત્રણ કાચા માલ પર અસરકારક ડ્યુટી 24.75 ટકા હતી. 14 ઓક્ટોબરથી આયાત ડ્યૂટી અને સેસમાં ઘટાડો 31 માર્ચ, 2022 સુધી લાગુ રહેશે. ક્રૂડ પામ ઓઇલ, ક્રૂડ સોયાબીન ઓઇલ અને ક્રૂડ સનફલાવર ઓઇલ પર એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ (AIDC) પણ ઘટાડવામાં આવ્યો છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">