ગોળીનો જવાબ ગોળીથી જ અપાશે, કલમ 370 ફરી નહીં આવે, નૌશેરામાં આતંકવાદ-વિપક્ષ-પાકિસ્તાનને અમિત શાહનો સીધો જવાબ

|

Sep 22, 2024 | 1:59 PM

અમિત શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં એનસી-કોંગ્રેસની સરકાર ક્યારેય નહીં બને. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાંથી તેના અધિકારો છીનવી લીધા. કાશ્મીરના લોકોને 70 વર્ષથી તેમનો અધિકાર મળ્યો નથી. વિપક્ષ કલમ 370 પરત લાવવાની વાત કરી રહ્યો છે, પરંતુ અહીં હવે કલમ 370 ફરીથી નહીં આવે. કાશ્મીરમાં ફક્ત આપણો તિરંગો જ લહેરાશે. ગોળીઓનો જવાબ ગોળીઓથી જ આપવામાં આવશે.

ગોળીનો જવાબ ગોળીથી જ અપાશે, કલમ 370 ફરી નહીં આવે, નૌશેરામાં આતંકવાદ-વિપક્ષ-પાકિસ્તાનને અમિત શાહનો સીધો જવાબ

Follow us on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં ચૂંટણી જાહેરસભાને સંબોધિત કરતા નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આ બંને પક્ષોની સરકાર નહીં બને. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાંથી લોકોના અધિકારો છીનવી લીધા હતા. કાશ્મીરના લોકોને 70 વર્ષથી તેમનો અધિકાર મળ્યો નથી. કલમ 370 નાબૂદ થયા બાદ કાશ્મીરમાં લોકોને તેમના વાસ્તવિક અધિકારો મળ્યાં છે. વિપક્ષ કલમ 370 પરત લાવવાની વાત કરી રહ્યો છે. પરંતુ હવે જમ્મુ કાશ્મીરમાં ક્યારે કલમ 370 ફરી પાછી નહીં આવે.

શાહે કહ્યું કે આજે જમ્મુ-કાશ્મીરમાં આપણો ત્રિરંગો આન, બાન અને શાનથી લહેરાયો છે, પરંતુ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના લોકો કહે છે કે, તેઓ શેખ અબ્દુલ્લાનો ઝંડો પાછો લાવવા માંગે છે. ફારુક સાહેબ, તમે ઇચ્છો તેટલું બળ વાપરો… પણ હવે કાશ્મીરમાં ફક્ત આપણો પ્રિય ત્રિરંગો જ લહેરાશે. ગોળીઓનો જવાબ ગોળીઓથી આપવામાં આવશે. મોદી સરકારે આતંકવાદને નરકમાં દાટી દીધો છે.

સારા પ્રસંગમાં દરેકના ઘરે બનતો ઘઉંના લોટનો કંસાર આ રીતે બનાવો
શું વાત કરતા કરતાં તમારો ફોન કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે? જાણો કારણ
નીતા અંબાણી આકાશ-શ્લોકાની પુત્રી સાથે કર્યું ટ્વિનિંગ, જુઓ દાદી અને પૌત્રીનો ધમાકેદાર ડાન્સ
Bank of Baroda આપી રહી છે SBI કરતા સસ્તી કાર લોન, 5 વર્ષ માટે 8,00,000 ની લોન પર EMI કેટલી?
કરીના લાગી કિલર, જન્મદિવસ પર બેબોએ શેર કરી ગ્લેમરસ તસવીરો
સાંજે ઘરના દરવાજા પર રાખો આ 1 વસ્તુ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન!

આતંકવાદ ખતમ થાય પછી જ પાકિસ્તાન સાથે વાત

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદ ખતમ નહીં થાય ત્યાં સુધી અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ. આતંકવાદ ખતમ થયા પછી જ પાકિસ્તાન સાથે વાતચીત થશે. વિપક્ષ નિયંત્રણ રેખા ઉપર વેપાર પુનઃસ્થાપિત કરવા અને પથ્થરબાજોને મુક્ત કરવા માંગે છે. હું તમને ખાતરી આપું છું કે જમ્મુ-કાશ્મીરમાં કોઈ આતંકવાદી આઝાદીથી ફરી શકશે નહીં.

તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં 30 વર્ષ સુધી આતંકવાદ ચાલુ રહ્યો. જમ્મુ-કાશ્મીરમાં 30 વર્ષમાં 3 હજાર દિવસ કર્ફ્યુ હતો. 40 હજાર લોકો માર્યા ગયા. ફારૂક સાહેબ, તે દિવસોમાં તમે ક્યાં હતા ? કાશ્મીર સળગી રહ્યું હતું ત્યારે ફારૂક સાહેબ લંડનમાં આરામથી રજા માણી રહ્યા હતા. મોદીજી આવ્યા ત્યારે અમે એક એક આતંકવાદીઓને વીણી વીણીને ખતમ કર્યા.

અમે આરક્ષણ ખતમ થવા દઈશું નહીં

શાહે કહ્યું કે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે કહ્યું છે કે અમે પહાડી, ગુર્જર બકરવાલ, દલિત, વાલ્મિકી અને ઓબીસી સમુદાયોને આપવામાં આવેલા આરક્ષણ પર પુનર્વિચાર કરીશું. રાહુલ ગાંધી અમેરિકા જઈને અનામત ખતમ કરવાની વાત કરે છે. હવે તેમનો વિકાસ થયો છે, તેમને હવે અનામતની જરૂર નથી. રાહુલ બાબા, અમે તમને આરક્ષણ દૂર કરવા નહીં દઈએ.

કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ પહાડી ભાઈ-બહેનો પાસેથી 70 વર્ષથી અનામતનો અધિકાર છીનવી લીધો હતો. પહાડીઓને અનામત ન આપવાનો કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપીનો નિર્ણય હતો. મોદીજીએ કહ્યું કે જેને જે કરવું હોય તે કરી શકે છે. અમે પહાડીઓને અનામત આપીશું. અને આજે પહાડી લોકોને જમ્મુ કાશ્મીરમાં અનામત આપવામાં આવી છે.

Next Article