Bulldozer Row : બુલડોઝર પર સુપ્રીમકોર્ટનુ બુલડોઝર, આગામી સપ્તાહે હાથ ધરાશે સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જમિયતના વકીલ ચંદ્ર ઉદય સિંહે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં જે થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને એક ખાસ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. જમિયતના વકીલે કહ્યું કે લોકોને સાંભળવાની તક આપવી જોઈએ.

Bulldozer Row : બુલડોઝર પર સુપ્રીમકોર્ટનુ બુલડોઝર, આગામી સપ્તાહે હાથ ધરાશે સુનાવણી
Supreme court Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 1:11 PM

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ વિશે આપેલા વાંધાજનક નિવેદનના વિરોધમાં ઉત્તર પ્રદેશમાં હિંસક ઘટનાઓ બાદ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા લેવામાં આવેલા બુલડોઝરના (Bulldozer) પગલા સામે જમિયત ઉલેમા-એ-હિંદની ( Jamiat Ulema-e-Hind ) અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) સુનાવણી હાથ ધરી છે. આ સુનાવણી આગામી સપ્તાહ સુધી મુલતવી રાખવામાં આવી છે. સુપ્રીમકોર્ટે યુપી સરકાર પાસે આ મામલે એફિડેવિટ માંગી છે, જેના પર સરકારે ત્રણ દિવસનો સમય માંગ્યો છે. જેના પર કોર્ટે સુનાવણી આવતા સપ્તાહ સુધી મુલતવી રાખી છે. તેમજ કહ્યું હતું કે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જમિયતના વકીલ ચંદ્ર ઉદય સિંહે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં જે થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને એક ખાસ સમુદાયને જ નિશાન બનાવવામાં આવી રહ્યો છે. જમિયતના વકીલે પણ કહ્યું કે લોકોને સાંભળવાની તક આપવી જોઈએ.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

જ્યારે ઉત્તર પ્રદેશ સરકાર વતી એવી દલીલ કરવામાં આવી હતી કે બુલડોઝરની કાર્યવાહી અંગે 10 મેના રોજ નોટિસ મોકલવામાં આવી હતી, નોટિસનો જવાબ નહીં મળતા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર સનસનાટી ફેલાવવામાં આવી રહી છે. સરકાર કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ કામ કરી રહી નથી.

અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે ડિમોલિશનની કાર્યવાહી કરતા પહેલા ઓછામાં ઓછા 15 દિવસની નોટિસ આપવી જોઈએ અને 40 દિવસનો સમય આપવો જોઈએ જેથી કરીને પીડિત લોકો અપીલ કરી શકે, આમ તેમને ડિમોલિશન અટકાવવા માટે બંધારણીય અને અન્ય પગલાં લેવાની તક મળે.

આ અંગે ઉત્તર પ્રદેશ સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અરજદારો તથ્યો બદલીને રજૂઆત કરી રહ્યા છે. જહાંગીપુરી કેસમાં એક પણ પીડિતા કોર્ટમાં આવી નથી. સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું કે દરેકનો પોતાનો એજન્ડા હોય છે. એક રાજકીય પક્ષ વતી અરજી દાખલ કરવામાં આવી છે. યુપી પ્રશાસન તરફથી હાજર રહેલા હરીશ સાલ્વેએ કહ્યું કે આ મામલે કોર્ટમાં કોણ આવ્યું તે જોવું જોઈએ ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">