Breaking News: આજે રાત્રે 8.30 વાગ્યે PM મોદી રાષ્ટ્રજોગ કરશે સંબોધન
ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશજોગ સંબોધન કરવાના છે. આ પહેલા મોદીએ 8 નવેમ્બર 2016માં નોટબંધી સમયે પણ રાત્રે જ દેશને સંબોધિત કર્યો હતો. જો કે હાલ મનાઈ રહ્યુ છે કે વડાપ્રધાનનું આ સંબોધન નારી શક્તિ વંદન અધિનિયમ ને સંબંધિત હોઈ શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. આ સંબોધન એવા સમયે કરવામાં આવી રહ્યુ છે જ્યારે, એક દિવસ પહેલા જ, મહિલા અનામત બિલ લોકસભામાં પાસ નથી થઈ શક્યુ. લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે, NDA સરકાર નીચલા ગૃહ લોકસભામાંમાં ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ (મહિલા સશક્તિકરણ કાયદો) પસાર કરવામાં અસમર્થ રહી. છેલ્લા 12 વર્ષમાં આ પહેલી ઘટના છે જ્યાં મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલ બિલ મતદાન પછી સંસદમાં નિષ્ફળ ગયું છે. એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન આ બિલ અંગે ખાસ રાષ્ટ્રજોગ સંબોધન કરી શકે છે.
વિપક્ષે કર્યો આકરો વિરોધ
એક દિવસ પહેલા જ, લોકસભમાં વિપક્ષના વિરોધને કારણે મહિલા અનામત બિલ નિષ્ફળ ગયુ હતુ. ત્યારે વિપક્ષી પાર્ટીઓએ સામૂહિક રીતે બિલનો વિરોધ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન સંસદમાં પણ હોબાળો અને હંગામાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે, ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ દ્વારા, સરકાર સીમાંકન સાથે રાજકીય રમત રમવાનો ઇરાદો ધરાવે છે. તેમની દલીલ હતી કે આવા પગલાથી દક્ષિણ ભારતના રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટશે.
પીએમ મોદીએ કરી હતી આ ખાસ અપીલ
‘નારી શક્તિ વંદન અધિનિયમ’ પર મતદાન પહેલાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર એક સંદેશ પોસ્ટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ અધિનિયમ સંબંંધત ફેલાયેલી વિવિધ ગેરસમજોને દૂર કરવા માટે તાર્કિક અને તર્કસંગત પ્રતિભાવો પૂરા પાડવામાં આવ્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે દરેક આશંકાને દૂર કરવામાં આવી છે અને તેનું નિરાકરણ કરવામાં આવ્યું છે. વધુમાં, તેમણે નોંધ્યું હતું કે અગાઉ જે માહિતીનો અભાવ હતો તે હવે ગૃહના દરેક સભ્યને પૂરી પાડવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ સભ્ય દ્વારા વિરોધ માટે કોઈ ચોક્કસ આધાર હોય તો તેનું પણ સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાને અવલોકન કર્યું હતું કે, ચાર દાયકાથી, મહિલા અનામતનો મુદ્દો દેશમાં અતિશય રાજકીય દાવપેચનો ભોગ બન્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે દેશની અડધી આબાદી જે છે તે મહિલાઓને તેમના અધિકારો અને હક્કો જરૂરથી મળે.
मैं सभी सांसदों से कहूंगा…
आप अपने घर में मां-बहन-बेटी-पत्नी सबका स्मरण करते हुए अपनी अंतरात्मा को सुनिए …
देश की नारीशक्ति की सेवा का, उनके वंदन का ये बहुत बड़ा अवसर है।
उन्हें नए अवसरों से वंचित नहीं करिए।
ये संशोधन सर्वसम्मति से पारित होगा, तो देश की नारीशक्ति और सशक्त…
— Narendra Modi (@narendramodi) April 17, 2026
મહિલા રિઝર્વેશન બિલ પર ઘમાસાણ
સંસદમાં મહિલા અનામત સંબંધિત બિલ પસાર ન થવાને કારણે રાજકીય આરોપ-પ્રત્યારોપ ચાલુ છે. નોંધનીય છે કે, સંબોધનનો સમય તે ક્ષણ સાથે બરાબર સુસંગત છે જ્યારે બંધારણ (131મો સંશોધન) બિલ નીચલા ગૃહમાં જરૂરી 2/3 બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયું. આ બિલનો ઉદ્દેશ્ય સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩% અનામત લાગુ કરવાનો, લોકસભા બેઠકોની સંખ્યા 543 થી વધારીને 850 કરવાનો અને 2011 ની વસ્તી ગણતરીના આધારે મતવિસ્તારોનું સીમાંકન કરવાનો હતો. જ્યારે 298 સંસદ સભ્યોએ બિલના પક્ષમાં મતદાન કર્યું, જ્યારે 230 સાંસદોએ તેનો વિરોધ કર્યો.
આજે વહેલી સવારે, કોંગ્રેસ મુખ્યાલય ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા, પ્રિયંકા ગાંધીએ આ ઘટનાને “લોકશાહી માટે મોટી જીત” અને “ભાજપ માટે કાળો દિવસ” ગણાવ્યો. તેમણે એ પણ નિર્દેશ કર્યો કે 2014 માં સત્તા સંભાળ્યા પછી કેન્દ્રમાં શાસક પક્ષને સંસદમાં પહેલી હારનો સામનો કરવો પડ્યો છે.
વધુમાં, ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકસભા સાંસદ રવિશંકર પ્રસાદ સાથે મહિલા અનામતના મુદ્દા અંગે એક પત્રકાર પરિષદ યોજી હતી. આ કાર્યક્રમ દરમિયાન, બંને નેતાઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને પક્ષ પર વિવિધ આરોપો લગાવ્યા.
