Breaking News : છત્તીસગઢમાં ચાર્ટડ વિમાન પર્વત સાથે અથડાયું… પાઇલટ અને કો-પાઇલટના મોત
છત્તીસગઢના જશપુર જિલ્લામાં આજે નારાયણપુર નજીક આરા પર્વત સાથે અથડાયા બાદ એક ખાનગી ચાર્ટર્ડ જેટ ક્રેશ થયું છે. આ દુર્ઘટના અંગે એવા અહેવાલો સામે આવ્યા છે કે, આ અકસ્માતમાં પાઇલટ અને કો-પાઇલટના મોત થયા છે.

Chartered jet crashes in Chhattisgarh : છત્તીસગઢના જશપુર જિલ્લામાં આજે નારાયણપુર નજીક આરા પર્વત સાથે અથડાયા બાદ એક ખાનગી ચાર્ટર્ડ જેટ ક્રેશ થયું. એવા અહેવાલો સામે આવી રહ્યાં છે કે, આ અકસ્માતમાં જાનહાનિ થવાની સંભાવના છે. હાલમાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં પર્વતમાંથી લપકારા લેતી આગની જ્વાળાઓ અને ધૂમાડા નીકળતા જોવા મળે છે. સ્થાનિક પોલીસ અને વહીવટી ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. જોકે, હાલમાં તે સ્પષ્ટ નથી કે વિમાનમાં પાઇલટ અને સહ-પાઇલટ સિવાય કોઈ મુસાફરો હતા કે નહીં. આ ઘટનામાં સામેલ પાઇલટ અને સહ-પાઇલટના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. વહીવટીતંત્ર હાલમાં આ બાબત અંગે સંપૂર્ણ વિગતો એકત્રિત કરવામાં વ્યસ્ત છે.
ઘટનાના દ્રશ્યો હવે સામે આવ્યા છે. છત્તીસગઢના જશપુર-નારાયણપુર ક્ષેત્રમાં સ્થિત ટેકરી પર ક્રેશ થયેલા જેટમાંથી ગાઢ ધુમાડો અને લપકારા લેતી આગની જ્વાળાઓ જોઈ શકાતી હતી. વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, વિમાનમાં સવાર પાઇલટ અને કો-પાઇલટના મૃત્યુની પુષ્ટિ થઈ છે. તેમની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સ્થાનિક પોલીસ વહીવટીતંત્રે હાલમાં દુર્ઘટના સ્થળેથી મળેલા મૃતદેહોનો કબજો લીધો છે.
ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ દુર્ઘટનામાં 7 લોકોના મોત
આ ઘટના પહેલા, ગત 23 ફેબ્રુઆરીના રોજ, ઝારખંડના રાંચી નજીક એક એર એમ્બ્યુલન્સ પણ ક્રેશ થઈ હતી. તે ઘટનામાં, પાઇલટ સહિત સાત લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. મીડિયા અહેવાલો અનુસાર, ગત 23 ફેબ્રુઆરીની સાંજે રાંચીથી ઉડાન ભર્યાની થોડીવાર પછી જ એર એમ્બ્યુલન્સ ક્રેશ થઈ ગઈ હતી. વિમાન – બીચક્રાફ્ટ કિંગ એર C90A – એક ગંભીર બીમાર દર્દીને, મેડિકલ સ્ટાફ અને ક્રૂ સભ્યો સાથે દિલ્હી લઈ જઈ રહ્યું હતું. દુર્ઘટનામાં સવાર તમામ સાત વ્યક્તિઓના મોત થયા છે. હાલમાં, આ ઘટનાની તપાસ હજુ પણ ચાલુ છે.