AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : છત્તીસગઢમાં ચાર્ટડ વિમાન પર્વત સાથે અથડાયું… પાઇલટ અને કો-પાઇલટના મોત

છત્તીસગઢના જશપુર જિલ્લામાં આજે નારાયણપુર નજીક આરા પર્વત સાથે અથડાયા બાદ એક ખાનગી ચાર્ટર્ડ જેટ ક્રેશ થયું છે. આ દુર્ઘટના અંગે એવા અહેવાલો સામે આવ્યા છે કે, આ અકસ્માતમાં પાઇલટ અને કો-પાઇલટના મોત થયા છે.

Breaking News : છત્તીસગઢમાં ચાર્ટડ વિમાન પર્વત સાથે અથડાયું... પાઇલટ અને કો-પાઇલટના મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2026 | 6:16 PM
Share

Chartered jet crashes in Chhattisgarh : છત્તીસગઢના જશપુર જિલ્લામાં આજે નારાયણપુર નજીક આરા પર્વત સાથે અથડાયા બાદ એક ખાનગી ચાર્ટર્ડ જેટ ક્રેશ થયું. એવા અહેવાલો સામે આવી રહ્યાં છે કે, આ અકસ્માતમાં જાનહાનિ થવાની સંભાવના છે. હાલમાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં પર્વતમાંથી લપકારા લેતી આગની જ્વાળાઓ અને ધૂમાડા નીકળતા જોવા મળે છે. સ્થાનિક પોલીસ અને વહીવટી ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. જોકે, હાલમાં તે સ્પષ્ટ નથી કે વિમાનમાં પાઇલટ અને સહ-પાઇલટ સિવાય કોઈ મુસાફરો હતા કે નહીં. આ ઘટનામાં સામેલ પાઇલટ અને સહ-પાઇલટના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. વહીવટીતંત્ર હાલમાં આ બાબત અંગે સંપૂર્ણ વિગતો એકત્રિત કરવામાં વ્યસ્ત છે.

ઘટનાના દ્રશ્યો હવે સામે આવ્યા છે. છત્તીસગઢના જશપુર-નારાયણપુર ક્ષેત્રમાં સ્થિત ટેકરી પર ક્રેશ થયેલા જેટમાંથી ગાઢ ધુમાડો અને લપકારા લેતી આગની જ્વાળાઓ જોઈ શકાતી હતી. વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, વિમાનમાં સવાર પાઇલટ અને કો-પાઇલટના મૃત્યુની પુષ્ટિ થઈ છે. તેમની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સ્થાનિક પોલીસ વહીવટીતંત્રે હાલમાં દુર્ઘટના સ્થળેથી મળેલા મૃતદેહોનો કબજો લીધો છે.

ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ દુર્ઘટનામાં 7 લોકોના મોત

આ ઘટના પહેલા, ગત 23 ફેબ્રુઆરીના રોજ, ઝારખંડના રાંચી નજીક એક એર એમ્બ્યુલન્સ પણ ક્રેશ થઈ હતી. તે ઘટનામાં, પાઇલટ સહિત સાત લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. મીડિયા અહેવાલો અનુસાર, ગત 23 ફેબ્રુઆરીની સાંજે રાંચીથી ઉડાન ભર્યાની થોડીવાર પછી જ એર એમ્બ્યુલન્સ ક્રેશ થઈ ગઈ હતી. વિમાન – બીચક્રાફ્ટ કિંગ એર C90A – એક ગંભીર બીમાર દર્દીને, મેડિકલ સ્ટાફ અને ક્રૂ સભ્યો સાથે દિલ્હી લઈ જઈ રહ્યું હતું. દુર્ઘટનામાં સવાર તમામ સાત વ્યક્તિઓના મોત થયા છે. હાલમાં, આ ઘટનાની તપાસ હજુ પણ ચાલુ છે.

મોંઘા ગેસ સિલિન્ડરથી મળશે ‘કાયમી છુટકારો’! ‘સૂર્યકૂકર’ છોડો હવે આવી ગયો છે ‘સોલર ચૂલો’, મફતમાં બનશે ‘રસોઈ

Follow Us
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
g clip-path="url(#clip0_868_265)">