બીરભૂમ ઘટના પર સંસદમાં ભાવુક થયા રૂપા ગાંગુલી, કહ્યું- લોકો ઘર છોડીને ભાગી રહ્યા છે, બંગાળ હવે રહેવા યોગ્ય નથી, જુઓ વીડિયો

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ રૂપા ગાંગુલીએ (Roopa Ganguly) ઝીરો અવર હેઠળ બીરભૂમનો મુદ્દો ઉઠાવ્યો અને ભાવુક થઈ ગયા. તેમણે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી હતી.

બીરભૂમ ઘટના પર સંસદમાં ભાવુક થયા રૂપા ગાંગુલી, કહ્યું- લોકો ઘર છોડીને ભાગી રહ્યા છે, બંગાળ હવે રહેવા યોગ્ય નથી, જુઓ વીડિયો
Roopa Ganguly - Rajya Sabha
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 6:46 PM

પશ્ચિમ બંગાળના (West Bengal) બીરભૂમમાં હિંસા પર શુક્રવારે રાજ્યસભામાં હંગામો થયો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી. ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ રૂપા ગાંગુલીએ (Roopa Ganguly) ઝીરો અવર હેઠળ બીરભૂમનો મુદ્દો ઉઠાવ્યો અને ભાવુક થઈ ગયા. તેમણે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ ભાજપના સાંસદની માગનો જોરદાર વિરોધ કર્યો, ત્યારબાદ હંગામો શરૂ થયો. આ દરમિયાન ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાજપના સાંસદ રૂપા ગાંગુલીએ ભાવુક થઈને કહ્યું, લોકો હવે પશ્ચિમ બંગાળમાં રહેવા માટે યોગ્ય નથી, લોકો એક પછી એક ત્યાંથી ભાગી રહ્યા છે, અમે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન ઈચ્છીએ છીએ.

અમે બંગાળમાં જન્મથી કોઈ ગુનો કર્યો નથી. શું પશ્ચિમ બંગાળમાં જે લોકો બોલી શકતા નથી તે લોકો અંદરથી રડતા નથી? પશ્ચિમ બંગાળની સરકાર હત્યારાઓને રક્ષણ આપે છે. ત્યાં દરરોજ ગોળીબારનો અવાજ સંભળાય છે. એવું કોઈ રાજ્ય નથી કે જ્યાં સરકાર લોકોને પકડીને મારી નાખે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ગાંગુલીએ કહ્યું, ઝાલદામાં કાઉન્સિલરનું મૃત્યુ થયું, સાત દિવસમાં 26 હત્યાઓ થઈ. 26 રાજકીય હત્યાઓ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે પહેલા બધાના હાથ-પગ ભાંગી નાખવામાં આવ્યા હતા અને પછી રૂમમાં બંધ કરીને સળગાવી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે રાજ્ય પોલીસ પર કોઈને વિશ્વાસ નથી.

CFSLની એક ટીમ બોગાતુઈ ગામમાં પહોંચી

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) વિભાગના અધિકારીઓની એક ટીમ શુક્રવારે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના બોગતુઈ ગામના ક્ષતિગ્રસ્ત ઘરોમાંથી નમૂના લેવા માટે પહોંચી હતી. સીએફએસએલની આઠ સભ્યોની ટીમ સાથે કેટલાક પોલીસ કર્મચારીઓ પણ જોવા મળ્યા હતા. જો કે, સીએફએસએલના અધિકારીઓએ આ સંદર્ભમાં કોઈ વિગતવાર માહિતી આપી ન હતી.

આ પહેલા કલકત્તા હાઈકોર્ટે શુક્રવારે બીરભૂમ હિંસા કેસની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. આ મામલાની સ્વતઃ સંજ્ઞાન લેતા, કોર્ટે બુધવારે સીએફએસએલને નમૂનાઓ એકત્રિત કરવા માટે સ્થળની મુલાકાત લેવા જણાવ્યું હતું. મંગળવારની વહેલી સવારે બીરભૂમ જિલ્લાના રામપુરહાટ શહેર નજીક બોગાતુઈ ગામમાં કથિત રીતે કેટલાક ઘરોને આગ લાગવાથી બે બાળકો સહિત આઠ લોકો બળી ગયા હતા.

આ પણ વાંચો : મોદીના શાસનમાં દેશનું સંરક્ષણ બજેટ બમણું થઈ ગયું છે, ભારત વિશ્વ કરતાં વધુ ઝડપથી ખર્ચ કરી રહ્યું છે

આ પણ વાંચો : ગુજરાત કેડરના પૂર્વ IAS અરવિંદ કુમાર શર્મા યુપી સરકારમાં બન્યા કેબિનેટ મંત્રી, જાણો કોણ છે એકે શર્મા

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">