AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પૂર્ણ, મધ્યપ્રદેશની 37 બેઠકો માટે ઉમેદવારો નક્કી!

PM મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં મધ્યપ્રદેશની તમામ હારેલી બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બેઠકમાં લગભગ 36 થી 37 બેઠકોને મંજૂરી આપી હતી. ગત વિધાનસભા ચૂંટણીમાં આ તમામ બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પૂર્ણ, મધ્યપ્રદેશની 37 બેઠકો માટે ઉમેદવારો નક્કી!
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 11:18 PM
Share

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને બુધવારે મોડી સાંજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય ચૂંટણી પેનલના અન્ય સભ્યોએ ભાગ લીધો હતો. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં મધ્યપ્રદેશની તમામ હારેલી બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બેઠકમાં લગભગ 36 થી 37 બેઠકોને મંજૂરી આપી હતી. ગત વિધાનસભા ચૂંટણીમાં આ તમામ બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર આજે મળેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં મધ્યપ્રદેશની તમામ હારેલી બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી. આજે ચર્ચા થયેલી બેઠકોમાંથી લગભગ 63 બેઠકો એવી હતી કે જેના પર ભાજપને છેલ્લી 2018ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મધ્યપ્રદેશની 230 બેઠકોમાંથી ભાજપ પાસે 128 બેઠકો છે. હાલમાં હારેલી બેઠકોની સંખ્યા 102 છે. હારેલી 102 બેઠકોમાંથી ભાજપે પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોની જાહેરાત કરી હતી. કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બાકીની 63 બેઠકો પર ચર્ચા કરી હતી, જેમાંથી 36/37 બેઠકો માટેના ઉમેદવારોના નામ પર સહમતિ બની છે.

બે દિવસ પહેલા કોર કમિટીની મળી હતી બેઠક

તમને જણાવી દઈએ કે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક પહેલા બે દિવસ સુધી રાજ્યોમાં ભાજપની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક ઉમેદવારોના નામની યાદી પણ તૈયાર કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નક્કી કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : સંસદના વિશેષ સત્રના એજન્ડા પરથી પડદો હટાવવામાં આવ્યો, સરકારે કહ્યું સત્ર કેમ બોલાવવામાં આવ્યું?

16મી ઓગસ્ટે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પણ યોજાઈ હતી

તમને જણાવી દઈએ કે ભાજપની કોર કમિટી પછી કેન્દ્રીય ચૂંટણી સમિતિ ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવે છે, ત્યારબાદ જ ટિકિટ ફાઈનલ થાય છે અને ચૂંટણીની આગળની રણનીતિ તૈયાર કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને પણ 16 ઓગસ્ટે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી, જે બાદ મધ્યપ્રદેશની 39 અને છત્તીસગઢની 21 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આવું પહેલીવાર બની રહ્યું છે કે ભાજપે ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">