AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar : ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GSTનું સુધારા વિધેયક વિધાનસભામાં પાસ, કોંગ્રેસ-AAPએ ઓનલાઈન જુગારને અધિકૃત મંજૂરીના કર્યા આક્ષેપ

કેન્દ્ર સરકારની જીએસટી કાઉન્સિલની 50 અને 51મી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ-જુગાર પર જીએસટી 18 ટકાથી વધારી 28 ટકા કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારે સુધારા વિધેયક લાવી ઓનલાઈન ગેમિંગ-જુગાર પર 28 ટકા જીએસટી નિર્ધારિત કર્યો હતો. નિયમ મુજબ એ બિલ રાજ્યોમાં લાવવાનું હોય છે ત્યારે રાજ્ય સરકાર ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક ચોમાસુ સત્રના પ્રથમ દિવસે લઈને આવી હતી.

Gandhinagar : ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GSTનું સુધારા વિધેયક વિધાનસભામાં પાસ, કોંગ્રેસ-AAPએ ઓનલાઈન જુગારને અધિકૃત મંજૂરીના કર્યા આક્ષેપ
GST Amendment Bill
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 13, 2023 | 9:00 PM
Share

Gandhinagar : કેન્દ્ર સરકારના ઓનલાઈન ગેમિંગ (Online Gaming) પર 28 ટકા જીએસટી સુધારા વિધેયકને ગુજરાતમાં લાગુ કરવા માટેનું ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પાસ કરાયું. ઓનલાઈન જુગાર પર 28 ટકા જીએસટી વાળા આ બિલનો કોંગ્રેસ-AAP ધારાસભ્યોએ ગાંધીના ગુજરાતમાં જુગારને અધિકૃત મંજૂરીના આક્ષેપ સાથે વિરોધ કર્યો.

આ પણ વાંચો Gandhinagar: ઈ-વિધાનસભાના આરંભે જ સર્જાયો વિવાદ,વિરોધ પક્ષના નેતાઓ CMના સ્વાગત માટે આગળ ન આવ્યા, જુઓ Video

કેન્દ્ર સરકારની જીએસટી કાઉન્સિલની 50 અને 51મી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ-જુગાર પર જીએસટી 18 ટકાથી વધારી 28 ટકા કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારે સુધારા વિધેયક લાવી ઓનલાઈન ગેમિંગ-જુગાર પર 28 ટકા જીએસટી નિર્ધારિત કર્યો હતો. નિયમ મુજબ એ બિલ રાજ્યોમાં લાવવાનું હોય છે ત્યારે રાજ્ય સરકાર ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક ચોમાસુ સત્રના પ્રથમ દિવસે લઈને આવી હતી.

જેમાં ઓનલાઇન ગેમિંગ અથવા તો ઇલેક્ટ્રોનિક નેટવર્ક પર ગેમ પૂરી પાડવી અને તેમાં બધી ઓનલાઈન ગેમિંગનો સમાવેશ થાય છે. તેમાં પણ જીએસટી લાગુ કરવામાં આવશે. આમ, ઓનલાઇન ગેમિંગમાં સટ્ટાબાજી, કેસીનો, જુગાર, ઘોડા દોડ, લોટરી અથવા તો ઓનલાઈન મની ગેમના માધ્યમથી અથવા તો તેના દ્વારા સમાવિષ્ટ દાવા પાત્ર હક્કમાં GST લાગુ કરવાનો સરકારનો હેતુ છે. બિલનો કોંગ્રેસ-AAP ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો.

ભાજપ સરકાર વન નેશન, વન જુગાર કરવા માંગે છે : મોઢવાડીયા

ઓનલાઈન જુગાર પર 28 ટકા જીએસટી લાવી એને અધિકૃત કરવાના આક્ષેપ સાથે કોંગ્રેસ-AAPના સભ્યોએ જીએસટી સુધારા વિધેયકનો વિરોધ કર્યો હતો અને બિલ બહુમતી સાથે પાસ કરાયું હતું. બિલ અંગે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશમાં વન નેશન વન જુગાર કરવા માંગે છે એટલે કોંગ્રેસ ઓનલાઇન જુગારને જીએસટી હેઠળ લાવવાના વિધેયકનો વિરોધ કરે છે.

ભૂતકાળમાં લોટરી શરૂ કરાઇ ત્યારે પણ વિરોધ થયો હતો. જુગાર હમેશાં બરબાદ કરે છે તેને ક્યારેય મંજુરી આપી શકાય નહી. ઓનલાઇન જુગાર, ક્રિકેટ સટ્ટા, કેસીનો ઓનલાઇન ગેમીંગને 28 ટકા જીએસટી હેઠલ લાવી રાજ્ય સરકાર બુકીની ભુમિકા ભજવી રહી છે. આવક મેળવવા અન્ય કોઇપણ સ્રોતનો ઉપયોગ કરી શકાય પરંતુ જુગારનો નહી.

ઓનલાઈન જુગારને નિયંત્રણમાં લેવા 28 ટકા જીએસટી : નાણામંત્રી

ઓનલાઈન જુગાર અને ગેમિંગ પર 28 ટકા જીએસટી સાથે વિદેશમાંથી ભારત દેશના લોકોને ઓનલાઈન મની ગેમિંગનો સપ્લાય કરનાર વ્યક્તિએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાની જોગવાઈ પણ સુધારા બિલમાં રાખવામાં આવી છે. કોંગ્રેસના વિરોધ વચ્ચે નાણાંમંત્રી કનુભાઈ પટેલે સ્પષ્ટતા કરી હતી કે આ ઓનલાઈન જુગારને મંજૂરી કે અધિકૃત કરવા માટે નહીં, પરંતુ એને નિયંત્રણમાં લાવવા માટે 18 ટકાથી વધારી જીએસટી 28 ટકા કરવામાં આવ્યું છે. આ બિલ બાદ રાજ્યમાં પ્રતિબંધિત કોઈપણ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં નહીં આવે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">