શું બિહારની રાજનીતિમાં ફરી જોવા મળશે મોટા ઉલટફેર? જો નીતિશ રાબડી દેવીની સલાહ માની લેશે તો શું થશે?
રાબડી દેવીએ નીતિશ કુમારને આપેલી સલાહમાં માત્ર કટાક્ષ નથી પરંતુ તેની પાછળ મોટો રાજકીય ઉદ્દેશ્ય પણ છુપાયેલો છે. જેનાથી નીતિશ કુમારને પરિવારવાદની રાજનીતિના દાયરામાં લાવી ભાજપને પણ સરળતાથી તેના જ આરોપોમાં ફિટ કરી શકાય.

બિહારમાં રાષ્ટ્રગીત દરમિયાન નીતિશ કુમારના વર્તનને લઈને સડકથી લઈને સંસદ સુધી હંગામો થઈ રહ્યો છે. બિહાર વિધાનસભામાં પણ આ મુદ્દે ભારે હોબાળો થયો છે. અને, પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી કહી રહ્યા છે કે, જો નીતીશ કુમાર બીમાર હોય તો તેમના પુત્રને મુખ્યમંત્રી બનાવી દે. આવી સ્થિતિમાં જ્યારે નીતીશ કુમારના અન્ય વિરોધીઓ તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે ત્યારે રાબડી દેવીની આ સલાહ રાજકારણના અલગ સ્તરનો સંકેત આપી રહી છે. રાબડી દેવીના નિવેદન પર નીતીશ કુમારના કેબિનેટ સહયોગી અશોક ચૌધરીએ આ ઘટનાને જાણતા-અજાણતા ભૂલ ગણાવી છે, જેને વિપક્ષ ચૂંટણીનો મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. બિહારમાં 2025ના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અશોક ચૌધરી કહે છે કે, નીતિશ કુમારથી મોટો દેશભક્ત અને રાષ્ટ્રભક્ત કોઈ હોઈ ન શકે. નીતિશ કુમારે બિહાર દિવસની શરૂઆત કરી છે… અને દેશ અને...