AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news: સુપ્રીમ કોર્ટમાંથી પણ આસારામને નથી મળી રાહત, જામીન અરજી ફગાવી

breaking news: પોતાની જામીન અરજીમાં આસારામે દલીલ કરી છે કે તે છેલ્લા 9 વર્ષથી જેલમાં છે. તેનું કહેવું છે કે તેની ઉંમર 80 વર્ષથી વધુ છે અને તે ઘણી ગંભીર બીમારીઓથી પીડિત છે. આંકડા દર્શાવે છે કે આસારામે ઓછામાં ઓછી 15 વખત કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.

Breaking news: સુપ્રીમ કોર્ટમાંથી પણ આસારામને નથી મળી રાહત, જામીન અરજી ફગાવી
Supreme Court
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 3:09 PM
Share

breaking news: બળાત્કારના આરોપમાં જેલમાં બંધ આસારામને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી. તેણે સર્વોચ્ચ અદાલતમાં જામીન માટે અરજી કરી હતી પરંતુ અહીં તેની અપીલ ફગાવી દેવામાં આવી હતી. વર્ષ 2022માં રાજસ્થાન હાઈકોર્ટે તેમને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સર્વોચ્ચ અદાલતે તેને જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું છે.

પોતાની જામીન અરજીમાં આસારામે દલીલ કરી છે કે તે છેલ્લા 9 વર્ષથી જેલમાં છે. તેનું કહેવું છે કે તેની ઉંમર 80 વર્ષથી વધુ છે અને તે ઘણી ગંભીર બીમારીઓથી પીડિત છે. આંકડા દર્શાવે છે કે આસારામે ઓછામાં ઓછી 15 વખત કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.

આ પણ વાંચો : Breaking News : G20 કાર્યક્રમ બાદ ગુજરાતમાં પણ પહેલ, ઇ વિધાનસભા લોન્ચિંગની આમંત્રણ પત્રિકામાં દ્રોપદી મૂર્મુ માટે પ્રેસિડેન્ટ ઓફ ‘ભારત’ લખાયું

બળાત્કારના અન્ય એક કેસમાં સજા થઈ

આસારામ પોતાની મહિલા શિષ્યો સાથે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. 2013ના બળાત્કારના કેસમાં તેને આજીવન કેદની સજા પણ થઈ છે. તેમની સામે સુરતની એક મહિલાએ આ કેસ દાખલ કર્યો હતો. મહિલાનો આરોપ છે કે આસારામે આશ્રમની અંદર વારંવાર તેની સાથે બળાત્કાર કર્યો હતો.

બળાત્કાર કેસમાં પિતા અને પુત્ર બંનેને આજીવન કેદ

આસારામ સામે બે બહેનોએ પણ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. બંને બહેનોનો આરોપ છે કે આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈએ 2001 થી 2006 વચ્ચે તેમની સાથે બળાત્કાર કર્યો હતો. 2019 માં, સુરત કોર્ટે નારાયણ સાંઈને બળાત્કારનો દોષી ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી. ગાંધી નગર કોર્ટે આસારામને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

આયુર્વેદિક સારવાર મળી શકશે

રાજસ્થાનની જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. આસારામે આયુર્વેદિક સારવાર માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આસારામની અરજીનો નિકાલ કરતી વખતે કોર્ટે જરૂરી સૂચનાઓ આપી હતી. આનાથી લાંબા સમયથી જેલમાં રહેલા આસારામ માટે તેમના સ્વાસ્થ્યની સારવાર કરાવવાનો રસ્તો સાફ થઈ ગયો.

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">