AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news: સુપ્રીમ કોર્ટમાંથી પણ આસારામને નથી મળી રાહત, જામીન અરજી ફગાવી

breaking news: પોતાની જામીન અરજીમાં આસારામે દલીલ કરી છે કે તે છેલ્લા 9 વર્ષથી જેલમાં છે. તેનું કહેવું છે કે તેની ઉંમર 80 વર્ષથી વધુ છે અને તે ઘણી ગંભીર બીમારીઓથી પીડિત છે. આંકડા દર્શાવે છે કે આસારામે ઓછામાં ઓછી 15 વખત કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.

Breaking news: સુપ્રીમ કોર્ટમાંથી પણ આસારામને નથી મળી રાહત, જામીન અરજી ફગાવી
Supreme Court
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 3:09 PM
Share

breaking news: બળાત્કારના આરોપમાં જેલમાં બંધ આસારામને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી. તેણે સર્વોચ્ચ અદાલતમાં જામીન માટે અરજી કરી હતી પરંતુ અહીં તેની અપીલ ફગાવી દેવામાં આવી હતી. વર્ષ 2022માં રાજસ્થાન હાઈકોર્ટે તેમને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સર્વોચ્ચ અદાલતે તેને જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું છે.

પોતાની જામીન અરજીમાં આસારામે દલીલ કરી છે કે તે છેલ્લા 9 વર્ષથી જેલમાં છે. તેનું કહેવું છે કે તેની ઉંમર 80 વર્ષથી વધુ છે અને તે ઘણી ગંભીર બીમારીઓથી પીડિત છે. આંકડા દર્શાવે છે કે આસારામે ઓછામાં ઓછી 15 વખત કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.

આ પણ વાંચો : Breaking News : G20 કાર્યક્રમ બાદ ગુજરાતમાં પણ પહેલ, ઇ વિધાનસભા લોન્ચિંગની આમંત્રણ પત્રિકામાં દ્રોપદી મૂર્મુ માટે પ્રેસિડેન્ટ ઓફ ‘ભારત’ લખાયું

બળાત્કારના અન્ય એક કેસમાં સજા થઈ

આસારામ પોતાની મહિલા શિષ્યો સાથે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. 2013ના બળાત્કારના કેસમાં તેને આજીવન કેદની સજા પણ થઈ છે. તેમની સામે સુરતની એક મહિલાએ આ કેસ દાખલ કર્યો હતો. મહિલાનો આરોપ છે કે આસારામે આશ્રમની અંદર વારંવાર તેની સાથે બળાત્કાર કર્યો હતો.

બળાત્કાર કેસમાં પિતા અને પુત્ર બંનેને આજીવન કેદ

આસારામ સામે બે બહેનોએ પણ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. બંને બહેનોનો આરોપ છે કે આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈએ 2001 થી 2006 વચ્ચે તેમની સાથે બળાત્કાર કર્યો હતો. 2019 માં, સુરત કોર્ટે નારાયણ સાંઈને બળાત્કારનો દોષી ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી. ગાંધી નગર કોર્ટે આસારામને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

આયુર્વેદિક સારવાર મળી શકશે

રાજસ્થાનની જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. આસારામે આયુર્વેદિક સારવાર માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આસારામની અરજીનો નિકાલ કરતી વખતે કોર્ટે જરૂરી સૂચનાઓ આપી હતી. આનાથી લાંબા સમયથી જેલમાં રહેલા આસારામ માટે તેમના સ્વાસ્થ્યની સારવાર કરાવવાનો રસ્તો સાફ થઈ ગયો.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">