AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Akasa Air પર તોળાઈ રહ્યું છે બંધ થવાનું સંકટ, કંપનીના 43 પાઈલટએ એકસાથે અચાનક આપી દીધું રાજીનામું

ઉડ્ડયન ઉદ્યોગના દિવસો સારા નથી જઈ રહ્યા. હવે Akasa Air તરફથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એરલાઈન બંધ થવાનો ખતરો છે. નવાઈની વાત એ છે કે આ એરલાઈનને 13 મહિના પહેલા જ ખૂબ જ ધામધૂમથી લોન્ચ કરવામાં આવી હતી. બજારના બિગ બુલ તરીકે ઓળખાતા સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલી આ કંપનીના માત્ર 13 મહિનામાં જ ખરાબ હાલ થઈ ગયા છે.

Breaking News: Akasa Air પર તોળાઈ રહ્યું છે બંધ થવાનું સંકટ, કંપનીના 43 પાઈલટએ એકસાથે અચાનક આપી દીધું રાજીનામું
Akasa air
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 4:40 PM
Share

ઉડ્ડયન ઉદ્યોગના દિવસો સારા નથી જઈ રહ્યા. હવે Akasa Air તરફથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એરલાઈન બંધ થવાનો ખતરો છે. નવાઈની વાત એ છે કે આ એરલાઈનને 13 મહિના પહેલા જ ખૂબ જ ધામધૂમથી લોન્ચ કરવામાં આવી હતી. બજારના બિગ બુલ તરીકે ઓળખાતા સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલી આ કંપનીના માત્ર 13 મહિનામાં જ ખરાબ હાલ થઈ ગયા છે.

આ પણ વાંચો: Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ટૂંકાવસ્ત્રો પર પ્રતિબંધ મુકાતા વિવાદ વકર્યો,જાણો શું છે સમગ્ર મામલો

કંપનીના 43 પાઈલટએ એકસાથે અચાનક રાજીનામું આપી દીધું છે. એક સાથે 43 પાઈલટના રાજીનામાને કારણે કંપનીને દરરોજ 24 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી રહી છે. કંપનીએ પોતે સ્વીકાર્યું છે કે તે બંધ થવાના જોખમમાં છે. કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું કે આવા અચાનક રાજીનામાના કારણે કંપની બંધ થવાના આરે છે.

600 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકાસાના પાઈલટ અહીંથી રાજીનામું આપીને એર ઈન્ડિયામાં જોડાઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, આ પાઇલટ્સે નોટિસનો સમયગાળો પૂરો કર્યો ન હતો. અકાસા એર દરરોજ 120 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. પરંતુ અચાનક આટલી મોટી સંખ્યામાં રાજીનામાના કારણે કંપનીને ઓગસ્ટ મહિનામાં લગભગ 600 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. હવે કંપની પાસે આ મહિને પણ ફ્લાઈટ્સ કેન્સલ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. કંપની વિમાનને ઉડાડવા માટે પાઇલટ્સની અછતનો સામનો કરી રહી છે.

કંપનીએ કોર્ટમાં અપીલ કરી હતી

મામલો સુધરતો ન જોઈને અકાસાએ કોર્ટનો સંપર્ક કર્યો. કંપનીએ કોર્ટને એવિએશન રેગ્યુલેટર ડીજીસીએને ફરજિયાત નોટિસ આપવાના નિયમોનું પાલન કરવા જણાવવા અપીલ કરી છે. ખરેખર, નિયમો હેઠળ, અધિકારી ગ્રેડ માટે 6 મહિનાની નોટિસ બજાવવી જરૂરી છે. જ્યારે કેપ્ટન માટે નોટિસનો સમયગાળો એક વર્ષનો છે. તેથી, કંપનીએ કોર્ટ પાસે માગ કરી છે કે પાઈલટ નોટિસ પીરિયડ પૂરો કરે. જો કે, ડીસીજીએ આ મામલે પોતાના હાથ ઉપર કર્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે તે આવું કરી શકે નહીં કારણ કે કંપનીએ આ માટે કોર્ટમાં અપીલ કરી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">