હરિયાણાની ચૂંટણી પહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમે 20 દિવસના પેરોલની માંગણી કરી, અરજી મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલી

બાબા રામ રહીમને સપ્ટેમ્બર 2017માં તેની બે મહિલા શિષ્યો પર બળાત્કાર અને પત્રકારની હત્યાના આરોપમાં 20 વર્ષની આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ડેરા ચીફને જેલમાં ગયાને માત્ર સાત વર્ષ થયા છે. આ સમયગાળા દરમિયાન કોણ જાણે કેટલીવાર પેરોલ અને ફર્લો પર જેલમાંથી બહાર આવ્યો હતો. આ વખતે તેણે ફરીથી 20 દિવસ માટે પેરોલની માંગણી કરી છે. ગયા મહિને તે 21 દિવસની ફરલો પર જેલમાંથી બહાર આવ્યો હતો.

હરિયાણાની ચૂંટણી પહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમે 20 દિવસના પેરોલની માંગણી કરી, અરજી મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલી
Gurmeet Ram Rahim
Follow Us:
| Updated on: Sep 29, 2024 | 1:44 PM

ડેરા સચ્ચા સૌદાના ચીફ ગુરમીત રામ રહીમે જે પોતાની બે શિષ્યો પર બળાત્કાર ગુજારવાના આરોપમાં 20 વર્ષની સજા ભોગવી રહ્યા છે તેણે ફરી એકવાર પેરોલની માંગણી કરી છે. ગયા મહિને જ તેમને 21 દિવસ માટે ફર્લો આપવામાં આવ્યો હતો. આ વખતે તેણે 20 દિવસ માટે પેરોલની માંગણી કરી છે. આદર્શ આચાર સંહિતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તેમની વિનંતી મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજ્ય સરકારને પત્ર લખીને આ ઈમરજન્સી પેરોલ વિશે પૂછ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીના સમયગાળા દરમિયાન દોષિતને પેરોલ પર છોડવો કેટલો યોગ્ય છે? ડેરા પ્રમુખ હાલ હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. તે સિરસાના આશ્રમમાં તેની બે શિષ્યો પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની સજા ભોગવી રહ્યો છે.

ગયા મહિને 21 દિવસની ફર્લો મળી

ડેરા પ્રમુખ રામ રહીમને ગત મહિનાની 13મી તારીખે 21 દિવસ માટે ફર્લો આપવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલા બાબા રામે 20 દિવસ માટે પેરોલ પર જેલમાંથી બહાર આવવા માટે જેલ સુપ્રિટેન્ડેન્ટને અરજી કરી હતી. હરિયાણા સરકારે હરિયાણા જેલ વિભાગમાં આવેલા ડેરા વડાની અરજી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલી છે, જેમાં તેમને પેરોલ પર મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે.

આ છે દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની, જાણો TATA Steel કયા નંબર પર
સૂતા પહેલા આ પાણી પીવો, મશીન કરતા પણ ફાસ્ટ કામ કરશે પાચનતંત્ર
ઐશ્વર્યા રાયથી લઈને દીપિકા સુધીના આ બોલિવૂડ સ્ટાર્સે ટીવી એડથી શરૂઆત કરી હતી પોતાની કારકિર્દીની
આજનું રાશિફળ તારીખ 29-09-2024
સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?

જેલ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં પેરોલ માંગવા માટે કોઈ કારણ આપવાની જરૂર નથી. માત્ર ઈમરજન્સી પેરોલ માટે કારણ આપવું જરૂરી છે. રામ રહીમની 20 દિવસની પેરોલ 2024 સુધી બાકી છે, તેથી કારણો જણાવવાની જરૂર નથી. અધિકારીએ કહ્યું કે પેરોલ સામાન્ય રીતે ડિવિઝનલ કમિશનર સ્તરે મંજૂર કરવામાં આવે છે. જો કે, આદર્શ આચારસંહિતાના કારણે જેલ વિભાગે મામલો મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલી આપ્યો છે.

રામ રહીમને 20-20 વર્ષની સજા

બાબા રામ રહીમને સપ્ટેમ્બર 2017માં તેની બે મહિલા શિષ્યો પર બળાત્કાર અને પત્રકારની હત્યાના આરોપમાં 20 વર્ષની આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ડેરા ચીફને જેલમાં ગયાને માત્ર સાત વર્ષ થયા છે. આ સમયગાળા દરમિયાન કોણ જાણે કેટલીવાર પેરોલ અને ફર્લો પર જેલમાંથી બહાર આવ્યો હતો. તેના જેલમાંથી બહાર આવવાની સંપૂર્ણ યાદી આ રહી.

રામ રહીમ જેલમાંથી ક્યારે બહાર આવ્યા?

20 ઓક્ટોબર 2020- એક દિવસની પેરોલ 12 મે 2021- એક દિવસની પેરોલ 17 મે 2021- એક દિવસની પેરોલ 3 જૂન, 2021- સાત દિવસની પેરોલ 13 જુલાઈ 2021- AIIMSમાં બતાવવા માટે પેરોલ 7 ફેબ્રુઆરી 2022- 21 દિવસની ફરલો 17,જૂન 2022- 30 દિવસની પેરોલ ઓક્ટોબર 2022- 40 દિવસની પેરોલ 21,જાન્યુઆરી, 2023- 40 દિવસની પેરોલ 20 ,જુલાઈ, 2023- 30 દિવસની પેરોલ 20 નવેમ્બર 2023- 21 દિવસની પેરોલ 19, જાન્યુઆરી , 2024- 50 દિવસની પેરોલ 13 ઓગસ્ટ 2024- 21 દિવસની ફરલો

બાળક રડ્યું તો સ્ટિયરિંગ પકડાવ્યું, જુઓ ટેમ્પો ટ્રાવેલરનો જોખમી વીડિયો
બાળક રડ્યું તો સ્ટિયરિંગ પકડાવ્યું, જુઓ ટેમ્પો ટ્રાવેલરનો જોખમી વીડિયો
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 99.25 ટકા ભરાયો, 10 દરવાજા ખોલાયા
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 99.25 ટકા ભરાયો, 10 દરવાજા ખોલાયા
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
અંબાલાલ પટેલે કેટલાક જિલ્લાઓમાં પવન સાથે ધોધમાર વરસાદની કરી આગાહી
અંબાલાલ પટેલે કેટલાક જિલ્લાઓમાં પવન સાથે ધોધમાર વરસાદની કરી આગાહી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભ થઈ શકે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભ થઈ શકે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
અમદાવાદ કર્ણાવતી ક્લબ નજીક લૂંટાયો રૂપિયા લઇને જતો કોન્ટ્રાક્ટર
અમદાવાદ કર્ણાવતી ક્લબ નજીક લૂંટાયો રૂપિયા લઇને જતો કોન્ટ્રાક્ટર
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
g clip-path="url(#clip0_868_265)">