AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનિયા ગાંધીના નિવાસસ્થાને ત્રણ દિવસમાં બીજી વખત બેઠક, રાહુલ-પ્રિયંકા સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ જોડાયા, PDP ચીફ મહેબૂબા મુફ્તી પણ હાજર

આ પહેલા શનિવારે સોનિયા ગાંધીના (Sonia Gandhi) નિવાસસ્થાને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, વરિષ્ઠ નેતા અંબિકા સોની, મલ્લિકાર્જુન ખડગે અને કેટલાક અન્ય નેતાઓ હાજર હતા.

સોનિયા ગાંધીના નિવાસસ્થાને ત્રણ દિવસમાં બીજી વખત બેઠક, રાહુલ-પ્રિયંકા સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ જોડાયા, PDP ચીફ મહેબૂબા મુફ્તી પણ હાજર
Sonia Gandhi and Rahul Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 7:43 PM
Share

કોંગ્રેસ (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધીના (Sonia Gandhi) નિવાસસ્થાને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પ્રિયંકા ગાંધી, મુકુલ વાસનિક, રણદીપ સિંહ સુરજેવાલા, કેસી વેણુગોપાલ અને અંબિકા સોની સહિત ઘણા નેતાઓ હાજર છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તી પણ આ બેઠકમાં ભાગ લેવા પહોંચી ગયા છે. જણાવી દઈએ કે બેઠકમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની રજૂઆત પર પણ ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ, સદસ્યતા અભિયાન અને અન્ય કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

જણાવી દઈએ કે આ પહેલા શનિવારે સોનિયા ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, વરિષ્ઠ નેતા અંબિકા સોની, મલ્લિકાર્જુન ખડગે અને કેટલાક અન્ય નેતાઓ હાજર હતા. જાણીતા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને પાર્ટીના ટોચના નેતૃત્વ અને વરિષ્ઠ નેતાઓની સામે પક્ષમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને આગામી લોકસભા ચૂંટણીની રણનીતિની બ્લુ પ્રિન્ટ રજૂ કરી હતી.

પાર્ટી તેમના દ્વારા રજૂ કરાયેલી યોજના પર વિચારણા કરવા માટે નેતાઓનું એક જૂથ બનાવશે, જે એક સપ્તાહની અંદર તેનો રિપોર્ટ સોનિયા ગાંધીને સોંપશે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસની નેતાગીરી ટૂંક સમયમાં કિશોરની ચૂંટણીની રણનીતિ અને તેના પાર્ટીમાં જોડાવા અંગે નિર્ણય લેશે.

પીકે સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂકે છે

સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ નેતૃત્વ સમક્ષ આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિની બ્લુ પ્રિન્ટમાં કોંગ્રેસની મીડિયા વ્યૂહરચના બદલવા, સંગઠનને મજબૂત કરવા અને એવા રાજ્યો પર વિશેષ ધ્યાન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે જ્યાં કોંગ્રેસ ભાજપ સામસામે છે. સૂત્રોએ જણાવ્યું કે કિશોરે સૂચન કર્યું છે કે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા જેવા કેટલાક રાજ્યોમાં કોંગ્રેસે તેની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવો જોઈએ અને આ રાજ્યોમાં ગઠબંધન ટાળવું જોઈએ.

આ પણ વાંચો : Jahangirpuri Violence: VHP અને બજરંગ દળ સામે કેસ નોંધાયો, મંજૂરી વગર જ શોભા યાત્રા કાઢવાનો આરોપ

આ પણ વાંચો : Lakhimpur Kheri Violence: SC તરફથી આશિષ મિશ્રાના જામીન રદ થવા પર રાકેશ ટિકૈતે વ્યક્ત કરી ખુશી, કહ્યું કોર્ટની સત્તાથી જ સારો ચાલશે દેશ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">