AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનિયા ગાંધીના નિવાસસ્થાને ત્રણ દિવસમાં બીજી વખત બેઠક, રાહુલ-પ્રિયંકા સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ જોડાયા, PDP ચીફ મહેબૂબા મુફ્તી પણ હાજર

આ પહેલા શનિવારે સોનિયા ગાંધીના (Sonia Gandhi) નિવાસસ્થાને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, વરિષ્ઠ નેતા અંબિકા સોની, મલ્લિકાર્જુન ખડગે અને કેટલાક અન્ય નેતાઓ હાજર હતા.

સોનિયા ગાંધીના નિવાસસ્થાને ત્રણ દિવસમાં બીજી વખત બેઠક, રાહુલ-પ્રિયંકા સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ જોડાયા, PDP ચીફ મહેબૂબા મુફ્તી પણ હાજર
Sonia Gandhi and Rahul Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 7:43 PM
Share

કોંગ્રેસ (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધીના (Sonia Gandhi) નિવાસસ્થાને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પ્રિયંકા ગાંધી, મુકુલ વાસનિક, રણદીપ સિંહ સુરજેવાલા, કેસી વેણુગોપાલ અને અંબિકા સોની સહિત ઘણા નેતાઓ હાજર છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તી પણ આ બેઠકમાં ભાગ લેવા પહોંચી ગયા છે. જણાવી દઈએ કે બેઠકમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની રજૂઆત પર પણ ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ, સદસ્યતા અભિયાન અને અન્ય કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

જણાવી દઈએ કે આ પહેલા શનિવારે સોનિયા ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, વરિષ્ઠ નેતા અંબિકા સોની, મલ્લિકાર્જુન ખડગે અને કેટલાક અન્ય નેતાઓ હાજર હતા. જાણીતા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને પાર્ટીના ટોચના નેતૃત્વ અને વરિષ્ઠ નેતાઓની સામે પક્ષમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને આગામી લોકસભા ચૂંટણીની રણનીતિની બ્લુ પ્રિન્ટ રજૂ કરી હતી.

પાર્ટી તેમના દ્વારા રજૂ કરાયેલી યોજના પર વિચારણા કરવા માટે નેતાઓનું એક જૂથ બનાવશે, જે એક સપ્તાહની અંદર તેનો રિપોર્ટ સોનિયા ગાંધીને સોંપશે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસની નેતાગીરી ટૂંક સમયમાં કિશોરની ચૂંટણીની રણનીતિ અને તેના પાર્ટીમાં જોડાવા અંગે નિર્ણય લેશે.

પીકે સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂકે છે

સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ નેતૃત્વ સમક્ષ આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિની બ્લુ પ્રિન્ટમાં કોંગ્રેસની મીડિયા વ્યૂહરચના બદલવા, સંગઠનને મજબૂત કરવા અને એવા રાજ્યો પર વિશેષ ધ્યાન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે જ્યાં કોંગ્રેસ ભાજપ સામસામે છે. સૂત્રોએ જણાવ્યું કે કિશોરે સૂચન કર્યું છે કે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા જેવા કેટલાક રાજ્યોમાં કોંગ્રેસે તેની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવો જોઈએ અને આ રાજ્યોમાં ગઠબંધન ટાળવું જોઈએ.

આ પણ વાંચો : Jahangirpuri Violence: VHP અને બજરંગ દળ સામે કેસ નોંધાયો, મંજૂરી વગર જ શોભા યાત્રા કાઢવાનો આરોપ

આ પણ વાંચો : Lakhimpur Kheri Violence: SC તરફથી આશિષ મિશ્રાના જામીન રદ થવા પર રાકેશ ટિકૈતે વ્યક્ત કરી ખુશી, કહ્યું કોર્ટની સત્તાથી જ સારો ચાલશે દેશ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">