AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur Kheri Violence: SC તરફથી આશિષ મિશ્રાના જામીન રદ થવા પર રાકેશ ટિકૈતે વ્યક્ત કરી ખુશી, કહ્યું કોર્ટની સત્તાથી જ સારો ચાલશે દેશ

સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપતા આશિષ મિશ્રાના જામીન રદ કર્યા છે. હવે તેમણે એક સપ્તાહમાં પોલીસ સમક્ષ સરેન્ડર થવું પડશે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) આ બાબતે ખુશી વ્યક્ત કરી છે.

Lakhimpur Kheri Violence: SC તરફથી આશિષ મિશ્રાના જામીન રદ થવા પર રાકેશ ટિકૈતે વ્યક્ત કરી ખુશી, કહ્યું કોર્ટની સત્તાથી જ સારો ચાલશે દેશ
Rakesh tikait (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 5:19 PM
Share

લખીમપુર ખેરી હિંસા કેસના (Lakhimpur Kheri Violence) આરોપી આશિષ મિશ્રાને (Ashish Mishra) સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે આશિષ મિશ્રાના જામીન રદ કર્યા છે. આ બાબતે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની પ્રતિક્રિયા સામે આવી છે. ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યું છે કે કોર્ટની સત્તાથી જ દેશ યોગ્ય રીતે ચાલશે. ખેડૂત નેતાએ કહ્યું કે લખીમપુર ખેરી હિંસા કેસમાં યુપી સરકારે કોર્ટમાં તથ્યો રજૂ કર્યા ન હતા, તેથી આશિષ મિશ્રાને જામીન ન મળ્યા. તેમણે કહ્યું કે જો કોર્ટ પોતાની સત્તાનો ઉપયોગ કરે તો દેશ સારો ચાલી શકે છે.

આશિષ મિશ્રાની જામીનને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાના જામીન કોર્ટે રદ કર્યા છે. આ સાથે જ કોર્ટે મંત્રીના પુત્રને સરેન્ડર કરવાનો આદેશ જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ જામીન રદ કરી દીધા છે. કોર્ટના આદેશ મુજબ હવે આશિષ મિશ્રાએ એક સપ્તાહની અંદર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે.

‘આશિષ મિશ્રાના જામીન રદ’

4 એપ્રિલે સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાના જામીન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ખેડૂતોએ આશિષના જામીન રદ કરવા કોર્ટમાં અરજી કરી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ અલ્હાબાદ હાઈકોર્ટના જામીન આપવાના આદેશ પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે આ કેસની સુનાવણી હજુ શરૂ થવાની છે, આવી સ્થિતિમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઈજાઓની પ્રકૃતિ જેવી બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ નહીં.

દિવંગત પત્રકાર રમણ કશ્યપના ભાઈ પવન કશ્યપે આશિષ મિશ્રાના જામીન રદ કરવા બદલ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે ન્યાય આપવા માટે તેઓ સુપ્રીમ કોર્ટનો આભાર માને છે. આ સાથે તેમણે વકીલોનો પણ મક્કમતાથી પક્ષ રાખવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ નિર્ણયથી ન્યાયતંત્રમાં તેમનો વિશ્વાસ વધુ વધ્યો છે.

આશિષ મિશ્રાને સુપ્રીમ કોર્ટનો આંચકો

સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપતા આશિષ મિશ્રાના જામીન રદ કર્યા છે. હવે તેમણે એક સપ્તાહમાં પોલીસ સમક્ષ સરેન્ડર થવું પડશે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આ બાબતે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે યુપી સરકારે આ બાબતે તમામ તથ્યો કોર્ટ સમક્ષ મુક્યા નથી. સાથે જ તેમણે કહ્યું કે કોર્ટની સત્તાથી જ દેશ યોગ્ય રીતે ચાલશે.

આ પણ વાંચો: કૃષિ મંત્રાલયે શરૂ કર્યા બે પોર્ટલ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓને મળશે લાભ

આ પણ વાંચો: Russia-Ukraine War: રશિયાએ લ્વીવ શહેરમાં 5 મિસાઈલ છોડી, 6 લોકોના મોત, યુક્રેનના PMએ કહ્યું- આત્મસમર્પણ નહીં કરે દેશ

Follow Us
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">