Gujarati NewsNationalDelhi jahangirpuri violence case registered against organisers of vhp bajrang dal delhi prant
Jahangirpuri Violence: VHP અને બજરંગ દળ સામે કેસ નોંધાયો, મંજૂરી વગર જ શોભા યાત્રા કાઢવાનો આરોપ
દિલ્હી પોલીસ (Delhi Police) કમિશનર રાકેશ અસ્થાનાએ સોમવારે જહાંગીરપુરી હિંસા કેસમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે અફવા ફેલાવનારાઓને કડક સંદેશ આપ્યો હતો.
દિલ્હીના જહાંગીરપુરી હિંસા (Jahangirpuri Violence) કેસમાં દિલ્હી પોલીસે (Delhi Police) વિશ્વ હિન્દુ પરિષદ (VHP), બજરંગ દળ, દિલ્હી પ્રાંત, મુખરજી નગર જિલ્લાના આયોજકો સામે કેસ નોંધ્યો છે. તેમની પાસે જહાંગીરપુરીમાં શોભા યાત્રા કાઢવાની કોઈ પરવાનગી નહોતી. આ કેસમાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સેવક પ્રમુખ પ્રેમ શર્માની ધરપકડ કરવામાં આવી છે. DCP NW ઉષા રંગનાનીએ જણાવ્યું કે, 17 એપ્રિલે VHP, બજરંગ દળ દિલ્હી પ્રાંતના આયોજકો વિરુદ્ધ (16 એપ્રિલની સાંજે પોલીસ સ્ટેશન વિસ્તારના જહાંગીરપુરીમાં) પરવાનગી વિના શોભા યાત્રા કાઢવા માટે કેસ નોંધવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સેવા પ્રમુખ પ્રેમ શર્માની ધરપકડ કરવામાં આવી છે.
17 अप्रैल को VHP, बजरंग दल दिल्ली प्रांत के आयोजकों के खिलाफ बिना अनुमति के जुलूस (16 अप्रैल की शाम पुलिस स्टेशन क्षेत्र के जहांगीरपुरी में) निकालने के संदर्भ में मामला दर्ज किया गया है। विश्व हिंदू परिषद के ज़िला सेवा के प्रमुख प्रेम शर्मा को गिरफ्तार किया है: DCP NW उषा रंगनानी
બીજી તરફ, દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ સોમવારે જણાવ્યું હતું કે જહાંગીરપુરી હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં બંને સમુદાયના 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, તેમણે એવા દાવાઓને નકારી કાઢ્યા હતા કે હનુમાન જયંતિની શોભા યાત્રા દરમિયાન મસ્જિદમાં ભગવા ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અસ્થાનાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે હિંસક અથડામણમાં સામેલ લોકોને વર્ગ, સંપ્રદાય અથવા ધર્મના આધારે બક્ષવામાં આવશે નહીં.
શોભા યાત્રા દરમિયાન મસ્જિદમાં ભગવો ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો
દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ધ્વજ ફરકાવવાના પ્રયાસો પછી અથડામણ શરૂ થઈ હતી, તો તેમણે કહ્યું, ના, શોભા યાત્રા દરમિયાન મસ્જિદમાં ભગવો ધ્વજ લહેરાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. ઘણા રાજકારણીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સે આરોપ લગાવ્યો હતો કે, કેટલાક લોકોએ જહાંગીરપુરીની એક સ્થાનિક મસ્જિદમાં ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કર્યો, જેના પછી પથ્થરમારો અને હિંસા થઈ હતી.
દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ સોમવારે જહાંગીરપુરી હિંસા કેસમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે અફવા ફેલાવનારાઓને કડક સંદેશ આપ્યો હતો. કમિશનરે કહ્યું કે, કેટલાક લોકો સોશિયલ મીડિયા દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે સોશિયલ મીડિયા પર કડક નજર રાખી રહ્યા છીએ અને ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અફવાઓ પર ધ્યાન ન આપો.