97 વર્ષના દાદીની અપીલ જીતી રહી છે લોકોના હ્રદય, વિડીયો શેર કરીને આપ્યો આ ખાસ સંદેશ

97 વર્ષીય મહિલા કેમેરા સાથે વાત કરતા જોઇ શકાય છે કે તેણે માર્ચમાં કોવિડ -19 રસીનો પહેલો ડોઝ લીધો હતો અને ત્યારથી તે પહેલા કરતાં વધુ સારું મેહસૂસ કરી રહ્યા છે

Rahul Vegda
| Edited By: | Updated on: May 09, 2021 | 8:26 PM

કોરોના વાયરસની રોકથામ માટે વિશ્વભરમાં રસીકરણ અભિયાન ચાલુ છે. પરંતુ આ હોવા છતાં, ઘણા લોકો હજી પણ રસી મેળવવા વિશે મૂંઝવણમાં છે. ઘણા લોકો હજી પણ કોરોના રસીને સલામત માનતા નથી. આ દિવસોમાં સોશ્યલ મીડિયા પર એક વૃદ્ધ મહિલાની અપીલનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, મહિલાએ તમામ લોકોને રસી મૂકવા હાકલ કરી છે. હવે તેનો આ સંદેશ જોરશોરથી શેર કરવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, 97 વર્ષીય મહિલા કેમેરા સાથે વાત કરતા જોઇ શકાય છે કે તેણે માર્ચમાં કોવિડ -19 રસીનો પહેલો ડોઝ લીધો હતો અને ત્યારથી તે પહેલા કરતાં વધુ સારું મેહસૂસ કરી રહ્યા છે. લોકોને આ સંદેશ આપતા વૃદ્ધ મહિલા દરેકને બોલે છે, “મને કોઈ દુખાવો કે કોઈ પણ પ્રકારની આડઅસર નથી.”
તાજેતરમાં, ઇન્ટરનેટ જગતમાં કોરોના રસીથી સંબંધિત ઘણી અફવાઓ ફેલાઇ હતી. આવી સ્થિતિમાં, રસીકરણ સાથે જોડાયેલી ગેરસમજોને દૂર કરતાં, મહિલાએ કહ્યું, કે કોઈએ પણ ડરવાની જરૂર નથી, રસી કરણ કરવી લેવું જોઈએ જે આપના અને આપના આસપાસના લોકો માટે ઘણું સારું છે. આ વીડિયો વરિષ્ઠ પત્રકાર લતા વેંકટેશન દ્વારા શેર કરવામાં આવ્યો છે.]

વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા પછી વૃદ્ધ મહિલા ઇન્ટરનેટ પર છવાય ગયા છે. કોરોના રસીકરણને પ્રોત્સાહન આપવાની તેમની શૈલીને લોકો પસંદ કરી રહ્યા છે. રસીકરણને પ્રેરણા આપવા માટે, લોકો સંદેશ પર વિવિધ રીતે ટિપ્પણી કરવામાં અને વિડિઓઝ શેર કરવામાં પણ વ્યસ્ત છે. સેલિબ્રિટિસ પણ આ વીડિયોને રીટ્વીટ કરી રહ્યા છે અને પસંદ કરી રહ્યા છે.

એક યુઝર વીડિયો જોયા પછી તેણે લખ્યું કે, “તેમની વાત સાંભળો. રસી પીડા રહીત છે, અને સમય પણ જરૂરી છે. ” બીજા એક યુઝરે ટ્વીટ કર્યું, “આ તે લોકો માટે છે જે કોરોના રસી લેવા માટે ખચકાટ અનુભવતા હોય છે.” રસી વિશે સંકોચ કરવાનો હવે સમય નથી. ” આપને જણાવી દઈએ કે 1 મેથી, ભારતમાં 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે. આ તબક્કામાં લોકોને ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં રસીકરણની સુવિધા આપવામાં આવી છે.

 

Follow Us:
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">