કર્મચારીઓ એકાએક માંદગીની રજા પર ઉતરી જતા એર ઈન્ડિયાની સેવા ઠપ્પ, 70 ફ્લાઈટ કરાઈ રદ
નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ આ મુદ્દા પર સતત નજર રાખી રહ્યા છે. એરલાઈન્સના કર્મચારીઓ એકાએક રજા પર ઉતરી જવાને કારણે અનેક મુસાફરો ખૂબ હેરાન પરેશાન થયા છે. તેઓએ એર લાઈન્સ સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનો ઉપયોગ કરી રહ્યાં છે.
ટાટા અને એર ઈન્ડિયાની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. અગાઉ વિસ્તારામાં પાયલોટની અછતને કારણે વિમાની કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી. હવે એર ઈન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સ એકાએક સિક લીવ પર ઉતરી જવાથી ઘણી સમસ્યા સર્જાઈ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ એકાએક રજા પર ઉતરી જવાને કારણે ગઈકાલ મંગળવાર રાતથી આજે બુધવાર સવાર સુધીમાં 70થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.
ANIના ટ્વિટ અનુસાર, નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ આ મુદ્દા પર સતત નજર રાખી રહ્યા છે. એરલાઈન્સના કર્મચારીઓ એકાએક રજા પર ઉતરી જવાને કારણે અનેક મુસાફરો ખૂબ હેરાન પરેશાન થયા છે. તેઓએ એર લાઈન્સ સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનો ઉપયોગ કરી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓએ ગેરવહીવટનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે કર્મચારીઓ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.
“A section of our cabin crew has reported sick at the last minute, starting last night, resulting in flight delays and cancellations. While we are engaging with the crew to understand the reasons behind these occurrences, our teams are actively addressing this issue to minimise… https://t.co/fM6CFkVxnL pic.twitter.com/p8BH2HMlNj
— ANI (@ANI) May 8, 2024
એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે, એરલાઈન્સના કેબિન ક્રૂના એક જૂથે ગઈકાલે રાત્રે છેલ્લી ઘડીએ, બીમાર હોવાની જાણ કરી હતી. જેના કારણે ફ્લાઈટ મોડી પડવાની સાથેસાથે કેટલીક ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી. જ્યારે અમે આ ઘટનાઓ પાછળના કારણોને સમજવા માટે કેબિન ક્રૂના જૂથ સાથે વાતચીત કરી રહ્યા છીએ. એરલાઇન્સની ટીમ આ સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.
પ્રવક્તાએ કહ્યું કે ક્રૂ મેમ્બરોની અચાનક તબિયત લથડવાના સમાચારને કારણે મુસાફરોને થયેલી અસુવિધા માટે એરલાઇન ક્ષમા માંગે છે. પ્રવક્તાએ કહ્યું કે ફ્લાઇટ કેન્સલેશનથી પ્રભાવિત મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. અથવા તેમની અનુકુળ એવી અન્ય કોઈ તારીખે ફ્લાઇટ નક્કી કરવામાં આવશે. પ્રવક્તાએ કહ્યું કે આજે એરપોર્ટ પર આવતા પહેલા મુસાફરોએ જાણકારી મેળવી લેવી જોઈએ કે તેમની ફ્લાઈટ રદ થઈ છે કે નહીં.