ફેસબુક લાઈવ દરમિયાન હત્યા થઈ તે શિવસેના નેતા અભિષેક ઘોષાલકર કોણ હતા? જાણો શું હતુ હત્યાનું કારણ

શિવસેનાના અભિષેક ઘોસાલકરને 'ફેસબુક લાઈવ' દરમિયાન સામાજિક કાર્યકર્તા મૌરિસ નોરોન્હાએ ગોળી મારી દીધી હતી. પછી તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી. આ ઘટના બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. આખરે કોણ હતો અભિષેક ઘોસાલકર? ચાલો જાણીએ.

ફેસબુક લાઈવ દરમિયાન હત્યા થઈ તે શિવસેના નેતા અભિષેક ઘોષાલકર કોણ હતા? જાણો શું હતુ હત્યાનું કારણ
Abhishek Ghoshalkar murdered
Follow Us:
| Updated on: Feb 09, 2024 | 11:26 AM

શિવસેનાના નેતા અભિષેક ઘોસાલકરની ગુરુવારે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાદમાં હુમલાખોરે પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. હાલ આ કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ત્યારે અભિષેક ઘોસાલકર કોણ હતા અને તેમની હત્યા પાછળ શું ઉદ્દેશ્ય હતો ? ચાલો જાણીએ.

શિવસેનાના નેતાની ફેસબુક લાઈવમાં હત્યા

40 વર્ષીય અભિષેક પૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોસાલકરના પુત્ર હતા. વિનોદને ઉદ્ધવ ઠાકરેના ખૂબ નજીકના માનવામાં આવે છે. જ્યારે અભિષેક ઘોસાલકરને આદિત્ય ઠાકરેના નજીકના માનવામાં આવતા હતા. અભિષેક ઘોસાલકરે શરૂઆતમાં સામાજિક કાર્ય શરૂ કર્યું. આ પછી તેઓ મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા. અભિષેક ઘોસાલકર મુંબઈ મહાનગરપાલિકામાં બે વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. દહિસરમાં તે એક યુવાન અને મહેનતુ નેતા તરીકે જોવામાં આવે છે.

તેમની છબી એક અભ્યાસુ અને જુસ્સાદાર કાઉન્સિલર તરીકેની છે. અભિષેક દહિસર કંદરપાડા વોર્ડ નંબર 7નો કોર્પોરેટર હતા. હાલમાં આ વોર્ડ શીતલ મ્હાત્રેના કબજામાં છે. હાલમાં અભિષેકની પત્ની તેજસ્વી દરેકર વોર્ડ નંબર 1ના કોર્પોરેટર છે. બંનેએ વર્ષ 2013માં લગ્ન કર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

મોરિસ અને અભિષેક વચ્ચે પરસ્પર દુશ્મની હતી

મળતી માહિતી મુજબ અભિષેક અને સામાજિક કાર્યકર મોરિસ નોરોન્હા વચ્ચે પરસ્પર દુશ્મનાવટ હતી. ફેસબુક લાઈવ એ સ્પષ્ટ કરવા માટે હતું કે તેઓ બોરીવલીમાં IC કોલોની વિસ્તારની સુધારણા માટે તેમના પરસ્પર વિવાદને સમાપ્ત કર્યા પછી એક સાથે આવ્યા છે. પરંતુ અહીં કંઈક બીજું જ થયું, જેની કદાચ કોઈએ કલ્પના પણ કરી ન હતી. ફેસબુક લાઈવ દરમિયાન મૌરિસે સૌથી પહેલા અભિષેકના પેટ અને ખભા પર ફાયરિંગ કર્યું હતું. જ્યારે તે લોહીથી લથબથ નીચે પડી ગયો ત્યારે મૌરિસે પોતાના પર ગોળીબાર કરીને આત્મહત્યા કરી લીધી.

હાલમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે ફાયરિંગની ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. બીજી બાજુ, આ ઘટના પછી, શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે એક પોસ્ટમાં આરોપ લગાવ્યો કે તેમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાઉતે એવી પણ માંગ કરી હતી કે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવું જોઈએ.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું, મહારાષ્ટ્રમાં શું થઈ રહ્યું છે? શિવસેના (ઉદ્ધવ)ના નેતા અભિષેક ઘોસાલકરને મુંબઈના દહિસરમાં ફેસબુક લાઈવ દરમિયાન ત્રણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બે દિવસ પહેલા મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં પોલીસ સ્ટેશનમાં ગોળીબાર થયો હતો. આ બધું શું છે?

કોણે ગોળી ચલાવી, મોરિસ?

તમને જણાવી દઈએ કે, મૌરીસ બોરીવલી વેસ્ટની આઈસી કોલોનીમાં રહેતી હતી. તે સામાજિક કાર્યકર મૌરીસ નોરોન્હા ઉર્ફે મૌરીસ ભાઈ તરીકે જાણીતો હતો. પરંતુ તેની સામે બળાત્કાર, ખંડણી અને છેતરપિંડીના કેસ નોંધાયા હતા. તેના પર એક મહિલા સાથે 88 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો અને તેની સાથે બળાત્કાર કરવાનો પણ આરોપ છે. કહેવાય છે કે મોરિસે આ મહિલાને ધમકી પણ આપી હતી. ધમકીનો કથિત વીડિયો પણ વાયરલ થયો હતો. આટલું જ નહીં, કોર્ટમાં જતી વખતે તેણે પત્રકારોને ધમકી પણ આપી હતી. મોરીસભાઈ વોર્ડ નંબર 1માંથી મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">