AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: હેમંત નાગરેલની બદલીથી રાજકારણ ગરમાયુ, NCP નેતાએ કર્યો ચોંકાવનારો દાવો

NCPના એક નેતાએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, ભાજપના નેતાઓ સામે પગલાં લેવામાં નિષ્ક્રિયતા અને શિથિલતાને કારણે હેમંત નાગરેલની બદલી કરવામાં આવી છે.

Maharashtra: હેમંત નાગરેલની બદલીથી રાજકારણ ગરમાયુ, NCP નેતાએ કર્યો ચોંકાવનારો દાવો
Hemant nagrale transferred by maharashtra government
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 4:33 PM
Share

Maharashtra:  મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર હેમંત નાગરેલની (Hemant Nagrale) બદલી કરવામાં આવી છે. ગયા વર્ષે પરમબીર સિંહને (Parambir Singh) મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી હટાવીને હેમંત નાગરલેને એન્ટીલિયા બોમ્બ બ્લાસ્ટ કેસને યોગ્ય રીતે હેન્ડલ કરવા મુંબઈ પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા.

એક વર્ષમાં જ તેને કેમ હટાવી દેવામાં આવ્યા?

જો કે એક વર્ષમાં જ તેને કેમ હટાવી દેવામાં આવ્યા? મુંબઈ પોલીસ કમિશનર તરીકે સંજય પાંડેની (Sanjay Pandey) ઉતાવળમાં નિમણૂક અને હેમંત નાગરલેને સાઈડ પોસ્ટિંગ આપવાના કારણો શું છે? ઘણા સવાલો હાલ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ જે ઝડપે મહારાષ્ટ્રમાં એનસીપી અને શિવસેનાના નેતાઓ પર કકળાટ કરી રહી છે અને તેમના નવા કૌભાંડોનો પર્દાફાશ કરી રહી છે તેમજ મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારે એવી માગણી કરી રહી હતી કે મુંબઈ પોલીસ ભાજપના નેતાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરે…પગલાં પણ લે.

હોદ્દાઓની અદલાબદલી કરવામાં આવી

હેમંત નાગરાલેને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે સંજય પાંડે અત્યાર સુધી આ પદ સંભાળતા હતા. સંજય પાંડે પણ આ પોસ્ટને લઈને નારાજ હતા અને તેમણે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હવે તેમને રાજ્યની પોલીસ ટીમના બીજા સૌથી મહત્વપૂર્ણ પદ એટલે કે મુંબઈ પોલીસ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સંજય પાંડેની જગ્યાએ હેમંત નાગરાલેને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. એટલે કે હોદ્દાઓની અદલાબદલી કરવામાં આવી છે.

NCP નેતાનો ગંભીર આરોપ

NCPના એક નેતાએ અંગ્રેજી અખબાર ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ને આપેલા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ભાજપના નેતાઓ સામે પગલાં લેવામાં નિષ્ક્રિયતા અને શિથિલતાને કારણે હેમંત નાગરેલની બદલી થઈ હતી. હેમંત નાગરાલે 1987 બેચના IPS અધિકારી છે. પરમબીર સિંહ અને સચિન વાજેને કારણે ઠાકરે સરકારની પ્રતિષ્ઠા ઘટી રહી હતી, જેથી હેમંત નાગરાલેને મુંબઈ પોલીસ કમિશનરનો હવાલો આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : યુક્રેનથી 182 વિદ્યાર્થીઓને લઈ મુંબઈ પહોંચી ‘ઓપરેશન ગંગા’ની સાતમી ફ્લાઈટ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એરપોર્ટ પહોંચી કર્યુ સ્વાગત

Follow Us
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
g clip-path="url(#clip0_868_265)">