AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: હેમંત નાગરેલની બદલીથી રાજકારણ ગરમાયુ, NCP નેતાએ કર્યો ચોંકાવનારો દાવો

NCPના એક નેતાએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, ભાજપના નેતાઓ સામે પગલાં લેવામાં નિષ્ક્રિયતા અને શિથિલતાને કારણે હેમંત નાગરેલની બદલી કરવામાં આવી છે.

Maharashtra: હેમંત નાગરેલની બદલીથી રાજકારણ ગરમાયુ, NCP નેતાએ કર્યો ચોંકાવનારો દાવો
Hemant nagrale transferred by maharashtra government
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 4:33 PM
Share

Maharashtra:  મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર હેમંત નાગરેલની (Hemant Nagrale) બદલી કરવામાં આવી છે. ગયા વર્ષે પરમબીર સિંહને (Parambir Singh) મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી હટાવીને હેમંત નાગરલેને એન્ટીલિયા બોમ્બ બ્લાસ્ટ કેસને યોગ્ય રીતે હેન્ડલ કરવા મુંબઈ પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા.

એક વર્ષમાં જ તેને કેમ હટાવી દેવામાં આવ્યા?

જો કે એક વર્ષમાં જ તેને કેમ હટાવી દેવામાં આવ્યા? મુંબઈ પોલીસ કમિશનર તરીકે સંજય પાંડેની (Sanjay Pandey) ઉતાવળમાં નિમણૂક અને હેમંત નાગરલેને સાઈડ પોસ્ટિંગ આપવાના કારણો શું છે? ઘણા સવાલો હાલ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ જે ઝડપે મહારાષ્ટ્રમાં એનસીપી અને શિવસેનાના નેતાઓ પર કકળાટ કરી રહી છે અને તેમના નવા કૌભાંડોનો પર્દાફાશ કરી રહી છે તેમજ મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારે એવી માગણી કરી રહી હતી કે મુંબઈ પોલીસ ભાજપના નેતાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરે…પગલાં પણ લે.

હોદ્દાઓની અદલાબદલી કરવામાં આવી

હેમંત નાગરાલેને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે સંજય પાંડે અત્યાર સુધી આ પદ સંભાળતા હતા. સંજય પાંડે પણ આ પોસ્ટને લઈને નારાજ હતા અને તેમણે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હવે તેમને રાજ્યની પોલીસ ટીમના બીજા સૌથી મહત્વપૂર્ણ પદ એટલે કે મુંબઈ પોલીસ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સંજય પાંડેની જગ્યાએ હેમંત નાગરાલેને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. એટલે કે હોદ્દાઓની અદલાબદલી કરવામાં આવી છે.

NCP નેતાનો ગંભીર આરોપ

NCPના એક નેતાએ અંગ્રેજી અખબાર ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ને આપેલા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ભાજપના નેતાઓ સામે પગલાં લેવામાં નિષ્ક્રિયતા અને શિથિલતાને કારણે હેમંત નાગરેલની બદલી થઈ હતી. હેમંત નાગરાલે 1987 બેચના IPS અધિકારી છે. પરમબીર સિંહ અને સચિન વાજેને કારણે ઠાકરે સરકારની પ્રતિષ્ઠા ઘટી રહી હતી, જેથી હેમંત નાગરાલેને મુંબઈ પોલીસ કમિશનરનો હવાલો આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : યુક્રેનથી 182 વિદ્યાર્થીઓને લઈ મુંબઈ પહોંચી ‘ઓપરેશન ગંગા’ની સાતમી ફ્લાઈટ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એરપોર્ટ પહોંચી કર્યુ સ્વાગત

Follow Us
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
g clip-path="url(#clip0_868_265)">