Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈમાં દરરોજ 25 હજાર ગરીબોને મળશે વિનામુલ્યે ભોજન, અક્ષય ચૈતન્ય નામની સંસ્થાએ શરૂ કર્યું એક સેન્ટ્રલાઈઝ્ડ કિચન 

'અક્ષય ચૈતન્ય' નામની સ્વયંસેવી સંસ્થા ભાયખલા વિસ્તારમાં સેન્ટ્રલાઈઝ્ડ કિચન  શરૂ કરી રહી છે. આ રસોડામાંથી દરરોજ 25 હજાર જરૂરિયાતમંદ લોકોને મફત ભોજન આપવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ એ છે કે જે પણ આ શહેરમાં આવે તેને ભૂખ્યુ ન સૂવે.

મુંબઈમાં દરરોજ 25 હજાર ગરીબોને મળશે વિનામુલ્યે ભોજન, અક્ષય ચૈતન્ય નામની સંસ્થાએ શરૂ કર્યું એક સેન્ટ્રલાઈઝ્ડ કિચન 
Free food meal program
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 11:49 PM

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં દેશના સૌથી ધનિક લોકો રહે છે. તેમ છતાં આ શહેરમાં દરરોજ ઘણા લોકો ભૂખ્યા સૂઈ જાય છે. આને ધ્યાનમાં રાખીને ‘અક્ષય ચૈતન્ય’ (Akshay Chaitanya) નામની સ્વયંસેવી સંસ્થા ભાયખલા વિસ્તારમાં સેન્ટ્રલાઈઝ્ડ કિચન (Kitchen) શરૂ કરી રહી છે. આ રસોડામાંથી દરરોજ 25 હજાર જરૂરિયાતમંદ લોકોને મફત ભોજન (Free food for 25000 people) આપવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ એ છે કે જે પણ આ શહેરમાં આવે તેને ભૂખ્યુ ન સૂવે. આ રસોડામાંથી દરરોજ પચીસ હજારથી વધુ લોકોને વિનામુલ્યે ભોજન આપવામાં આવશે. આ કાર્યક્રમ 4 માર્ચથી શરૂ થઈ રહ્યો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુંબઈના સંરક્ષક મંત્રી આદિત્ય ઠાકરેના હાથે થશે.

સરકારી દવાખાનામાં સારવાર માટે આવતા દર્દીઓના સગા-સંબંધીઓને ભૂખ્યા રહીને દિવસો પસાર ન કરવા પડે તે માટે મુંબઈની સ્વયંસેવી સંસ્થા ‘અક્ષય ચૈતન્ય’ ઘણું સારું કામ કરી રહી છે. સંસ્થાના કેન્દ્રથી 10 માઈલની ત્રિજ્યામાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ન સૂવે તે હેતુથી અહીં કામ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ સંજોગોમાં, દરરોજ સાતત્ય સાથે 25,000 ભૂખ્યા લોકોને ખવડાવવાનો હેતુ અને ક્ષમતા પણ છે.

આ સંસ્થાના ઉદ્ઘાટન માટે આદિત્ય ઠાકરે સાથે મુંબઈના મેયર કિશોરી પેડનેકર, ધારાસભ્ય યામિની જાધવ અને મુંબઈ મહાનગર પાલિકાના સહાયક કમિશનર સુરેશ કાકાણી હાજર રહેશે. ‘અક્ષય ચૈતન્ય’ એ ‘હરે ક્રિષ્ના મૂવમેન્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન’ની એક સહયોગી સંસ્થા છે. ‘અક્ષય ચૈતન્ય’ નામની આ સંસ્થા પોતાનો આ કાર્યક્રમ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડીએમઆઈઆર જેવી સંસ્થાઓ સાથે મળીને ભૂખ નાબૂદીનો આ કાર્યક્રમ ચલાવશે.

વિનોદ કાંબલીને હવે દર મહિને આટલા પૈસા મળશે
AC Tips : અચાનક ઓછું થઈ ગયું છે AC નું કૂલિંગ? હોઈ શકે છે આ 5 મોટા કારણ
શું મૃત્યુનો સમય અને સ્થળ અગાઉથી નક્કી હોય છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
IPL 2025 ના 'સુપરમેન', તેમનાથી બચવું મુશ્કેલ છે !
મનપસંદ જીવનસાથીને કેવી રીતે મેળવવો ? પ્રેમાનંદ મહારાજે આપ્યો જવાબ
સાસુ અને વહુ વચ્ચે ઝગડો શા માટે થાય છે? બાબા બાગેશ્વરે જણાવ્યું કારણ

શાળાઓમાં પણ ભોજન અપાશે, ભૂખથી મુક્તિનો સંકલ્પ સાકાર થશે

આ સંસ્થાનો હેતુ હોસ્પિટલના દર્દીઓ અને તેમના પરિવારો, સ્થળાંતર કામદારો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબોની ભૂખ દૂર કરવા પૂરતો મર્યાદિત નથી. ‘અક્ષય ચૈતન્ય’ની યોજના શાળાઓમાં બાળકોને પણ  ભોજન પૂરું પાડવાની છે. શાળાઓમાં ગરીબ પરિવારના બાળકોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માહિતી અક્ષય ચૈતન્યના સીઈઓ વિકાસ પરછંડાએ આપી હતી.

સંસ્થાની ક્ષમતા એટલી છે કે દરરોજ 50 હજાર લોકો જમી શકે

સંસ્થાએ હૈદરાબાદમાં પણ આ પ્રકારે અલગ- અલગ સામાજિક કાર્યક્રમ અમલમાં મૂકીને શહેરને ભૂખમરાથી મુક્ત કરવામાં સફળતા મેળવી છે. આ સંસ્થા હૈદરાબાદમાં સેન્ટ્રલાઈઝ કોમ્યુનિટી કિચનની ક્ષમતા ધરાવે છે જેનાથી દરરોજ 50 હજાર લોકો જમી શકે છે. સંસ્થા દ્વારા ‘હેલ્ધી ડાયટ’ નામનો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.

સંસ્થા દ્વારા ‘સ્વસ્થ આહાર’ નામનો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત હૈદરાબાદની 400 શાળાઓમાં વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવી રહ્યો છે. મુંબઈમાં પણ આ સંસ્થાનો હેતુ મજૂરો, ગરીબો, દર્દીઓ અને તેમના સંબંધીઓ, વિદ્યાર્થીઓને વિનામુલ્યે પૌષ્ટિક આહાર આપવાનો છે.

આ પણ વાંચો :  છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેની તમામ માંગણીઓ મહારાષ્ટ્ર સરકારે સ્વીકારી, ત્રીજા દિવસે અનશન કર્યા પૂર્ણ

વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
g clip-path="url(#clip0_868_265)">