AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુક્રેનથી 182 વિદ્યાર્થીઓને લઈ મુંબઈ પહોંચી ‘ઓપરેશન ગંગા’ની સાતમી ફ્લાઈટ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એરપોર્ટ પહોંચી કર્યુ સ્વાગત

એસ. જયશંકરે ટ્વીટ કરી કહ્યું હતું કે ઓપરેશન ગંગા પોતાની સાતમી ફ્લાઈટની ઉડાન ભરી નીકળી છે. 182 ભારતીય નાગરિકોએ બુખારેસ્ટથી મુંબઈની મુસાફરી શરૂ કરી દીધી છે.

યુક્રેનથી 182 વિદ્યાર્થીઓને લઈ મુંબઈ પહોંચી 'ઓપરેશન ગંગા'ની સાતમી ફ્લાઈટ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એરપોર્ટ પહોંચી કર્યુ સ્વાગત
PC- ANI
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 11:07 AM
Share

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે છઠ્ઠઠો દિવસ છે. ત્યારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વતન પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યુ છે. યુક્રેન (Ukraine)માં ફસાયેલા 182 ભારતીય નાગરિકોને લઈ ઓપરેશન ગંગા (Operation Ganga)ની સાતમી ફ્લાઈટ બુખારેસ્ટથી મુંબઈ પહોંચી ગઈ છે. વિદ્યાર્થીઓ મુંબઈ પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ તેમનું સ્વાગત કર્યુ. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (Union Minister Narayan Rane)એ કહ્યું આજે યુક્રેનથી એક ફ્લાઈટ 182 ભારતીય વિદ્યાર્થીઓને લઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી છચે. મેં બધાનું સ્વાગત કર્યુ છે. બધા જ યુક્રેનની પરિસ્થિતિ જોઈને ગભરાયેલા હતા, મેં બધાને ખાતરી આપી છે કે તમે બધા સુરક્ષિત રીતે ભારત પહોંચી ચૂક્યા છો. આ પહેલા વિદેશપ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે ઓપરેશન ગંગા હેઠળ 182 ફસાયેલા ભારતીય નાગરિકોને લઈને સાતમી ફ્લાઈટ રોમાનિયાની રાજધાની બુખારેસ્ટથી મુંબઈ માટે રવાના થઈ છે.

એસ. જયશંકરે ટ્વીટ કરી કહ્યું હતું કે ઓપરેશન ગંગા પોતાની સાતમી ફ્લાઈટની ઉડાન ભરી નીકળી છે. 182 ભારતીય નાગરિકોએ બુખારેસ્ટથી મુંબઈની મુસાફરી શરૂ કરી દીધી છે. તેની વચ્ચે યુક્રેન સંકટ પર સોમવારે સાંજે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમગ્ર સરકારી મશીનરી 24 કલાક કામ કરી રહી છે, જેથી સુનિશ્ચિત થઈ શકે કે ત્યાં તમામ ભારતીય સુરક્ષિત છે.

કેન્દ્રીય મંત્રી કરશે યુક્રેનના પાડોશી દેશોની મુસાફરી

કેન્દ્રીયપ્રધાન હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ રિજિજુ અને જનરલ (સેવાનિવૃત) વી.કે.સિંહ સહિત ‘વિશેષ દુત’ યુક્રેનમાં ચાલી રહેલી રશિયન સૈન્ય કાર્યવાહી વચ્ચે ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે સંકલન કરવા યુક્રેનના પડોશી દેશોનો પ્રવાસ કરશે.

24 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાને યુક્રેન કટોકટી પર નવી દિલ્હીમાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્ર સરકારે સંઘર્ષગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ‘ઓપરેશન ગંગા’ શરૂ કર્યું છે. ઓપરેશન ગંગા હેઠળ એર ઈન્ડિયા દ્વારા વિશેષ ફ્લાઈટ્સ ચલાવવામાં આવી રહી છે. અગાઉ સોમવારે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે દેશ દ્વારા પ્રારંભિક એડવાઈઝરી જાહેર કરવામાં આવી ત્યારથી ભારતે 8,000થી વધુ નાગરિકોને બહાર કાઢ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે લગભગ 1,400 નાગરિકોને પરત લાવવા માટે છ ફ્લાઈટ્સ ભારતમાં ઉતરી છે.

આ પણ વાંચો: છોડમાંથી તૈયાર કરવામાં આવી કોરોનાની નવી વેક્સિન ‘કોવિફેંઝ’, તમામ વેરિઅન્ટ્સ પર 71 ટકા અસરકાર, જાણો કેવી રીતે કરે છે કામ

આ પણ વાંચો: Photos: 294 કરોડનો મહેલ, જે મેટાવર્સની દુનિયામાં વર્ચ્ચુઅલ વેચાશે અને રિયલમાં પણ, જાણો શું છે ખાસિયત

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">