Maharashtra Rain: મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ, 76 લોકોના મોત, 838 મકાનો ધરાશાયી, 4,500થી વધારે લોકો તેમના ઘરથી દુર
રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને પુર્નવસવાટ વિભાગ દ્વારા પૂરથી પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે 35 રાહત શિબિરો તૈયાર કરવામાં આવી છે. વરસાદના કહેરથી અત્યાર સુધીમાં 125 પશુઓએ પણ જીવ ગુમાવ્યા છે.
મહારાષ્ટ્રમાં (Maharashtra Rain) છેલ્લા ત્રણ દિવસથી વરસાદે (Monsoon 2022) હાહાકાર મચાવ્યો છે. મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વરસાદે છેલ્લા એક દિવસમાં 9 લોકોના જીવ લીધા છે. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ 1 જૂનથી વધુ વરસાદના કારણે 76 લોકોના મોત થયા છે. 838 મકાનો ધરાશાયી થયા છે. 4,916 લોકો તેમના ઘરોથી દૂર ગયા છે. તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રસ્તાઓ ધોવાઈ ગયા છે, વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને ધાબા પર રાત વિતાવવી પડી રહી છે. સમગ્ર રાજ્યમાં NDRFની 17 ટીમો તૈનાત કરવામાં આવી છે.
રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને પુર્નવસવાટ વિભાગ દ્વારા પૂરથી પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે 35 રાહત શિબિરો તૈયાર કરવામાં આવી છે. વરસાદના કહેરથી અત્યાર સુધીમાં 125 પશુઓએ પણ જીવ ગુમાવ્યા છે.
838 houses damaged & 4916 people have been shifted to safer locations, 35 relief camps set up by the disaster mgmt dept and rehabilitation department. 125 animals also lost their lives in rain/flood-related incidents in Maharashtra since June 1, 2022: State Disaster Mgmt Dept
— ANI (@ANI) July 10, 2022
મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ
આ દરમિયાન હવામાન વિભાગે આજે મહારાષ્ટ્રના પૂણે, રાયગઢ, રત્નાગીરી, સતારા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ અને કોંકણના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉચ્ચ ભરતીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે ચાર દિવસ પહેલા મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં પાંચ દિવસ માટે એલર્ટ જાહેર કર્યું હતું. ફરી એકવાર હવામાન વિભાગે મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારોમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વિનાશ જોવા મળ્યો છે.
મહારાષ્ટ્રના મરાઠાવાડા અને વિદર્ભમાં સ્થિતિ ખૂબ જ ખરાબ
મરાઠવાડા અને વિદર્ભના ત્રણ જિલ્લામાં તબાહીનું દ્રશ્ય ભયાનક છે. હિંગોલી, નાંદેડ અને ગઢચિરોલીમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. કોલ્હાપુરમાં પંચગંગા નદી ખતરાના નિશાન પર પહોંચી ગઈ છે. હાલમાં પંચગંગા નદીમાં પાણીની સપાટી 33 ફૂટે પહોંચી છે.
સીએમ શિંદે એક્શનમાં જોવા મળ્યા, લોકોને સલામત સ્થળે લઈ જવા સૂચના આપી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતે વરસાદ અને પૂર સંબંધિત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ગઈકાલે તેમની દિલ્હીની મુલાકાત દરમિયાન તેમણે ફોન પર જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી અને તેમને અસરગ્રસ્ત લોકોની તમામ શક્ય કાળજી લેવા નિર્દેશ આપ્યો. તેમણે તરત જ લોકોને સલામત સ્થળે ખસી જવાનો નિર્દેશ આપ્યો હતો.
જૂન મહિનામાં ચોમાસાએ ધીમી શરૂઆત કરી હતી. જ્યારે હવામાન વિભાગે આ વખતે સારા ચોમાસાની આગાહી કરી હતી. જુલાઈમાં હવામાન વિભાગની આગાહી સાચી પડી. ગત સપ્તાહથી મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ભારે વરસાદ શરૂ થયો છે.