કાળઝાળ ગરમી વચ્ચે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ, ઓછા ઉત્પાદનને કારણે કેસર થઈ મોંઘી- વીડિયો

જુનાગઢની કેસર કેરીની દેશ વિદેશમાં માગ રહે છે. ઉનાળો આવતા જ લોકો કેસર કેરીની કાગ ડોળે રાહ જોતા હોય છે. જો કે આ વર્ષે ઓછુ ઉત્પાદન, વિષમ વાતાવરણ, વધુ તાપમાન સહિતના પરિબળોને કારણે કેસર કેરીના ભાવ આસમાને પહોંચ્યા છે અને ઉનાળામાં કેરી રસિયાઓને ઠંડક આપતી કેસરના ભાવ આ ઉનાળે લોકોને વધુ એક ડામ આપી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2024 | 11:54 PM

કાળઝાળ ઉનાળાની મોસમ આવે. એટલે કેસર કેરીના મીઠા સ્વાદની યાદ આવે અને એમાં પણ સૌરાષ્ટ્રના જૂનાગઢની કેસર કેરીની વાત જ અનોખી છે. પરંતુ, ચાલુ વર્ષે કેરીના ઓછા ઉત્પાદનના કારણે ભાવ આસમાને પહોંચ્યો છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 5 કિલો કેરીનો ભાવ 500થી 700 રૂપિયા સુધી તો, 10 કિલો કેરીનો ભાવ 1500 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જે કેરીની મિઠાસમાં થોડી ખટાસ લાવે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, કેસર કેરીનું ઉત્પાદન 40 ટકા જેટલું ઘટ્યું છે, જેના કારણે ભાવ વધ્યો છે. તો, ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. પરંતુ, આ વર્ષે કેરીના બેગણા ભાવના કારણે મોંઘા ભાવે કેરી ખરીદવી પડી રહી છે.

મહત્વનું છે, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રની કેસર કેરી માત્ર ગુજરાત નહીં, પરંતુ દેશ-વિદેશમાં વેચાઇ રહી છે. યુકે, અમેરિકા, દુબઈ, મસ્કત જેવા દેશોમાં કેસર કેરીની માંગ વધી છે. જો કે ચાલુ વર્ષે વધુ તાપમાન અને ગ્લોબલ વોર્મિંગના કારણે મોર ખરી પડ્યા. કેરીના વૃક્ષને અનુકૂળ વાતાવરણ ન મળ્યું. જેના કારણે ઓછું ઉત્પાદન થયું અને ભાવ પણ આસમાને ગયા છે. છતાં વિદેશોમાં કેરીના નિકાસ માટેનું રજિસ્ટ્રેશન વધ્યું છે. હાલ ખેડૂતોની સ્થિતિ તો સરભર છે. પરંતુ લોકોનું બજેટ ખોરવાઇ શકે છે.

આ પણ વાંચો: લગ્નમાં વરરાજાને બેસાડી ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને તમે પણ બોલી ઉઠશો વાહ- જુઓ વીડિયો

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">