AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: ભીડ સામે ખુરશીઓ ઓછી પડી, લોકો આકરા તડકામાં ઉભા રહ્યા, 11 લોકોના મોતથી વિપક્ષી પાર્ટીઓએ શિંદે સરકારની કરી ટીકા

મુખ્યમંત્રી એકનાથ શિંદે હોસ્પિટલમાં બીમાર લોકોને મળ્યા છે અને તેમને તમામ મદદ કરવાની ખાતરી આપી છે. આ સાથે ઉદ્ધવ ઠાકરે પણ હોસ્પિટલમાં જઈને બીમાર લોકોની હાલત જાણી હતી. શિંદેએ મૃતકોના નજીકના સંબંધીઓને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

Maharashtra: ભીડ સામે ખુરશીઓ ઓછી પડી, લોકો આકરા તડકામાં ઉભા રહ્યા, 11 લોકોના મોતથી વિપક્ષી પાર્ટીઓએ શિંદે સરકારની કરી ટીકા
Maharashtra Bhushan Award
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 11:05 AM
Share

મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ દરમિયાન 11 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો બીમાર પડ્યા છે. અધિકારીઓ મૃત્યુનું કારણ ગરમીને ગણાવી રહ્યા છે. પરંતુ, અસરગ્રસ્તો વહીવટી તંત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છે. લોકોએ કહ્યું કે આટલો મોટો કાર્યક્રમ હતો, પણ બેસવાની જગ્યા ઓછી પડી. વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ આ ઘટનાને લઈને શિંદે સરકારની ટીકા કરી છે.

ગુજરાત, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા

આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ લોકો પહોંચ્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેવા માટે મધ્યપ્રદેશ અને કર્ણાટકમાંથી પણ લોકો આવ્યા હતા. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કાર્યક્રમ ચાલ્યો અને લોકો તડકાની નીચે ઉભા રહીને જોતા રહ્યા. આ પછી કેટલાક લોકોની તબિયત બગડવા લાગી. ઘણા લોકો સ્થળ પર જ બેહોશ થઈ ગયા અને જમીન પર પડ્યા.

આ કાર્યક્રમનું આયોજન નવી મુંબઈના મેદાનમાં કરવામાં આવ્યું હતું. આયોજકોએ લોકોને બેસવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ લોકો આટલી સંખ્યામાં આવશે, કદાચ તેઓએ પણ અપેક્ષા નહોતી કરી. લોકો માટે બેસવા માટે ઘણી ઓછી ખુરશીઓ હતી. સાથે જ આદિત્ય ઠાકરેએ લોકોના મૃત્યુ પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું છે કે આ સમાચાર ખૂબ જ દુઃખદ, પીડાદાયક છે.

આ પણ વાંચો : નાગપુરમાં BJP-RSS પર ઉદ્ધવ ઠાકરેએ કર્યા પ્રહારો, કહ્યુ- અમારું હિન્દુત્વ ‘રાષ્ટ્રવાદ’ અને તેમનું…!

મુખ્યમંત્રી એકનાથ શિંદે હોસ્પિટલમાં બીમાર લોકોને મળ્યા છે અને તેમને તમામ મદદ કરવાની ખાતરી આપી છે. આ સાથે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ હોસ્પિટલમાં જઈને બીમાર લોકોની હાલત જાણી હતી. શિંદેએ મૃતકોના નજીકના સંબંધીઓને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

શિંદેએ કહ્યું છે કે બીમાર લોકોની મફતમાં સારવાર કરવામાં આવશે. તેમજ કહ્યું કે જે લોકોની હાલત ગંભીર છે, જો તેઓને સારી સારવાર માટે અન્ય હોસ્પિટલમાં દાખલ કરવા પડશે તો કરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કાર્યક્રમનું આયોજન યોગ્ય રીતે થયું ન હતું. શું વહીવટીતંત્ર આ ઘટનાની તપાસ કરશે? NCB નેતા અજિત પવારે કહ્યું કે એવોર્ડ બપોરે આપવામાં આવ્યો હતો, દરેક વ્યક્તિ જાણે છે કે એપ્રિલમાં કેટલી ગરમી હોય છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

મહારાષ્ટ્ર સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">