નાગપુરમાં BJP-RSS પર ઉદ્ધવ ઠાકરેએ કર્યા પ્રહારો, કહ્યુ- અમારું હિન્દુત્વ ‘રાષ્ટ્રવાદ’ અને તેમનું…!

Uddhav Thackeray: ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પર પણ આકરા પ્રહારો કર્યા. ઠાકરેએ કહ્યું કે રાજ્યના ખેડૂતો અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ અમારા મુખ્ય પ્રધાન અયોધ્યાની મુલાકાતે ગયા હતા.

નાગપુરમાં BJP-RSS પર ઉદ્ધવ ઠાકરેએ કર્યા પ્રહારો, કહ્યુ- અમારું હિન્દુત્વ 'રાષ્ટ્રવાદ' અને તેમનું...!
Uddhav Thackeray
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 8:47 AM

મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી, RSS અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઉદ્ધવે આરોપ લગાવ્યો કે આરએસએસ-ભાજપનું હિન્દુત્વ “ગૌમૂત્ર હિન્દુત્વ” છે. તેઓ રવિવારે નાગપુરમાં મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનની એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મારા પર એવા આરોપો લાગ્યા છે કે હું કોંગ્રેસ સાથે ગયો અને હિન્દુત્વનો મુદ્દો છોડી દીધો. તો મારે પૂછવું છે કે શું કોંગ્રેસમાં કોઈ હિન્દુ નથી ? ઈશારા ઈશારાઓમાં ભાજપ-આરએસએસ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે ત્યાં (આરએસએસ-ભાજપમાં) ‘ગૌમૂત્ર હિન્દુત્વ’ છે. તેમના લોકોએ સંભાજીનગરમાં જ્યાં અમે કાર્યક્રમ કર્યો હતો ત્યાં ગૌમૂત્ર છાંટ્યું. તેથી હું કહેવા માંગુ છું કે તેમણે ગૌમૂત્ર પીધું હોવું જોઈએ. તેઓ સમજી ગયા હશે. ઠાકરેએ કહ્યું કે અમારું હિન્દુત્વ માત્ર રાષ્ટ્રવાદ વિશે છે.

આ પણ વાંચોઃ Maharashtra: ‘પપ્પુ પપ્પુના ઘરે જાય છે તો પપ્પુ સ્ક્વેર થાય છે’, રાહુલ ગાંધી-ઉદ્ધવ ઠાકરેની મુલાકાત પર ભાજપ નેતાનું ટ્વીટ

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

ઠાકરેએ આરોપ લગાવ્યો કે, આ લોકો એક તરફ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને બીજી તરફ મસ્જિદમાં જાય છે. શું આ હિંદુ ધર્મ છે ? તેમના લોકો યુપી જાય છે અને ઉર્દૂમાં ‘મન કી બાત’ કરવાનું શરૂ કરે છે. અહીં તેમનું હિન્દુત્વ શું છે ? હું મારા હિન્દુત્વ વિશે કહેવા માંગુ છું કે અમારુ હિન્દુત્વ દેશ માટે બલિદાન આપવાનું છે.

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પર પણ આકરા પ્રહારો કર્યા હતા. ઠાકરેએ કહ્યું કે રાજ્યના ખેડૂતો અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ અમારા મુખ્ય પ્રધાન અયોધ્યાની મુલાકાતે ગયા છે. ઠાકરેએ કેન્દ્ર પર લોકશાહીના મૂલ્યોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો. ઠાકરેએ કહ્યું કે જ્યારે રાહુલ ગાંધીએ મોદી સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા ત્યારે તેમની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી. કેજરીવાલે જ્યારે સવાલો ઉઠાવ્યા ત્યારે તેમને પણ જેલ જવાનો ખતરો ઉભો કર્યો હતો.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

 મહારાષ્ટ્ર સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Latest News Updates

આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
g clip-path="url(#clip0_868_265)">