AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહમાં મોટી ભીડ ઉમટી, ગરમીના કારણે 8 લોકોના મોત, 120 લોકો બીમાર

120 લોકોની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવાર સાંજ સુધીમાં હીટસ્ટ્રોકના કારણે 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 24 લોકો હાલમાં પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહમાં મોટી ભીડ ઉમટી, ગરમીના કારણે 8 લોકોના મોત, 120 લોકો બીમાર
Maharashtra Bhushan Award Ceremony
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 11:59 PM
Share

એપ્રિલ મહિનો શરૂ થતાની સાથે જ ઉનાળાએ પોતાની ગરમી બતાવવાનું શરૂ કરી દીધું છે. મહારાષ્ટ્રના નવી મુંબઈમાં ગરમીના કારણે 8 લોકોના મોત થયા છે. નવી મુંબઈના ખારઘરમાં રવિવારે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહ (Maharashtra Bhushan Award Ceremony) દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ખુલ્લા મેદાનમાં ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ખેતરમાં ગરમીને કારણે લોકોની તબિયત લથડવા લાગી હતી.

120 લોકોની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવાર સાંજ સુધીમાં હીટસ્ટ્રોકના કારણે 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 24 લોકો હાલમાં પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મૃતકોના પરિજનોને વળતર તરીકે 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સાથે તેમણે કહ્યું છે કે તમામ દર્દીઓને સરકાર દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવે.

આ પણ વાંચો: Photos: રક્ષામંત્રી રાજનાથ સિંહ અને તેલંગણાના રાજ્યપાલે સોમનાથ મહાદેવના કર્યા દર્શન, 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડનો કાર્યક્રમ ખારઘરમાં 306 એકરમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ રવિવારે સવારે 11:30થી બપોરે 1 વાગ્યા સુધી ચાલ્યો હતો. શનિવારથી જ ઘણા લોકો મેદાનમાં આવી ગયા હતા. આકરી ગરમી અને ડિહાઈડ્રેશનના કારણે લોકોની તબિયત લથડવા લાગી હતી.

આ કાર્યક્રમમાં સીએમ અને ડેપ્યુટી સીએમ પણ સામેલ થયા હતા

આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર દત્તાત્રેય નારાયણ ઉર્ફે અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને સરકારના અન્ય મંત્રીઓએ પણ ભાગ લીધો હતો.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

મહારાષ્ટ્ર સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">