Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus In Maharashtra: મહારાષ્ટ્ર માટે બીજા દિવસે પણ રાહતના સમાચાર, નવા કેસ 35 હજારથી ઓછા અને 22 લોકોના મોત

સોમવારે 33,470 નવા કેસ નોંધાયા અને 8 લોકોના મોત થયા, જ્યારે મૃત્યુઆંક પણ આજે ઝડપથી વધ્યો છે. જો કે, આ આંકડાઓમાં સારા સમાચાર એ છે કે રવિવારની તુલનામાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે.

Coronavirus In Maharashtra: મહારાષ્ટ્ર માટે બીજા દિવસે પણ રાહતના સમાચાર, નવા કેસ 35 હજારથી ઓછા અને 22 લોકોના મોત
34,424 new cases of corona in Maharashtra (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 11:48 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) ફરી એકવાર કોરોના વાયરસના (Corona Virus) કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 34,424 નવા કેસ સામે આવ્યા છે અને 22 લોકોએ જીવ ગુમાવ્યો છે. સોમવારની તુલનામાં કોરોનાના કેસમાં વધારો થયો છે. સોમવારે 33,470 નવા કેસ નોંધાયા અને 8 લોકોના મોત થયા. જ્યારે, મૃત્યુઆંક પણ આજે ઝડપથી વધ્યો છે. જો કે, આ આંકડાઓમાં સારા સમાચાર એ છે કે રવિવારની તુલનામાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. રવિવારે 44 હજાર નવા કેસ સામે આવ્યા હતા.

મહારાષ્ટ્રમાં હવે કોરોનાના 2,21,477 એક્ટીવ કેસ છે. તે જ સમયે, ઓમિક્રોનના કુલ કેસ 1,281 થઈ ગયા છે, જેમાંથી 499 સાજા થઈ ગયા છે. આ સાથે રાજધાની મુંબઈમાં પણ કોરોનાની (Corona in Mumbai) ઝડપ ધીમી પડી રહી છે. મુંબઈમાં સતત ચોથા દિવસે કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે.

KKRના 23.75 કરોડ રૂપિયા પાણીમાં ગયા !
ડાલામથ્થા ક્યા બે પ્રાણીનો શિકાર ક્યારેય નથી કરતો?
RCBએ રચ્યો ઈતિહાસ, બધી ટીમોને પાછળ છોડી દીધી
Jio એ આપી મોટી ભેટ ! આ સેવા મળશે એકદમ ફ્રી
IPLમાં સૌથી વધુ વાર નર્વસ 90 નો શિકાર બનનાર ખેલાડીઓ
શાહરૂખ ખાન કરતા પણ વધુ પૈસાદાર છે આ ટોક શો હોસ્ટ,જુઓ ફોટો

મંગળવારે મુંબઈમાં કોરોનાના 11,647 નવા કેસ નોંધાયા હતા. કોરોનાનો મામલો મહારાષ્ટ્રમાં ભારત રત્ન લતા મંગેશકર સુધી પહોંચ્યો હતો. મંગળવારે તેઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જ્યાંથી તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

મોટાભાગના મૃત્યુ રસીકરણ ન કરાવનારા લોકોના થયા

બીજી લહેર દરમિયાન કોરોના વાયરસે સૌથી વધુ નુકસાન કર્યું. આ વખતે કોરોનાના કેસ તો વધી રહ્યા છે, પરંતુ રસીકરણના કારણે લોકોના જીવ બચી રહ્યા છે. જે લોકો રસીકરણ નથી કરાવતા તેમના માટે કોરોના ઘાતક સાબિત થઈ રહ્યો છે. BMC દ્વારા ઉપલબ્ધ ડેટા અનુસાર, છેલ્લા 11 મહિનામાં કોરોનાથી 4,575 લોકોના મોત થયા છે. તેમાંથી 94 ટકા મૃતકો એવા છે જેમણે રસીકરણ કરાવ્યું ન હતું.

મહારાષ્ટ્રના ધારાસભ્ય કોરોના પોઝિટિવ

મહારાષ્ટ્રના પરભણી ગંગાખેડના ધારાસભ્ય ડૉ. રત્નાકર ગુટ્ટે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જો કે ચિંતાની વાત એ છે કે 24 કલાક પહેલા તેમણે ઘણા મોટા નેતાઓ સાથે ભોજન લીધું હતું. તેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, પીડબલ્યુડી મંત્રી અશોક ચવ્હાણ, એક સાંસદ, પાંચ ધારાસભ્યો અને એક પૂર્વ ધારાસભ્ય સામેલ હતા. જ્યારે તેમણે પોતાની તબિયત બગડતી જોઈ ત્યારે તેમણે કોવિડ ટેસ્ટ કરાવ્યો, જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

તેણે ટ્વીટ કર્યું, “કોરોનાના હળવા લક્ષણોનો અનુભવ કર્યા પછી, મેં કોરોના ટેસ્ટ કરાવ્યો જે આજે પોઝિટિવ આવ્યો. તબીબી તપાસ પછી, હું ડૉક્ટરની સલાહ પર ઘરે છું. આવતીકાલ સુધી મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને વિનંતી છે કે તેઓ કોરોનાનો ટેસ્ટ કરાવો અને પોતાની સંભાળ રાખે”.

આ પણ વાંચો :  મુંબઈમાં વેક્સીન નહી લેનારા માટે કોરોના બન્યો કાળ, 11 મહિનામાં 4575 મોત, તેમાં 94 ટકા વેક્સીન લીધા વગરના લોકો

g clip-path="url(#clip0_868_265)">