લતા મંગેશકરની તબિયતને લઇને બહેન ઉષાનું રિએક્શન, કહ્યુ- અમે હોસ્પિટલ નથી જઇ શકતા કારણ કે…

મંગળવારે, એવી માહિતી મળી હતી કે લતા મંગેશકર કોવિડ પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર આવ્યા પછી, ચાહકો ગાયકને લઈને ચિંતિત છે.

લતા મંગેશકરની તબિયતને લઇને બહેન ઉષાનું રિએક્શન, કહ્યુ- અમે હોસ્પિટલ નથી જઇ શકતા કારણ કે...
Usha Mangeshkar's reaction on Lata Mangeshkar's health
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 10:34 PM

હિન્દી સિનેમાની પીઢ ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ગાયિકાને કોવિડ પોઝિટિવ અને ન્યુમોનિયાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લતા મંગેશકરની ભત્રીજી રચનાએ આ અંગે માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે સિંગરને કોવિડ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેણે એમ પણ કહ્યું કે આ દરમિયાન તેમની પ્રાઈવસીનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. ફક્ત ગાયિકાના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરો. જો કે, થોડા સમય પહેલા આ અપડેટ પણ આવ્યું હતું કે લતા મંગેશકરને આજે નહીં પરંતુ શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હવે તેમની બહેન ઉષાએ નિવેદન આપ્યું છે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા ઉષાએ કહ્યું, કોવિડને કારણે અમે લતા દીદીને મળવા જઈ શકતા નથી. તેમની સાથે ઘણા ડોકટરો અને નર્સો છે. ઉષાએ એ પણ જણાવ્યું કે લતા મંગેશકરને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. તેણે કહ્યું કે, ડોક્ટરોએ કહ્યું છે કે તેમની ઉંમરને કારણે તેઓ તેમને વધુ બે દિવસ રાખશે. જે બાદ તેમને રજા આપવામાં આવશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

તમને જણાવી દઈએ કે લતા મંગેશકરને અગાઉ વર્ષ 2019માં જ્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે પણ રચનાએ લતાની હેલ્થ અપડેટ આપતા કહ્યું હતું કે, લતા દીદીને છાતીમાં વાઈરલ ઈન્ફેક્શન હતું, તેથી અમે તેમને હોસ્પિટલ લઈ ગયા છીએ.

તમને જણાવી દઈએ કે લતા મંગેશકરે ઘણી ભાષાઓમાં 1000 થી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે. તેમને 3 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અને ભારત રત્ન જેવા મોટા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.

ગયા મહિને, લતા મંગેશકરે રેડિયોમાં ડેબ્યૂના 80 વર્ષ પૂરા થવા પર ટ્વિટ કર્યું હતું. 16 ડિસેમ્બર 1941ના રોજ, મેં મારા માતા-પિતાના આશીર્વાદથી રોડીયો માટે પ્રથમ વખત 2 ગીતો ગાયા. આજે 80 વર્ષ થઈ ગયા. મને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. હું આશા રાખું છું કે તમારો પ્રેમ અને આશીર્વાદ હંમેશા મારી સાથે રહેશે.

આ પણ વાંચો –

સાઉથના સ્ટાર અલ્લુ અર્જૂનની ફિલ્મ ‘પુષ્પા’ કમાણી મામલે અટકવાનું નથી રહી લઈ નામ, વર્લ્ડવાઈડ કરી આટલા કરોડની કમાણી

આ પણ વાંચો –

સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર કોરોના પોઝિટીવ, મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">