AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લતા મંગેશકરની તબિયતને લઇને બહેન ઉષાનું રિએક્શન, કહ્યુ- અમે હોસ્પિટલ નથી જઇ શકતા કારણ કે…

મંગળવારે, એવી માહિતી મળી હતી કે લતા મંગેશકર કોવિડ પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર આવ્યા પછી, ચાહકો ગાયકને લઈને ચિંતિત છે.

લતા મંગેશકરની તબિયતને લઇને બહેન ઉષાનું રિએક્શન, કહ્યુ- અમે હોસ્પિટલ નથી જઇ શકતા કારણ કે...
Usha Mangeshkar's reaction on Lata Mangeshkar's health
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 10:34 PM
Share

હિન્દી સિનેમાની પીઢ ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ગાયિકાને કોવિડ પોઝિટિવ અને ન્યુમોનિયાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લતા મંગેશકરની ભત્રીજી રચનાએ આ અંગે માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે સિંગરને કોવિડ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેણે એમ પણ કહ્યું કે આ દરમિયાન તેમની પ્રાઈવસીનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. ફક્ત ગાયિકાના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરો. જો કે, થોડા સમય પહેલા આ અપડેટ પણ આવ્યું હતું કે લતા મંગેશકરને આજે નહીં પરંતુ શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હવે તેમની બહેન ઉષાએ નિવેદન આપ્યું છે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા ઉષાએ કહ્યું, કોવિડને કારણે અમે લતા દીદીને મળવા જઈ શકતા નથી. તેમની સાથે ઘણા ડોકટરો અને નર્સો છે. ઉષાએ એ પણ જણાવ્યું કે લતા મંગેશકરને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. તેણે કહ્યું કે, ડોક્ટરોએ કહ્યું છે કે તેમની ઉંમરને કારણે તેઓ તેમને વધુ બે દિવસ રાખશે. જે બાદ તેમને રજા આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે લતા મંગેશકરને અગાઉ વર્ષ 2019માં જ્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે પણ રચનાએ લતાની હેલ્થ અપડેટ આપતા કહ્યું હતું કે, લતા દીદીને છાતીમાં વાઈરલ ઈન્ફેક્શન હતું, તેથી અમે તેમને હોસ્પિટલ લઈ ગયા છીએ.

તમને જણાવી દઈએ કે લતા મંગેશકરે ઘણી ભાષાઓમાં 1000 થી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે. તેમને 3 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અને ભારત રત્ન જેવા મોટા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.

ગયા મહિને, લતા મંગેશકરે રેડિયોમાં ડેબ્યૂના 80 વર્ષ પૂરા થવા પર ટ્વિટ કર્યું હતું. 16 ડિસેમ્બર 1941ના રોજ, મેં મારા માતા-પિતાના આશીર્વાદથી રોડીયો માટે પ્રથમ વખત 2 ગીતો ગાયા. આજે 80 વર્ષ થઈ ગયા. મને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. હું આશા રાખું છું કે તમારો પ્રેમ અને આશીર્વાદ હંમેશા મારી સાથે રહેશે.

આ પણ વાંચો –

સાઉથના સ્ટાર અલ્લુ અર્જૂનની ફિલ્મ ‘પુષ્પા’ કમાણી મામલે અટકવાનું નથી રહી લઈ નામ, વર્લ્ડવાઈડ કરી આટલા કરોડની કમાણી

આ પણ વાંચો –

સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર કોરોના પોઝિટીવ, મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">