AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર: BMC બજેટમાં વધારાની જોગવાઈઓને પગલે BJP કાઉન્સિલર આકરા પાણીએ, ઉઠાવ્યા આ સવાલો

ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાઉન્સિલર પ્રભાકર શિંદેએ BMC બજેટમાં વધારાની જોગવાઈનો વિરોધ કર્યો છે. આ અંગે તેમણે BMC કમિશનરને પત્ર લખીને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે.

મહારાષ્ટ્ર: BMC બજેટમાં વધારાની જોગવાઈઓને પગલે BJP કાઉન્સિલર આકરા પાણીએ, ઉઠાવ્યા આ સવાલો
BJP leader prabhakar shinde (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 7:34 PM
Share

BMC Budget : મહારાષ્ટ્રમાં BMC ચૂંટણી (Bombay Municipal Corporation) આગળ ધપાવવામાં આવી છે.આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાઉન્સિલર પ્રભાકર શિંદેએ (Prabhakar Shinde) BMC કમિશનરને BMC બજેટમાં કરવામાં આવેલી વધારાની જોગવાઈનો વિરોધ કરીને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે,વર્ષ 2022-23 માટે BMCનું બજેટ (BMC Budget 2022) 3 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યુ હતુ.પરંતુ BMCની મુદત 7મી માર્ચે પૂરી થઈ રહી છે અને ચૂંટણી યોજાવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં પ્રભાકરે બજેટમાં વધારાની જોગવાઈ કરવાનો વિરોધ કર્યો છે.

બજેટમાં વધારાની જોગવાઈની શું જરૂર છે ?

શિંદે તમે પત્રમાં લખ્યું છે કે, BMCની વર્તમાન સંસ્થાનો કાર્યકાળ 7મી માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. હજુ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. વોર્ડ પુનઃરચનાનું આખરી નોટિફિકેશન પણ બહાર આવ્યું નથી, તો બજેટમાં વધારાની જોગવાઈની શું જરૂર છે ? શિંદેએ તેમના પત્રમાં ઘણા પ્રશ્નો કરીને શિવસેનાને આડેહાથ લીધી છે, જેમ કે આ વધારાની જોગવાઈ સાથે કઈ મહત્વની અને તાકીદની બાબતો કરવી જોઈએ ? અને કોણે તેની ભલામણ કરી ?

આવા કૃત્યો કોઈને ફાયદો પહોંચાડવા માટે જ કરવામાં આવે છે : શિંદે

શિંદેએ વધુમાં લખ્યું છે કે, જો કોઈ કમિટીની સામે રાખ્યા વિના કામ પસાર થઈ રહ્યું હોય તો તે મુંબઈકરોના પૈસાની લૂંટ છે જે ટેક્સ ભરે છે તેના પૈસાનો ખોટો વ્યય થઈ રહ્યો છે. સાથે શિંદેએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આવા કૃત્યો કોઈને ફાયદો પહોંચાડવા માટે જ કરવામાં આવે છે. તેમણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને વિનંતી કરી છે કે બજેટ વધારાની જોગવાઈમાં મળેલા નાણાં BMC ચૂંટણી પછી જ ખર્ચવામાં આવે.

આ પહેલા રાજ્ય ચૂંટણી પંચે સંભાવના વ્યક્ત કરી હતી કે રાજ્યમાં કોવિડની કટોકટી બાદ મુંબઈ નગરપાલિકાના સભ્યોની સંખ્યામાં વધારો,તે બાદ વોર્ડના પુનર્ગઠનને કારણે સમયસર ચૂંટણી થાય તેવી સંભાવના નથી, જેથી આવા સમયે પ્રશાસકની નિમણુક કરવાની જરૂર પડી શકે છે.

આ પણ વાંચો: Maharashtra: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ મેનેજર દિશા સલિયનના મોત પર મહિલા આયોગે કરી કાર્યવાહી! પોલીસ પાસેથી 48 કલાકમાં માંગ્યો જવાબ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">