AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિંસાના વિરોધમાં હિંસા ! થાણેમાં ડેપ્યુટી મેયરના પતિએ રિક્ષાચાલકને માર માર્યો, કાર્યકરોએ બંધને બનાવ્યુ હિંસક

મહારાષ્ટ્ર બંધ હિંસક થતુ જોવા મળી રહ્યુ છે. થાણેના એક ઓટો રિક્ષા ચાલકને ડેપ્યુટી મેયરના પતિ પવન કદમે માર માર્યો હતો. ત્યારે હાલ રાજ્યમાં હિંસાના વિરોધમાં હિંસા જોવા મળી રહી છે.

હિંસાના વિરોધમાં હિંસા ! થાણેમાં ડેપ્યુટી મેયરના પતિએ રિક્ષાચાલકને માર માર્યો, કાર્યકરોએ બંધને બનાવ્યુ હિંસક
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 5:02 PM
Share

Maharashtra Bandh: મહા વિકાસ અઘાડી સરકારે લખીમપુર ખેરી હિંસાના વિરોધમાં 11 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર બંધ (Maharashtra Bandh)નું એલાન જાહેર કર્યુ છે. આ બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે.

ત્યારે હાલ આ બંધ હિંસક વળાંક લેતુ જોવા મળી રહ્યું છે. થાણેના એક ઓટો રિક્ષા ચાલકને (Auto Driver) માર મારતો વીડિયો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓટો રિક્ષા ચાલકને ડેપ્યુટી મેયરના (Thane Deputy Mayor) પતિ પવન કદમે માર માર્યો હતો. બંધ હોવા છતાં રિક્ષાચાલક રસ્તા પર જોવા મળતા તેને આ રીતે માર મારવામાં આવ્યો હતો.

મુંબઈ અને સોલાપુરમાં ટાયરો સળગાવામાં આવ્યા

મુંબઈમાં વિક્રોલી પાસે પૂર્વીય એક્સપ્રેસ વે પર શિવ સૈનિકોએ(Shiv Sena) ટાયરો સળગાવ્યા હતા, ત્યારે સોલાપુરમાં પણ કાર્યકરોએ ટાયરો સળગાવ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. બીજી તરફ કોલ્હાપુરમાં પણ શિવ સૈનિકોએ હાઈવે પર બળજબરીથી વાહનો રોકવાના પ્રયત્નો કર્યા હતા. ઉપરાંત લોકોને અવરજવર કરતા પણ રોકવામાં આવ્યા હતા. ચંદ્રપુરમાં પણ મહાવિકાસ અઘાડી કાર્યકરોએ દુકાનો બંધ કરવા હિંસા તરફ વળ્યા હતા. ત્યારે આ બંધ હાલ હિંસક બનતુ જોવા મળી રહ્યુ છે.

બંધને સફળ બનાવવા સરકાર હિંસા પર ઉતરી આવી

આજે સવારથી એક પછી એક હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. વહેલી સવારે મુંબઈની બેસ્ટની આઠ બસોમાં તોડફોડ કરવામાં આવી હતી. બાદમાં બેસ્ટ બસના ડ્રાઇવરોએ (BEST Bus Driver) સુરક્ષાની માંગ કરી હતી.

બીજી તરફ ભાજપ રાજ્ય સરકાર પર આરોપ લગાવી રહી છે કે બંધને સફળ બનાવવા બળજબરી કરવામાં આવી રહી છે. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે મહા વિકાસ અઘાડી સરકાર બંધ પાળીને ઢોંગ કરી રહી છે, મરાઠાવાડાના ખેડૂતો પ્રત્યે સરકારને કેમ કોઈ સહાનુભુતિ નથી?

બંધ માટે બળજબરી કરવામાં આવી રહી છે: દેવેન્દ્ર ફડણવીસ

ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે, મહારાષ્ટ્ર બંધને (Maharashtra Bandh) સફળ બનાવવા માટે સરકારી મશીનરીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે મહાવિકાસ અઘાડીના નેતાઓ બળજબરીથી બંધ માટે દબાણ કરી રહ્યા છે.

આ રાજ્ય આતંકવાદ છે. બંધને સામાન્ય જનતાનો ટેકો નથી. હાઈકોર્ટે (High Court) આવા બંધ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ હાઈકોર્ટનું અપમાન છે. અમે હાઈકોર્ટને અપીલ કરીએ છીએ કે આ બાબત પર કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર બંધને દેવેન્દ્ર ફડનવીસે ગણાવ્યો ઢોંગ, કહ્યુ ” રાજ્યના ખેડુતો માટે આવી સહાનુભૂતિ કેમ નહિ ? “

આ પણ વાંચો :  બંધના એલાનની મુંબઈમાં પણ અસર, પથ્થરમારાની ઘટના બાદ BEST સેવા બંધ કરવાની પડી ફરજ

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">